સરફરાઝુદ્દીન શૈખ, અમદાવાદઃ 18 સપ્ટેમ્બરે 2007 બેચના IPS અધિકારી, દીપન ભદ્રન કે જેઓ સિટી ક્રાઈમ બ્રાન્ચના વડા હતા તેમની શ્વેતા શ્રીમાણીના જગ્યાએ જામનગર એસપી તરીકે બદલી કરવામાં આવી હતી. ખૂબ ઓછા લોકો જાણતા હશે કે, ભદ્રન દરિયાકાંઠાના વિસ્તારોમાં કાયદા અને વ્યવસ્થાનું કડક રીતે પાલન કરાવવામાં અને ભૂ-માફિયાઓ પર સકંજો કસવાનું મિશન સોંપવામાં આવ્યું હતું.
DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ભદ્રનને તેમના ઓપરેશનના ભાગરૂપે જામનગર મોકલવામાં આવ્યા હતા, જે સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે.
ભાટિયાએ કહ્યું કે, 'તેમણે આશરે 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ નાસતા ફરતા હતા અથવા પેરોલ પર છુટીને ભાગી ગયા હતા અથવા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી 9 પેરોલ પર છુટ્યા બાદ નાસતા ફરતા હતા, 6 હત્યાના આરોપીઓ હતા, એક રેપનો આરોપી હતો અને બે સગીર છોકરીઓના અપહરણમાં સંડોવાયેલા હતા'
આ જ રીતે વચગાળાના જામીન બાદ ઝડપાયેલા 17 આરોપીઓમાંથી 16 હત્યાના આરોપી છે અને એક બળાત્કારનો આરોપી પણ છે. એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી સરળતાથી ભાગી ગયો હોવાનું ભાટિયાએ જણાવ્યું હતું.
આંકડા પ્રમાણે, સુરેન્દ્રનગરમાંથી આવા 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ રેન્જમાંથી 11 ઝડપાયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ભદ્રનની પોસ્ટિંગ પહેલા જામનગર પોલીસે આવા 4 આરોપીઓની ધરપકડ કરી હતી'.
DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, ભદ્રનને તેમના ઓપરેશનના ભાગરૂપે જામનગર મોકલવામાં આવ્યા હતા, જે સૌરાષ્ટ્રમાં છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યું છે.
ભાટિયાએ કહ્યું કે, 'તેમણે આશરે 41 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જેઓ નાસતા ફરતા હતા અથવા પેરોલ પર છુટીને ભાગી ગયા હતા અથવા પોલીસ કસ્ટડીમાંથી નાસી ગયા હતા. ઝડપાયેલા આરોપીઓમાંથી 9 પેરોલ પર છુટ્યા બાદ નાસતા ફરતા હતા, 6 હત્યાના આરોપીઓ હતા, એક રેપનો આરોપી હતો અને બે સગીર છોકરીઓના અપહરણમાં સંડોવાયેલા હતા'
આ જ રીતે વચગાળાના જામીન બાદ ઝડપાયેલા 17 આરોપીઓમાંથી 16 હત્યાના આરોપી છે અને એક બળાત્કારનો આરોપી પણ છે. એક આરોપી પોલીસ કસ્ટડીમાંથી સરળતાથી ભાગી ગયો હોવાનું ભાટિયાએ જણાવ્યું હતું.
આંકડા પ્રમાણે, સુરેન્દ્રનગરમાંથી આવા 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે રાજકોટ રેન્જમાંથી 11 ઝડપાયા છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ભદ્રનની પોસ્ટિંગ પહેલા જામનગર પોલીસે આવા 4 આરોપીઓની ધરપકડ કરી હતી'.