નવી દિલ્હી: ચંદ્રયાન-2 ચંદ્રની સપાટીથી માંડ 2.1 કિમી દૂર હતું ત્યારે જ તે પોતાનો રસ્તો ભટકી ગયું હતું. હવે તે મળી તો આવ્યું છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. ઓર્બિટર દ્વારા લેવયાયેલી થર્મલ ઈમેજથી વિક્રમ લેન્ડરનું ચોક્કસ લોકેશન તો મળી ગયું છે, તે સિંગલ પીસમાં હોવાનું પણ ઈસરોએ જાહેર કર્યું છે. જોકે, હવે લેન્ડર સાથે સંપર્ક થઈ શકશે કે કેમ, રોવર પ્રજ્ઞાનનું શું થશે તે સહિતના 10 સવાલોએ ઈસરોના વૈજ્ઞાનિકોને ટેન્શનમાં મૂકી દીધા છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
વિક્રમ લેન્ડ કરી રહ્યું હતું ત્યારે ગડબડ થઈ?
1,471 કિલોનું વિક્રમ લેન્ડર રાત્રે 1.38 કલાકે ચંદ્ર પર ઉતરી રહ્યું હતું. તે વખતે તેની સ્પીડ ખૂબ જ વધારે હતી. તેના ચાર એન્જિનને સ્ટાર્ટ કરવામાં આવ્યા, જેમણે તેની સ્પીડ ઘટાડી. લેન્ડર ચંદ્રની સપાટી પરથી 5 કિમી દૂર હતું ત્યારે તે થોડું પોતાના ટ્રેક પરથી આડું અવળું થયું હતું. જોકે, તે તરત જ ટ્રેક પર આવી ગયું હતું. જોકે, થોડું વધુ નીચે ઉતર્યા બાદ કંઈક એવું બન્યું કે તેની સાથેનો સંપર્ક તૂટી ગયો.
વિક્રમને નથી થયું કોઈ નુક્સાન
ઈસરોએ જાહેરાત કરી છે કે, વિક્રમ લેન્ડર સિંગલ પીસમાં છે એટલે કે ક્રેશ લેન્ડિંગની આશંકા વચ્ચે પણ તે તૂટ્યું નથી. જોકે, તેના ઈક્વિપમેન્ટ્સને કોઈ ડેમેજ થયું છે કે કેમ તે માહિતી નથી મળી શકી. આ સ્થિતિમાં તેને બીજું કોઈ ડેમેજ થયું છે કે નહીં, તેની અંદર રહેલું પ્રજ્ઞાન કેવી હાલતમાં છે તે જાણકારી બહાર આવવાની હજુ બાકી છે.
લેન્ડરના નુક્સાનને ઠીક કરી શકાશે?
એક એક્સપર્ટે અમારી સાથી ન્યૂઝ ચેનલ ટાઈમ્સ નાઉ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાર્ડ લેન્ડિગં બાદ પણ જો તે ચંદ્રની સપાટી પર સીધું હશે, ને તેના ઈક્વિપમેન્ટને કોઈ નુક્સાન નહીં થયું હોય તો ફરી સંપર્ક થવાની શક્યતા વધી જાય છે. ઉલ્લેખનીય છે કે, આ લેન્ડરની અંદર જ રોવર પ્રજ્ઞાન છે, જેને સોફ્ટ લેન્ડિંગ બાદ ચંદ્ર પર ઉતરવાનું હતું, અને તેની સપાટી પર ચાલવાનું હતું.
સંપર્ક થવાની આશા ક્યાં સુધી?
ઈસરો ચીફ સિવનનું માનીએ તો, લેન્ડરને જાતે જ જગ્યા શોધીને ઉતરવાનું હતું, તે દરમિયાન તેને ઈસરો સેન્ટર તરફથી કોઈ કમાન્ડ નહોતો મળવાનો. આ દરમિયાન જ કંઈક ગડબડ થઈ, અને તે પોતાના ટ્રેક પરથી હટી ગયું. ઉતરવાની આખરી સેકન્ડોમાં લેન્ડરે યોગ્ય રીતે કામ ન કર્યું, તેના કારણે જ તેની સાથેનો સંપર્ક કપાઈ ગયો, જે હજુ સુધી શરુ થઈ શક્યો નથી. વિક્રમ સાથે સંપર્ક સાધવા 14 દિવસ સુધી કોશીશ કરવામાં આવશે.
કેમ થયું હાર્ડ લેન્ડિંગ?
