નવી દિલ્હી
સુબ્રમણ્યમ સ્વામી ક્યારે કોને નિશાના પર લે છે તેની કોઈને ખબર નથી હોતી. આવી જ ઘટના ત્યારે બની જ્યારે રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ-કાશ્મીર સરકારની પીડીપી-ભાજપ ગઠબંધનને ફેસ ગણાવી છે. સ્વામીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સરકારને બરતરફ કરી દેવી જોઈએ અને પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.
ઈન્ડિયા ટુડેના માઈન્ડ રોક સમિટમાં બોલતા સ્વામીએ જમ્મુ-કાશ્મીર સરકારના મામલે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. સ્વામી ખીણ વિસ્તારમાં સતત થઈ રહેલી હિંસાના સંદર્ભમાં બોલી રહ્યા હતા. સ્વામીએ આરોપ લગાવ્યો કે પીડીપી-ભાજપના ગઠબંધનનો પ્રયોગ ફેલ થયો છે. સ્વામીએ અહીં એ પણ કહ્યું કે ખીણમાં પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે સેનાનો પ્રયોગ જરૂરી થઈ ગયો છે.
સ્વામીએ કહ્યું, ‘શરૂઆતમાં અમે, ભાજપ સરકારે વિચાર્યું હતું કે અમને જમ્મુ અને લદ્દાખમાં જીત મળી છે અને પીડીપીને કાશ્મીરમાં, એવામાં અમે પ્રયોગ કરવો જોઈએ. પરંતુ હવે મને અને ઘણાં બધાને એવું લાગે છે કે પ્રયોગ ફેલ થઈ ગયો. (મહેબુબા મુફ્તી સરકાર) સરકારને માત્ર રાજીનામું ન આપવું જોઈએ, પણ આ સરકારને બરતરફ કરી દેવી જોઈએ.’
સ્વામીની સાથે કાર્યક્રમમાં આ ખાસ સત્રમાં અસદુદ્દીન ઓવૈસી પણ હતા. બન્નેની વચ્ચે તીખી આર્ગ્યુમેન્ટ્સ થઈ. સ્વામીએ ઓવૈસી પર ‘રાષ્ટ્ર વિરોધી’ હોવાનો આરોપ લગાવ્યો. સ્વામીની આ વાત પર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ તાળીઓ વગાડી. ઉપસ્થિત લોકો તિરંગો ફરકાવતા જોવા મળ્યા.
કાર્યક્રમમાં આયોજકોએ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સત્ર શરૂ થતા પહેલા લોકોને તિરંગા વહેચ્યા હતા. સ્વામીએ કહ્યું કે આધુનિક વિજ્ઞાન મુજબ ભારતના મુસલમાનોના પૂર્વજ હિન્દુ હતા. તેમણે કહ્યું, ‘જો મુસલમાન આ વાત સ્વીકાર કરવા તૈયાર નથી, તો દેશબક્ત તો હોઈ શકે, પણ તેમને રાષ્ટ્ર દ્રોહી કહેવાશે. ઓવૈસી રાષ્ટ્ર-વિરોધી છે.’
સુબ્રમણ્યમ સ્વામી ક્યારે કોને નિશાના પર લે છે તેની કોઈને ખબર નથી હોતી. આવી જ ઘટના ત્યારે બની જ્યારે રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જમ્મુ-કાશ્મીર સરકારની પીડીપી-ભાજપ ગઠબંધનને ફેસ ગણાવી છે. સ્વામીએ કહ્યું કે જમ્મુ કાશ્મીરની સરકારને બરતરફ કરી દેવી જોઈએ અને પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ.
ઈન્ડિયા ટુડેના માઈન્ડ રોક સમિટમાં બોલતા સ્વામીએ જમ્મુ-કાશ્મીર સરકારના મામલે પોતાની પ્રતિક્રિયા રજૂ કરી. સ્વામી ખીણ વિસ્તારમાં સતત થઈ રહેલી હિંસાના સંદર્ભમાં બોલી રહ્યા હતા. સ્વામીએ આરોપ લગાવ્યો કે પીડીપી-ભાજપના ગઠબંધનનો પ્રયોગ ફેલ થયો છે. સ્વામીએ અહીં એ પણ કહ્યું કે ખીણમાં પ્રદર્શનકારીઓને શાંત કરવા માટે સેનાનો પ્રયોગ જરૂરી થઈ ગયો છે.
સ્વામીએ કહ્યું, ‘શરૂઆતમાં અમે, ભાજપ સરકારે વિચાર્યું હતું કે અમને જમ્મુ અને લદ્દાખમાં જીત મળી છે અને પીડીપીને કાશ્મીરમાં, એવામાં અમે પ્રયોગ કરવો જોઈએ. પરંતુ હવે મને અને ઘણાં બધાને એવું લાગે છે કે પ્રયોગ ફેલ થઈ ગયો. (મહેબુબા મુફ્તી સરકાર) સરકારને માત્ર રાજીનામું ન આપવું જોઈએ, પણ આ સરકારને બરતરફ કરી દેવી જોઈએ.’
સ્વામીની સાથે કાર્યક્રમમાં આ ખાસ સત્રમાં અસદુદ્દીન ઓવૈસી પણ હતા. બન્નેની વચ્ચે તીખી આર્ગ્યુમેન્ટ્સ થઈ. સ્વામીએ ઓવૈસી પર ‘રાષ્ટ્ર વિરોધી’ હોવાનો આરોપ લગાવ્યો. સ્વામીની આ વાત પર કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ પણ તાળીઓ વગાડી. ઉપસ્થિત લોકો તિરંગો ફરકાવતા જોવા મળ્યા.
કાર્યક્રમમાં આયોજકોએ જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં આ સત્ર શરૂ થતા પહેલા લોકોને તિરંગા વહેચ્યા હતા. સ્વામીએ કહ્યું કે આધુનિક વિજ્ઞાન મુજબ ભારતના મુસલમાનોના પૂર્વજ હિન્દુ હતા. તેમણે કહ્યું, ‘જો મુસલમાન આ વાત સ્વીકાર કરવા તૈયાર નથી, તો દેશબક્ત તો હોઈ શકે, પણ તેમને રાષ્ટ્ર દ્રોહી કહેવાશે. ઓવૈસી રાષ્ટ્ર-વિરોધી છે.’