નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કરી સીનિયર વકીલ પ્રશાંત ભૂષણ સામે મંગળવારે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે ભૂષણની સાથે-સાથે ટ્વીટર ઈન્ડિયા સામે પણ આ જ એક્શન લીધા છે. મામલાની સુનાવણી 22 જુલાઈએ થશે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial
ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, પ્રશાંત ભૂષણ સામે સુપ્રીમ કોર્ટે આ એક્શન તેમના કોર્ટ વિરુદ્ધ કથિત અપમાનજક ટ્વિટ્સને કારણે લીધા છે. સુપ્રીમ કોર્ટે કોર્ટેના જજ જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારી બુધવારે (21 જુલાઈએ) આ કેસની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટના રેકોર્ડસ મુજબ, મંગળવારે બપોરે 3.48 કલાકે ભૂષણ અને ટ્વીટર ઈન્ડિયા સામે સુઓ મોટોથી SMC (Cr)1/2020 નંબરનો કેસ દાખલ કર્યો છે.
પ્રશાંત ભૂષણ કોર્ટની સતત ટીકા કરતા રહ્યા છે. તેઓ કોવિડ1-9 મહામારીમાં પ્રવાસી મજૂરોની દુર્દશા સાથે સંલગ્ન અરજીઓ પર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનો વિરોધ કરવામાં આગળ રહ્યા છે અને તેનો ટીકાઓ કરતા રહ્યા. 27 જૂને એક ટ્વીટમાં પ્રશાંત ભૂષણે લખ્યું હતું કે, ‘જ્યારે ભવિષ્યમાં ઈતિહાસકાર એ જોવા માટે છેલ્લા 6 વર્ષ પર નજર નાખશે કે કેવી રીતે ઈમરજન્સીની ઔપચારિક જાહેરાત વિના ભારતમાં લોકશાહીને કચડી દેવાઈ છે તો તે આ બરબાદીમાં સુપ્રીમ કોર્ટની ભૂમિકાનો ખાસ ઉલ્લેખ કરશે અને ખાસ કરીને છેલ્લા ચાર મુખ્ય ન્યાયાધીશોની ભૂમિકાનો.’
તેમણે જેલમાં બંધ ભીમા કોરેગાંવની ઘટનાના આરોપીઓ વર્વરા રાવ અને સુધા ભારદ્વાજની સારવારને લઈને પણ ઉગ્ર નિવેદનો આપ્યા હતા. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, પ્રશાંત ભૂષણની કઈ-કઈ ટ્વીટ્સને સુપ્રીમ કોર્ટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ અંતર્ગત રાખી. રેકોર્ડસમાં પણ તેની જાણકારી નથી આપવામાં આવી કે, સુપ્રીમ કોર્ટે બંને વિરુદ્ધ આ કાર્યવાહી કેમ કરી છે?