ખેડા જિલ્લાના કઠલાલ ગામમાં પાટીદાર યુવતીએ દલિત યુવક સાથે લવમેરેજ કરતાં ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર, આ ઘટનાના વિરોધમાં કઠલાલમાં બુધવારે સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર, પાટીદાર યુવતી દલિત યુવક સાથે 11મી નવેમ્બરે ભાગી ગઈ હતી.
ચૂંટણીનો બહિષ્કાર કરવાની ધમકી
પાટીદારોએ આ મામલે પોલીસ સામે પણ વિરોધ કર્યો હતો. પાટીદારોનો આક્ષેપ છે કે, પોલીસ આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી રહી. સમાજના લોકો દ્વારા મામલતદારને આ અંગે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, સ્થાનિક પાટીદારોએ એવી ચિમકી પણ ઉચ્ચારી છે કે, જો યુવતીને પાછી લાવી તેના પરિવારજનોને સોંપવામાં નહીં આવે તો તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે.
યુવતી ડોક્ટર, યુવક ભાજપનો નેતા
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રેમ લગ્ન કરનારા પાટીદાર યુવતી અને દલિત યુવક બંને પુખ્ત વયના છે. તેમણે પરિવારજનોની ઈચ્છા વિરુદ્ધ રજિસ્ટર્ડ મેરેજ કરી લીધા હતા. દલિત યુવકને પરણનારી પાટીદાર યુવતી ડોક્ટર છે, જ્યારે દલિત યુવક ભાજપનો કઠલાલ એકમનો અગ્રણી છે તેમ પોલીસે જણાવ્યું હતું.
ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતાં
આ યુગલે ત્રણ મહિના પહેલા જ લગ્ન કરી લીધાં હતાં. જોકે, પરિવારજનોથી તેમણે આ વાત છૂપાવી રાખી હતી. તેમણે લગ્નનું આણંદ જિલ્લાના સોજિત્રામાં રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પાટીદાર આગેવાનો વહીવટી તંત્ર પર આ લગ્નનું રજિસ્ટ્રેશન રદ્દ કરવા દબાણ કરી રહ્યા છે.
કોઈ કેસ દાખલ નથી કરાયો
ખેડા જિલ્લાના એસપી મહિન્દર પ્રતાપસિંહ પવારના જણાવ્યા અનુસાર, પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે આ કપલે ત્રણ મહિના પહેલા લગ્ન કરી લીધા હતા, અને તેનું સોજિત્રામાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, લગ્ન બાદ પણ તેઓ પોતપોતાના ઘેર જ રહેતા હતા, કારણકે આ અંગે જો પરિવારજનોને જાણ થશે તો હોબાળો થશે તેવો તેમને ખ્યાલ હતો. 11 નવેમ્બરના રોજ આ કપલ નાસી ગયું હતું, અને હાલ તેનો કોઈ પત્તો નથી. પોલીસે આ અંગે યુવતીના પરિવારજનોના નિવેદનની સ્ટેશન ડાયરીમાં નોંધ કરી છે, પરંતુ કોઈ કેસ દાખલ નથી કરાયો, કારણકે કપલ પુખ્ત વયનું છે.
પોલીસ યુવક-યુવતીને શોધી રહી છે
હાલ પોલીસ યુવક-યુવતીના મિત્રોનો સંપર્ક સાધીને તેમની ભાળ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી યુવતીના પરિવારજનોને તેનો પત્તો મળી ગયો હોવાની જાણ કરી શકાય. પોલીસનું કહેવું છે કે, પુખ્ત વયના યુવક-યુવતી પોતાની મરજીથી એકબીજા સાથે લગ્ન કરે તો તેમાં કોઈ ગુનો બનતો નથી, જેથી આ અંગે કોઈ કેસ દાખલ નથી કરાયો.
તંત્ર કશું ન કરી શકે
હાલ આ મામલે પાટીદારો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, પરંતુ દલિત સમુદાયે આ અંગે કોઈ વાંધો વ્યક્ત કર્યો નથી. ખેડા જિલ્લાના મામલતદાર કુલદીપ આર્યએ આ અંગે જણાવ્યું હતું કે, યુવક-યુવતીએ પોતાની મરજી અનુસાર લગ્ન કર્યા છે. જો તેમણે એકબીજા સાથે રહેવાનું નક્કી કર્યું હોય તો તેમાં વહીવટી તંત્ર કશું ન કરી શકે.
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.