નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લૉકડાઉનમાં ફસાયેલા લોકોને આવન-જાવન માટે પરવાનગી આપી દીધી છે. આની સાથે જ દેશભરમાં ફસાયેલા મજૂરો, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને તેમના પરિવારજનોનો પોતપોતાના ઘરે જવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આવો 10 પૉઈન્ટ્સમાં સમજીએ કે, જો તમે પણ દેશના કોઈ ખૂણામાં ફસાયા હોચ અને ઘરે પહોંચવા માગતા હોય તો શું કરવું પડશે…
1. જાતે નહીં કરી શકો વ્યવસ્થા
સૌથી પહેલા ધ્યાન રાખો કે, કેન્દ્ર સરકાર ફસાયેલા લોકોને આવવા-જવાની પરવાનગી નથી આપી પરંતુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમને લાવવા અને લઈ જવાની પરવાનગી આપી છે. આનો મતલબ એ છે કે, જો તમે ક્યાંક ફસાયા છો તો તમે પોતાની રીતે ઘરે જવાની વ્યવસ્થા કરી શકતા નથી.
2. રાજ્ય બહાર ફસાયા હોય તો…
આદેશ અનુસાર, જો તમે પોતાના રાજયની બહાર કોઈ અન્ય પ્રદેશમાં ફસાયા છો તો તમારે પોતાના રાજ્ય તરફથી મોકલવામાં આવતી બસોની રાહ જોવી પડશે.
3. કેન્દ્ર સરકારનો આદેશ
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું કે, પ્રદેશ સરકારો બસોથી પોતાના નાગરિકોને લઈ જઈ શકે છે અથવા તો બીજા પ્રદેશના નાગરિકોને ત્યાંથી બસોમાં મોકલી શકે છે.
4. ટ્રેનોની વ્યવસ્થા નહીં, આવી જ બસોમાં જઈ શકશો
ધ્યાન રાખો કે, તમારી આવન-જાવન માટે ટ્રેનો શરૂ નહીં કરાય. એટલે કે, તમારે માત્રને માત્ર બસ અને તે પણ માત્ર પ્રદેશ સરકારો તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી બસો પર જ નિર્ભર રહેવું પડશે.
5. આ વાતનું ખાસ ધ્યાન રાખો
જો તમારા ગૃહ પ્રદેશની સરકારે તમારે ત્યાં બસો મોકલવાનો નિર્ણય લીધો છે તો તમારે તે લોકલ નોડલ ઑથોરિટીની તપાસ કરવાની રહેશે જ્યાં તમે ઘરે જવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો. આદેશની કૉપીમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે, સરકારો નોડલ ઑથોરિટી દ્વારા જનારાઓનું રજિસ્ટ્રેશન કરાવશે.
6. કોરોનાના લક્ષણ નહીં હોય તો જ જઈ શકશો
એક વાત સમજી લો કે જો તમારા કોરોનાના સંક્રમણના કોઈ લક્ષણ નથી તો જ તમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. તમારું સ્વાસ્થ્ય સારું છે કે કેમ તેની તપાસ ત્યારે થશે જ્યારે તમે રજિસ્ટ્રેશન કરાવશો.
7. પ્રદેશ સરકારની બસમાં બેસાડાશે
તપાસમાં બિલકુલ તંદુરસ્ત હોવાનું જણાયા બાદ તમને ઘરે જવાની પરવાનગી આપી દેવાશે. તમારે પોતાના પ્રદેશ સરકાર તરફથી મોકલવામાં આવેલી બસ અથવા ત્યાંની સરકાર તરફથી તમારા પ્રદેશમાં જનારી બસમાં બેસાડવામાં આવશે.
8. બસમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવું
બસમાં પણ તમારે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. એટલે કે, તમારે ત્યાં પણ અન્ય વ્યક્તિઓથી દૂર બેસવું પડશે અને મુસાફરી દરમિયાન કોઈ સાથે હળવા-મળવાનું નહીં રહે.
9. ઘરે જઈને અલગ રહેવું પડશે
જો તમે એમ વિચારી રહ્યાં હોય કે, ઘરે પહોંચતા તમે બધા સાથે હળી-મળી શકશો તો આ ગેરસમજ છે. બસમાંથી ઉતરતા જ તમારો હેલ્થ ચેકઅપ થશે. જો બધું બરાબર રહ્યું તો તમને કહેવામાં આવશે કે, આગામી થોડા દિવસો સુધી હોમ ક્વોરન્ટિનમાં રહો. તમને ઘરમાં જ રહેવાની પરવાનગી મળશે પણ પરિવારના સભ્યોથી અંતર જાળવીને.
10. જો સ્વાસ્થ્ય બગડ્યું તો…
જો બસમાંથી ઉતરતી વખતે તમારા સ્વાસ્થ્યમાં કંઈ ગડબડ દેખાઈ તો તમારે ત્યાંથી સીધું હોસ્પિટલ અથવા સ્વાસ્થ્ય કેન્દ્રમાં જવું પડશે. બાદમાં સમયાંતરે તમારી તપાસ કરવામાં આવશે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.