મોંઘવારી-સરકારના ભ્રષ્ટાચાર સામે આંદોલન આક્રમક બનશે
I am Gujarat6 Jul 2016, 5:42 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujaratમોંઘવારી-સરકારના ભ્રષ્ટાચાર સામે આંદોલન આક્રમક બનશે
કોંગ્રેસ આગામી દિવસોમાં મોંઘવારી અને રાજ્યની ભાજપ સરકારના ભરતી કૌભાંડ સહિતના ભ્રષ્ટાચારના મુદ્દાને લોકો વચ્ચે લઈ જઈ જોરશોરથી ચગાવશે. કોંગ્રેસની પ્રદેશ કારોબારી આગામી ૧૨મી જુલાઈએ અમદાવાદમાં યોજાશે. આ કારોબારીમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ અને પ્રદેશ પ્રભારી ગુરુદાસ કામતની ખાસ ઉપસ્થિતમાં ભાજપ સામેના ભાવિ કાર્યક્રમો ઘડવામાં આવશે.
કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ૧૨ જુલાઈએ અમદાવાદના સિંધુભવન ખાતે બપોરે ૧૧ કલાકે પ્રદેશ કારોબારી યોજાશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ ખાસ ઉપસ્થિત રહીને રાજ્યભરના હોદ્દેદારો-આગેવાનોને માર્ગદર્શન આપે તેવી શક્યતા છે. ગુજરાતના પ્રભારીપદેથી રાજીનામું આપીને પુન: પ્રભારીની જવાબદારી સ્વીકારનારા ગુરુદાસ કામત લાંબા સમય બાદ સૌ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, કારોબારીમાં મુખ્યત્વે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષ-સંગઠનને સક્રિય કરવા માટેના તબક્કાવાર કાર્યક્રમો ઘડી કાઢવામાં આવશે.
જેમાં મોંઘવારી વિરૂદ્ધના આંદોલનને આક્રમક બનાવવા અને રાજ્યની ભાજપ સરકારના ભ્રષ્ટાચારને ઉજાગર કરતા ભરતી કૌભાંડ, જીએસપીસીનું રૂ. ૨૦ હજાર કરોડનું કૌભાંડ વગેરેને રાજ્યની પ્રજા વચ્ચે લઈ જવા માટેના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.