એપશહેર

‘ચિકનગુનિયા સ્ટ્રેનમાં બદલાવ આવ્યો હોવાથી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ વધ્યા’

I am Gujarat 25 Sep 2016, 11:53 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat change in chickengunya strain is causing neurological problems
‘ચિકનગુનિયા સ્ટ્રેનમાં બદલાવ આવ્યો હોવાથી ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ વધ્યા’


વર્ષ ૨૦૦૭ પહેલા ચિકનગુનિયાનુ કોઈ નામ પણ જાણતું નહોતું, પણ એકાએક તેમાં સપડાયેલા સંખ્યાબંધ દર્દીઓના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તાજેતરમાં ચિકનગુનિયાના કારણે ન્યુરોલોજિકલ ડિસોર્ડર વધી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જાણીતા ન્યુરોફિઝિશિયન ડૉ. સુધિરભાઈ શાહે કહ્યું કે, ચિકનગુનિયાના મુખ્યત્વે માઈલ્ડ, મોડરેટ અને સિવિયર એમ ત્રણ પ્રકારો છે.

તેમના ક્લિનિકમાં છેલ્લા અઠવાડિયામાં ચાર એવા દર્દીઓ આવ્યા હતા, જેમને ચિકનગુનિયાની અસરના કારણે મજ્જાતંતુઓને લગતી બીમારી લાગુ પડી હતી. ચારમાંથી બે દર્દી તો બેભાન અવસ્થામાં હતા જ્યારે બે દર્દીઓને હાથ-પગની હલન-ચલનમાં મુશ્કેલી થઈ હતી. તેમણે કહ્યું કે, ચિકનગુનિયાના સ્ટ્રેનમાં બદલાવ આવ્યો હોઈ શકે છે. આ કારણથી તેની અસરમાં પણ બદલાવ આવ્યો છે. આવા દર્દીઓને સપોર્ટિવ ટ્રીટમેન્ટથી ફાયદો થતો હોય છે.

એપિડેમિક સર્જનાર ચિકનગુનિયાનો પ્રજા અને સરકારે બંને સંયુક્ત ભાગીદારીથી પ્રયાસ હાથ ધરવાની જરૂર સર્જાઈ છે. ઘર તેમજ નોકરીની આસપાસની જગ્યાઓ પર સ્વચ્છતા રાખવામાં આવે તો રોગચાળો થતો અટકાવી શકાશે. દિલ્હી દરવાજા પાસે આવેલી શેઠ હઠીસિંહની વાડી ખાતે રવિવારે ‘ધ આર્ટ એન્ડ સાયન્સ ઓફ મેડિટેશન’ વિષય પર વ્યાખ્યાનનું આયોજન થયું હતું.

આ પ્રસંગે શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ ધ્યાનના કારણે જીવનમાં આવતા પરિવર્તનો અંગે વૈજ્ઞાનિક તેમજ ધાર્મિક સમજણ મેળવી હતી. વ્યાખ્યાનમાં ડૉ. સુધિર શાહે કહ્યુ હતું કે, દુનિયામાં જેટલા પણ વ્યક્તિ મહાન બન્યા છે તેમણે જીવનમાં સાધનાને વિશેષ મહત્વ આપ્યુ હતું અને એટલે જ તેઓ મહાન બની શક્યા હતાં.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો