નવી દિલ્હીઃ ઈન્ડિયન એરફોર્સના વડા એર ચિફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ જણાવ્યું છે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીન આક્રમક બની શકે છે તો ભારત પણ આક્રમક બની શકે છે.
નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી લદાખ સરહદે તણાવ ચાલી રહ્યો છે. ઈન્ડિયન એરફોર્સ તથા ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય એક્સરસાઈઝ 'ડેઝર્ટ નાઈટ-21' દરમિયાન ભદૌરીયાએ જણાવ્યું હતું કે જો તેઓ આક્રમક બની શકે છે તો આપણે પણ આક્રમક બની શકીએ છીએ. અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ.
શું આ પ્રકારની એક્સરસાઈઝ ઈસ્ટર્ન બોર્ડર પર પણ કરવામાં આવશે તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ભદૌરીયાએ કહ્યું હતું કે, દ્વિપક્ષીય એક્સરસાઈઝ તે કોઈ દેશ વિરુદ્ધ નથી હોતી. આ બે દેશો વચ્ચેના સંબંધો અને ક્ષમતાને વધારવા માટે હોય છે.
એરફોર્સમાં અત્યાર સુધીમાં 36માથી આઠ રાફેલ જેટ આવી ગયા છે જે ન્યૂક્લિયર શસ્ત્રો વહન કરવા માટે પણ સક્ષમ છે. ભારતે સપ્ટેમ્બર 2016મા ફ્રાન્સ સાથે 59,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં આઠ રાફેલ આવી ચૂક્યા છે અને આ મહિનાના અંત સુધીમાં બીજા ત્રણ રાફેલ આવશે. આગામી વર્ષ સુધીમાં તમામ જેટ્સ આવી જશે.
નોંધનીય છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા મહિનાઓથી લદાખ સરહદે તણાવ ચાલી રહ્યો છે. ઈન્ડિયન એરફોર્સ તથા ફ્રેન્ચ એર એન્ડ સ્પેસ ફોર્સ વચ્ચે ચાલી રહેલી દ્વિપક્ષીય એક્સરસાઈઝ 'ડેઝર્ટ નાઈટ-21' દરમિયાન ભદૌરીયાએ જણાવ્યું હતું કે જો તેઓ આક્રમક બની શકે છે તો આપણે પણ આક્રમક બની શકીએ છીએ. અમે સંપૂર્ણ રીતે સજ્જ છીએ.
શું આ પ્રકારની એક્સરસાઈઝ ઈસ્ટર્ન બોર્ડર પર પણ કરવામાં આવશે તે અંગે પૂછાયેલા સવાલના જવાબમાં ભદૌરીયાએ કહ્યું હતું કે, દ્વિપક્ષીય એક્સરસાઈઝ તે કોઈ દેશ વિરુદ્ધ નથી હોતી. આ બે દેશો વચ્ચેના સંબંધો અને ક્ષમતાને વધારવા માટે હોય છે.
એરફોર્સમાં અત્યાર સુધીમાં 36માથી આઠ રાફેલ જેટ આવી ગયા છે જે ન્યૂક્લિયર શસ્ત્રો વહન કરવા માટે પણ સક્ષમ છે. ભારતે સપ્ટેમ્બર 2016મા ફ્રાન્સ સાથે 59,000 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં આઠ રાફેલ આવી ચૂક્યા છે અને આ મહિનાના અંત સુધીમાં બીજા ત્રણ રાફેલ આવશે. આગામી વર્ષ સુધીમાં તમામ જેટ્સ આવી જશે.