ફાર્મસી કાઉન્સિલના સભ્યોના રાજીનામાની પણ માગણી
નવગુજરાત સમય > અમદાવાદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ શબ્દનો ઉપયોગ કરે છે જયારે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બહાર પડાયેલી ભરતીઓમાં કમ્પાઉન્ડર શબ્દ વાપરવામાં આવતા ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ તેની સામે વિરોધ નોંધાવતા ડિગ્રી પરત આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે મેઘાણીનગર ખાતે ફાર્મસી કાઉન્સિલની કચેરીમાં મહામંત્રી દ્વારા તેમની ડીગ્રી પાછી આપવામાં આવી હતી. તે સાથે ફાર્માસિસ્ટનું મહત્વ ઘટાડવા માટે કાઉન્સિલને જવાબદાર ગણીને તેના ચૂંટાયેલા સભ્યોના રાજીનામાની પણ માગણી કરી હતી.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના મહામંત્રી રજનીકાંત સોલંકીએ તેમનું ફાર્માસિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન રદ કરાવીને ડિગ્રી પરત કરી હતી અને ગુજરાત સરકારની ફાર્માસિસ્ટ પ્રત્યેની ઉપેક્ષાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારના બે વિભાગો ફાર્માસિસ્ટ વચ્ચે કેટલો ભેદભાવ રાખે છે તે બાબત પણ ઉજાગર થવા પામી છે. કમ્પાઉન્ડર શબ્દ હવે કયાંય વપરાતો નથી છતા નવી ભરતીમાં આ શબ્દ વાપરવામાં આવે છે અને લાયકાય ડી. ફાર્મની માગવામાં આવે છે. આ મુદ્દે એસો. દ્વારા પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડિયાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જ પગલા ન લેવાતા જુનિયર ફાર્માસિસ્ટમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
ફાર્મસી કાઉન્સિલની બેદરકારી અંગે પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરી, એપ્રન અને નેઇમ પ્લેટ ફરજીયાત કરાવવાની જવાબદારી તેમજ નીતિ-નિયમ કે કાયદાનો ભંગ કરતા હોય તેમની સામે પગલા લેવાની કાઉન્સિલની જવાબદારી છે છતાં તે નિભાવવામાં સભ્યો નિષ્ફળ ગયા છે. આટલા સમય બાદ ફાર્મસી ઇન્સ્પેક્ટરની પણ નિમણૂક કરી શકયા નથી. જેના કારણે ફાર્માસિસ્ટને ભારે નુકસાન થયું છે તેથી સભ્યોએ રાજીનામુ આપવું જોઇએ તેવી પણ માગણી કરી હતી.
નવગુજરાત સમય > અમદાવાદ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ફાર્માસિસ્ટ શબ્દનો ઉપયોગ કરે છે જયારે જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિ દ્વારા બહાર પડાયેલી ભરતીઓમાં કમ્પાઉન્ડર શબ્દ વાપરવામાં આવતા ફાર્માસિસ્ટ એસોસિએશનના સભ્યોએ તેની સામે વિરોધ નોંધાવતા ડિગ્રી પરત આપવાનું શરૂ કર્યું છે. જેના ભાગરૂપે મેઘાણીનગર ખાતે ફાર્મસી કાઉન્સિલની કચેરીમાં મહામંત્રી દ્વારા તેમની ડીગ્રી પાછી આપવામાં આવી હતી. તે સાથે ફાર્માસિસ્ટનું મહત્વ ઘટાડવા માટે કાઉન્સિલને જવાબદાર ગણીને તેના ચૂંટાયેલા સભ્યોના રાજીનામાની પણ માગણી કરી હતી.
ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશનના મહામંત્રી રજનીકાંત સોલંકીએ તેમનું ફાર્માસિસ્ટ તરીકેનું રજીસ્ટ્રેશન રદ કરાવીને ડિગ્રી પરત કરી હતી અને ગુજરાત સરકારની ફાર્માસિસ્ટ પ્રત્યેની ઉપેક્ષાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકારના બે વિભાગો ફાર્માસિસ્ટ વચ્ચે કેટલો ભેદભાવ રાખે છે તે બાબત પણ ઉજાગર થવા પામી છે. કમ્પાઉન્ડર શબ્દ હવે કયાંય વપરાતો નથી છતા નવી ભરતીમાં આ શબ્દ વાપરવામાં આવે છે અને લાયકાય ડી. ફાર્મની માગવામાં આવે છે. આ મુદ્દે એસો. દ્વારા પંચાયત મંત્રી જયંતિભાઇ કવાડિયાને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ જ પગલા ન લેવાતા જુનિયર ફાર્માસિસ્ટમાં રોષની લાગણી ફેલાવા પામી છે.
ફાર્મસી કાઉન્સિલની બેદરકારી અંગે પણ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મેડીકલ સ્ટોર્સમાં ફાર્માસિસ્ટની હાજરી, એપ્રન અને નેઇમ પ્લેટ ફરજીયાત કરાવવાની જવાબદારી તેમજ નીતિ-નિયમ કે કાયદાનો ભંગ કરતા હોય તેમની સામે પગલા લેવાની કાઉન્સિલની જવાબદારી છે છતાં તે નિભાવવામાં સભ્યો નિષ્ફળ ગયા છે. આટલા સમય બાદ ફાર્મસી ઇન્સ્પેક્ટરની પણ નિમણૂક કરી શકયા નથી. જેના કારણે ફાર્માસિસ્ટને ભારે નુકસાન થયું છે તેથી સભ્યોએ રાજીનામુ આપવું જોઇએ તેવી પણ માગણી કરી હતી.