સીરિયલ 'પર્ફેક્ટ પતિ'ના એક્ટર મોહિત નેન (Mohit Nain)ના લગ્ન થવા જઈ રહ્યા છે. 10 માર્ચે મોહિત દિલ્હીની એરહોસ્ટેસ મનદીપ ચહલ સાથે સાત ફેરા લેશે. "આ અરેન્જ મેરેજ છે. અમારા બંનેના પિતા મિત્રો હતા અને તેમને લાગ્યું અમે બંને એકબીજા માટે પર્ફેક્ટ છીએ. માટે તેમણે મીટિંગ ગોઠવી હતી. અમે લંચ માટે મળ્યા હતા અને તરત જ એકબીજા સાથે ફાવી ગયું હતું. લગભગ દોઢ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ અમને લાગ્યું કે હવે લગ્ન કરી લેવા જોઈએ. તે મારા પરિવાર, મારા કામ, લાઈફસ્ટાઈલને સમજે છે. તેણી મારા માટે યોગ્ય વ્યક્તિ છે", તેમ મોહિતે અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને જણાવ્યું.
મોહિત અને મનદીપના લગ્ન દિલ્હીમાં યોજાશે અને બાદમાં રોહતકમાં રિસેપ્શન યોજાશે. મોહિતે લગ્નના ફંક્શનોની જાણકારી આપતા કહ્યું, "9 માર્ચે કોકટેલ પાર્ટી યોજાશે. 10મી તારીખે હલદી સેરેમની અને એ જ દિવસે લગ્ન પણ છે. 11 માર્ચે અમારું રિસેપ્શન યોજાશે."
"અમે લગ્નમાં વધુ લોકોને નથી બોલાવ્યા. માત્ર નજીકના લોકો જ સામેલ થશે. અમારા વેડિંગ પ્લાનર્સ પણ પૂરતી તકેદારીઓ સાથે તૈયારી કરી રહ્યા છે. અમે લગ્નમાં આવનારા મહેમાનોને માસ્ક અને પોકેટ સેનિટાઈઝર આપવાના છીએ. મહામારીને ધ્યાનમાં રાખીને બેસવાની વ્યવસ્થા પણ યોગ્ય અંતર રાખીને કરી છે", તેમ મોહિતે ઉમેર્યું.
હાલ તો કપલ લગ્નની શોપિંગ અને તૈયારીઓમાં વ્યસ્ત છે. મોહિતે જણાવ્યું, "હાલ તો હું મુંબઈમાં છું અને અમારા આઉટફિટ માટે કેટલાક ડિઝાઈનરો સાથે વાતચીત કરી રહ્યો છું. મનદીપે તેના કેટલાક કપડાં ખરીદી લીધા છે જ્યારે મારી શોપિંગ બાકી જ છે. જ્યારે દિલ્હી જઈશ ત્યારે ચાંદની ચોક જવાનો પ્લાન છે. આ માર્કેટમાં લગ્નના ખૂબ સરસ કપડાં મળી રહે છે એવું મેં સાંભળ્યું છે."
હનીમૂન પ્લાન વિશે વાત કરતાં એક્ટરે આગળ કહ્યું, "લગ્ન પછી મારે બેક-ટુ-બેક શૂટ છે માટે તરત તો ક્યાંય નહીં જઈ શકાય. અમે થોડો સમય રાહ જોઈશું. આશા રાખીએ કે એકાદ વર્ષમાં સ્થિતિ એકદમ સુધરી જાય તો અમે હનીમૂન માટે પેરિસ જઈશું."
મોહિત અને મનદીપના લગ્ન દિલ્હીમાં યોજાશે અને બાદમાં રોહતકમાં રિસેપ્શન યોજાશે. મોહિતે લગ્નના ફંક્શનોની જાણકારી આપતા કહ્યું, "9 માર્ચે કોકટેલ પાર્ટી યોજાશે. 10મી તારીખે હલદી સેરેમની અને એ જ દિવસે લગ્ન પણ છે. 11 માર્ચે અમારું રિસેપ્શન યોજાશે."
"અમે લગ્નમાં વધુ લોકોને નથી બોલાવ્યા. માત્ર નજીકના લોકો જ સામેલ થશે. અમારા વેડિંગ પ્લાનર્સ પણ પૂરતી તકેદારીઓ સાથે તૈયારી કરી રહ્યા છે. અમે લગ્નમાં આવનારા મહેમાનોને માસ્ક અને પોકેટ સેનિટાઈઝર આપવાના છીએ. મહામારીને ધ્યાનમાં રાખીને બેસવાની વ્યવસ્થા પણ યોગ્ય અંતર રાખીને કરી છે", તેમ મોહિતે ઉમેર્યું.
હાલ તો કપલ લગ્નની શોપિંગ અને તૈયારીઓમાં વ્યસ્ત છે. મોહિતે જણાવ્યું, "હાલ તો હું મુંબઈમાં છું અને અમારા આઉટફિટ માટે કેટલાક ડિઝાઈનરો સાથે વાતચીત કરી રહ્યો છું. મનદીપે તેના કેટલાક કપડાં ખરીદી લીધા છે જ્યારે મારી શોપિંગ બાકી જ છે. જ્યારે દિલ્હી જઈશ ત્યારે ચાંદની ચોક જવાનો પ્લાન છે. આ માર્કેટમાં લગ્નના ખૂબ સરસ કપડાં મળી રહે છે એવું મેં સાંભળ્યું છે."
હનીમૂન પ્લાન વિશે વાત કરતાં એક્ટરે આગળ કહ્યું, "લગ્ન પછી મારે બેક-ટુ-બેક શૂટ છે માટે તરત તો ક્યાંય નહીં જઈ શકાય. અમે થોડો સમય રાહ જોઈશું. આશા રાખીએ કે એકાદ વર્ષમાં સ્થિતિ એકદમ સુધરી જાય તો અમે હનીમૂન માટે પેરિસ જઈશું."