સ્પેસ સાયન્સમાં હાર્ડ લેન્ડિંગનો ઉલ્લેખ ત્યારે કરાય છે જ્યારે સ્પેરક્રાફ્ક કે બીજું કોઈ ઉપકરણ વર્ટિકલ સ્પીડમાં વધુ તાકાતથી સપાટી સાથે અથડાયું હોય. સોફ્ટ લેન્ડિંગ કે નોર્મલ લેન્ડિંગમાં સ્પેસક્રાફ્ટ કે ઉપકરણ ધીમી અને નિયંત્રિત ગતિથી સપાટી પર ઉતરે છે, જેથી તેને કોઈ નુક્સાન ન થાય. ઈસરોને હવે તે શોધવાનું છે કે આખરે કઈ સ્થિતિમાં લેન્ડરને હાર્ડ લેન્ડિંગ કરવું પડ્યું.
વિક્રમના ટ્રાન્સપોન્ડરનું શું થશે?
બીજી તરફ, ઈસરોના એક સૂત્રએ જણાવ્યું હતું કે, હજુ એ શોધવાનું પણ બાકી છે કે વિક્રમમાં રખાયેલા ટ્રાન્સપોન્ડરની હાલ શું સ્થિતિ છે. તે સુરક્ષિત હાલતમાં છે કે નહીં.
શું ભેદી કારણોથી ભૂલું પડ્યું લેન્ડર?
ડેટા એનાલિસિસ કરી રહેલા એક વરિષ્ઠ વૈજ્ઞાનિકનું માનીએ તો, પ્રાકૃતિક ઘટના કે ભેદી કારણને ધ્યાનમાં રાખીને પણ તપાસ કરાઈ રહી છે. વૈજ્ઞાનિકો દરેક એંગલને ધ્યાનમાં રાખીને ડેટા એનાલિસિસ કરી રહ્યા છે.
ઓર્બિરટ ક્યાં સુધી કામ કરશે?
ચંદ્રની પરિક્રમા કરી રહેલું ઓર્બિટર સાડા સાત વર્ષ સુધીની લાઈફ ધરાવે છે. તે હાઈ રિઝોલ્યૂશન તસવીરો મોકલશે જે ચંદ્રના રહસ્યને સમજવામાં મદદ કરશે. ત્યાં મોજૂદ ખનીજોની ઓળખ કરવામાં પણ તેનાથી આસાની રહેશે. આ ઉપરાંત, ધ્રુવીય ક્ષેત્રોમાં પાણી શોધવામાં પણ મદદ મળી શકે છે. ચંદ્રનો એક નક્શો પણ તેનાથી તૈયાર કરાશે જે આગળના મિશનોમાં ખૂબ જ કામ આવશે.
રોવર પ્રજ્ઞાનનું શું થશે?
વિક્રમ લેન્ડર સાથે તેની અંદર રહેલા પ્રજ્ઞાન રોવરના ભવિષ્ય પર પણ સૌની નજર છે. અગાઉનો પ્લાન એવો હતો કે રોવર પ્રજ્ઞાન વિક્રમ લેન્ડરમાંથી બહાર આવીને 14 દિવસ ટલે કે 1 લ્યૂનર ડેના પોતાના જીવનકાળ દરમિયાન 500 મીટર સુધી ચંદ્રની સપાટી પર ચાલવાનું હતું. તેનું કામ ચંદ્રની સપાટીની તસવીરો અને વિશ્લેષણના યોગ્ય આંકડા એકઠા કરવાનું હતું. તે વિક્રમ અને ઓર્બિટર દ્વારા 15 મિનિટમાં ધરતીને કોઈપણ માહિતી મોકલી શકે તેમ હતું. 27 કિલો વજન ધરાવતું પ્રજ્ઞાન 6 પૈડાવાળું એક રોબોટિક વાહન છે.
આગામી 12 દિવસ મહત્વના કેમ?
ચંદ્રયાન 2નું ઓર્બિટર સંપૂર્ણપણે ઠીક છે, અને તે 100 કિમીની ઉંચાઈ પરથી ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. તે સાડા સાત વર્ષ સુધી એક્ટિવ રહેશે અને ધરતી પર ચંદ્રની હાઈ રિઝોલ્યુશન તસવીરો તેમજ મહત્વનો ડેટા મોકલશે. તેના પર કેમેરા સહિત 7 ઉપરકરણો લગાવાયા છે. તેના કેમેરા અત્યારસુધીના કોઈપણ મૂન મિશનમાં ન વપરાયા હોય તેવા શક્તિશાળી છે. ઓર્બિટર આગામી બે દિવસમાં જ તે લોકેશન પરથી પસાર થશે, જ્યાં વિક્રમ લેન્ડર સાથેનો સંપર્ક તૂટ્યો હતો. હવે તે અહીંથી પસાર થશે ત્યારે હાઈ રિઝોલ્યૂશન તસવીર લઈ શકે છે. આગામી 12 દિવસમાં લેન્ડરની સ્થિતિને લઈને તમામ સવાલોનો જવાબ મળી જશે.
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.