નવી દિલ્હીઃ ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાન પર આકરો પ્રહાર કર્યો હતો. વિદેશ મંત્રીએ કહ્યું કે પાકિસ્તાન દ્વારા પ્રેરિત ‘આતંકનો સૌથી મોટો ઉદ્યોગ’ ભારતને ‘સારો પાડોશી’ બનતા રોકે છે. લંડનમાં આયોજીત યુકે-ઈન્ડિયા વીકના લીડર્સ સમિટને નવી દિલ્હીથી લાઈવ વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતા ભારતના વિદેશમંત્રીએ આ વાત કરી હતી. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો ‘સમગ્ર દુનિયા થઈ રહી છે પ્રભાવિત’ આ દરમિયાન તેમણે કહ્યું કે આજે પાકિસ્તાન ઘણુંબધું એવું કરી રહ્યું છે, જેથી બ્રિટન સહિત સમગ્ર દુનિયા પ્રભાવિત થઈ રહી છે. તેમણે કહ્યું કે,’આતંકના મોટા ઉદ્યોગને પાકનું સમર્થન મળી રહ્યું છે કારણકે તેઓ પોતાના પાડોશી વિરુદ્ધ હથિયાર તરીકે તેનો ઉપયોગ કરે છે. હવે આ ભારતને મંજૂર નથી. ભારતની સાથે દુનિયાના અનેક દેશ પ્રભાવિત થઈ રહ્યાં છીએ.’ ‘ભારત સામે છે પડકાર’ જયશંકરે કહ્યું કે,’મને નથી લાગતું કે દુનિયામાં ક્યાંય પણ એવો દેશ છે, જ્યાં આતંકવાદને ઉદ્યોગની જેમ વિકસવા પ્રેરણા અપાતી હોય.’ તેમણે એ પણ કહ્યું કે ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો પરંતુ પાકિસ્તાન તેનો ફાયદો ઉઠાવવામાં પણ અસમર્થ રહ્યું. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી દક્ષિણ એશિયાનો કેન્દ્રિય મુદ્દો છે, જોકે, પાકિસ્તાન ભારતના કારણે તેનો વિરોધ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે,’આવામાં પડકાર એ છે કે એક દેશ જે આતંકનું સમર્થન કરે છે. સામાન્ય વેપારની ના પાડે છે. કનેક્ટિવિટીનો વિરોધ કરે છે. ભારત એવા કોઈપણ દેશ સાથે કેવી રીતે કામ કરી શકે છે?’ ‘આ કોઈ સરળ પડકાર નથી’ તેમણે કહ્યું કે,’આ કોઈ સરળ પડકાર નથી. અમે ઘણાં વર્ષોથી સંઘર્ષ કરી રહ્યાં છે. આ એવો પડકાર નથી જેની સામે અમે એકલા ઝઝૂમી રહ્યાં છીએ, જોકે, આ કોઈ એવો પડકાર પણ નથી કે જેનો સામનો ભારતે એકલા જ કરવો જોઈએ.’ વિદેશમંત્રીએ કહ્યું કે તેમના વિચાર સકારાત્મક નથી અને માત્ર ભારત-પાકિસ્તાનના સંબંધો સારા થાય તો પણ ખુશી થશે. પરંતુ આજનો સમય જોવામાં આવે તો ભારત માટે સૌથી મોટો પડકાર છે. ‘ભારતને જોઈએ દુનિયાનો સાથ’ વિદેશમંત્રીએ કહ્યું કે ભારત આ મુદ્દે દુનિયાનો સાથ ઈચ્છે છે. જેથી પાકિસ્તાન પર દબાણ બનાવી શકાય અને યોગ્ય પગલું ઉઠાવી શકાય. આંતરરાષ્ટ્રીય જગતને પણ એ જોવું જોઈએ કે તેઓ આ મુદ્દે દૂર ન ભાગે. કોઈ સ્પષ્ટતા ન આપે અને રાજનૈતિક સુવિધા માટે કોઈ સંતુલનાત્મક રમત રમે.