નવગુજરાત સમય > અમદાવાદ
સામાન્ય રીતે જૈન તીર્થોની પ્રત્યક્ષ યાત્રા માટે ઘણો સમય જતો રહે છે, પરંતુ ભાવયાત્રા તમને અહીં જ થઇ શકે છે. આ ચાતુર્માસ દરમિયાન રાજનગર એવા અમદાવાદ ખાતે સોલારોડ જૈન સંઘ ખાતે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રત્યેક રવિવારે યુવા શિબિર અંતર્ગત અનેક તીર્થોની ભાવયાત્રા પણ કરાવાય છે. ગિરનારજીથી લઇને અષ્ટાપદ તીર્થની ભાવયાત્રા પણ આ ઓગસ્ટમાં થશે. તા.૩૧મી જુલાઇ, રવિવારે કુલપાકજી મહાતીર્થની ભાવયાત્રા અને૧૪મી ઓગસ્ટના રોજ અષ્ટાપદજી તીર્થની ભાવયાત્રા થશે.
ગણિવર્ય વિતરાગયશવિજયજી મ.સા.એ જણાવ્યું કે ભાવયાત્રામાં એવી મસ્તી જાગે છે કે દેશ અને કાળનું ભાન ભૂલીનો સૌ ગીત-સંગીતની સાથે યાત્રામાં મસ્ત બની જાય છે. આ ભાવયાત્રા અંતર્ગત તા.૩૧મી જુલાઇના રોજ કુલપાકજી મહાતીર્થની ભાવયાત્રા થશે. તા.૭ ઓગસ્ટના રોજ ગિરનારજી મહાતીર્થની ભાવયાત્રા થશે. તા.૧૪મી ઓગસ્ટના રોજ અષ્ટાપદજી મહાતીર્થની ભાવયાત્રા યોજાશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં આ અષ્ટાપદજી મહાતીર્થ કે જેનું સંશોધન કરવા માટે અનેક મહાનુભાવો તનતોડ મહેનત કરી રહ્યા છે. આ અષ્ટાપદજી તીર્થમાં ૨૪ તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ આ તીર્થનું નિર્માણ કર્યું. એવું કહેવાય છે કે હિમાલયની ગોદમાં આ તીર્થનું અસ્તિત્વ છે. આ રવિવારે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ ‘શાસનનો યુવાન અને યુવાનનું શાસન’ આ વિષય ઉપર પ્રવચન ફરમાવતા જણાવ્યું કે જે યુગને બદલી શકે તે યુવાન કહેવાય છે અને જે યુગને વાળી શકે છે, તે યુવાન છે.
યુવાજીવનને સફળ બનાવવા શું કરવું જોઈએ? જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ યુવાજીવનને સફળ બનાવવા માટે છ સૂત્રો બતાવ્યા છે : ૧.વફાદારી, ૨.બ્રહ્મચારી, ૩. પ્રજ્ઞાધારી, ૪.પ્રામાણિકતાધારી, ૫. દૃઢનિશ્ચયધારી અને ૬.વક્તૃત્ત્વધારી.
સામાન્ય રીતે જૈન તીર્થોની પ્રત્યક્ષ યાત્રા માટે ઘણો સમય જતો રહે છે, પરંતુ ભાવયાત્રા તમને અહીં જ થઇ શકે છે. આ ચાતુર્માસ દરમિયાન રાજનગર એવા અમદાવાદ ખાતે સોલારોડ જૈન સંઘ ખાતે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ્રત્યેક રવિવારે યુવા શિબિર અંતર્ગત અનેક તીર્થોની ભાવયાત્રા પણ કરાવાય છે. ગિરનારજીથી લઇને અષ્ટાપદ તીર્થની ભાવયાત્રા પણ આ ઓગસ્ટમાં થશે. તા.૩૧મી જુલાઇ, રવિવારે કુલપાકજી મહાતીર્થની ભાવયાત્રા અને૧૪મી ઓગસ્ટના રોજ અષ્ટાપદજી તીર્થની ભાવયાત્રા થશે.
ગણિવર્ય વિતરાગયશવિજયજી મ.સા.એ જણાવ્યું કે ભાવયાત્રામાં એવી મસ્તી જાગે છે કે દેશ અને કાળનું ભાન ભૂલીનો સૌ ગીત-સંગીતની સાથે યાત્રામાં મસ્ત બની જાય છે. આ ભાવયાત્રા અંતર્ગત તા.૩૧મી જુલાઇના રોજ કુલપાકજી મહાતીર્થની ભાવયાત્રા થશે. તા.૭ ઓગસ્ટના રોજ ગિરનારજી મહાતીર્થની ભાવયાત્રા થશે. તા.૧૪મી ઓગસ્ટના રોજ અષ્ટાપદજી મહાતીર્થની ભાવયાત્રા યોજાશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં આ અષ્ટાપદજી મહાતીર્થ કે જેનું સંશોધન કરવા માટે અનેક મહાનુભાવો તનતોડ મહેનત કરી રહ્યા છે. આ અષ્ટાપદજી તીર્થમાં ૨૪ તીર્થંકર પરમાત્મા બિરાજમાન છે. પ્રથમ ચક્રવર્તી ભરત મહારાજાએ આ તીર્થનું નિર્માણ કર્યું. એવું કહેવાય છે કે હિમાલયની ગોદમાં આ તીર્થનું અસ્તિત્વ છે. આ રવિવારે જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ ‘શાસનનો યુવાન અને યુવાનનું શાસન’ આ વિષય ઉપર પ્રવચન ફરમાવતા જણાવ્યું કે જે યુગને બદલી શકે તે યુવાન કહેવાય છે અને જે યુગને વાળી શકે છે, તે યુવાન છે.
યુવાજીવનને સફળ બનાવવા શું કરવું જોઈએ? જૈનાચાર્ય રાજયશસૂરીશ્વરજી મ.સા.એ યુવાજીવનને સફળ બનાવવા માટે છ સૂત્રો બતાવ્યા છે : ૧.વફાદારી, ૨.બ્રહ્મચારી, ૩. પ્રજ્ઞાધારી, ૪.પ્રામાણિકતાધારી, ૫. દૃઢનિશ્ચયધારી અને ૬.વક્તૃત્ત્વધારી.