કચ્છની તમામ છ બેઠક પર ભાજપને વિજય મેળવ્યો છે. આ વખતે આમ આદમી પાર્ટી તથા ઓવૈસીએ કોંગ્રેસના સમીકરણને બગાડ્યા હોવાનું આંકડાકીય માહિતી પરથી સ્પષ્ટ જણાય છે. કચ્છની છ બેઠક પૈકી રાપર બેઠક પર ભાજપે ફક્ત 567 મતથી જીત મેળવી છે. રાપર બેઠક પર ભાજપના વિરેન્દ્રસિંહ જાડેજાને 66961 જ્યારે કોંગ્રેસના બચુભાઈ અરેઠીયાને 66384 મત મળ્યા છે, જ્યારે આમ આદમી પાર્ટીના અંબા પટેલને 2434 મત મળ્યા છે. આમ આ બેઠક પર કોંગ્રેસને આમ આદમી પાર્ટીને લીધે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે. આ બેઠક પર કુલ 12 ઉમેદવાર મેદાનમાં હતા, 3942 ઉમેદવારોએ NOTAનો ઉપયોગ કર્યો હતો. વર્ષ 2017માં કોંગ્રેસે જીત મેળવી હતી
વર્ષ 2017માં રાપર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે વખતે કુલ 13 ઉમેદવારો હતા. કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન અરેઠીયાને 63,814 મત મળ્યા હતા, જ્યારે પંકજ મહેતાને 48,605 મત મળ્ય હતા. જેને પગલે કોંગ્રેસના સંતોક બહેને 15,209 મતથી જીત મેળવી હતી. વર્ષ 2012 અને વર્ષ 2017માં સંતોક બહેને સળંગ બે વખત કોંગ્રેસને જીત અપાવી હતી. જોકે આ વખતે બચુભાઈ આરેઠીયાના ટિકીટ આપવામાં આવી હતી. અહીં ભાજપના મજબૂત દાવેદાર અને મુંદ્રાના વર્તમાન ધારાસભ્ય તથા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજાને ટિકિટ આપી હતી.
કચ્છની અન્ય બેઠકોની શું સ્થિતિ છે
ભૂજ બેઠક પર ઓવૈસી અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લીધે કોંગ્રેસના મતોમાં મોટું ગાબડુ પાડ્યું છે. અબડાસાની બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા તથા ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીનો વિજય થયો છે.કચ્છમાં ભાજપના વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. સેંકડો કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજાર સહિતના વિસ્તારોમાં જે પ્રચાર કર્યો હતો તેનો ભાજપને લાભ મળ્યો છે.
વર્ષ 2017માં રાપર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો તે વખતે કુલ 13 ઉમેદવારો હતા. કોંગ્રેસના ઉમેદવાર સંતોકબેન અરેઠીયાને 63,814 મત મળ્યા હતા, જ્યારે પંકજ મહેતાને 48,605 મત મળ્ય હતા. જેને પગલે કોંગ્રેસના સંતોક બહેને 15,209 મતથી જીત મેળવી હતી. વર્ષ 2012 અને વર્ષ 2017માં સંતોક બહેને સળંગ બે વખત કોંગ્રેસને જીત અપાવી હતી. જોકે આ વખતે બચુભાઈ આરેઠીયાના ટિકીટ આપવામાં આવી હતી. અહીં ભાજપના મજબૂત દાવેદાર અને મુંદ્રાના વર્તમાન ધારાસભ્ય તથા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ વિરેન્દ્ર સિંહ જાડેજાને ટિકિટ આપી હતી.
કચ્છની અન્ય બેઠકોની શું સ્થિતિ છે
ભૂજ બેઠક પર ઓવૈસી અને આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લીધે કોંગ્રેસના મતોમાં મોટું ગાબડુ પાડ્યું છે. અબડાસાની બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવીમાં અનિરુદ્ધ દવે, ભુજમાં કેશુભાઈ પટેલ, અંજારમાં ત્રિકમ છાંગા તથા ગાંધીધામમાં માલતીબેન મહેશ્વરીનો વિજય થયો છે.કચ્છમાં ભાજપના વિજયની ઉજવણી કરવામાં આવી રહી છે. સેંકડો કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અંજાર સહિતના વિસ્તારોમાં જે પ્રચાર કર્યો હતો તેનો ભાજપને લાભ મળ્યો છે.