નવગુજરાત સમય > અમદાવાદ
‘આત્મજાગૃતિનું મહાપર્વ એટલે ચાતુર્માસ છે. આ સમયગાળા દરમિયાન જપ-તપ-આરાધના કરવાની છે’, એમ રાષ્ટ્રસંત, આચાર્ય શ્રીમત્ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પુષ્પદંત જૈન સંઘ, વાસુપૂજ્ય સોસા. સેટેલાઇટ ખાતે ધર્મસભામાં રવિવારે જણાવ્યું હતું. આ પહેલાં બોપલથી સવારે ભવ્ય પ્રવેશયાત્રાનું આયોજન થયું હતું.
આ પ્રસંગે આચાર્ય વર્ધમાનસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અમૃતસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય વિનયસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય વિવેકસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અજયસાગરસૂરીશ્વરજી મ.સા., પંન્યાસપ્રવર, પંચાંગ ગણિતજ્ઞ પૂ.અરવિંદસાગરજી મ.સા., ગણિવર્ય પ્રશાંતસાગરજી આદિ ૪૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે જૈન શ્રેષ્ઠી વસંતભાઇ અદાણી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનાં ટ્રસ્ટી શ્રીપાલભાઇ શાહ, કલ્પેશભાઇ શાહ, ગણપતભાઇ ચૌધરી, પુષ્પદંત જૈન સંઘનાં શિરીષભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ‘વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલનના ઠરાવો’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હૃદય-જીવનનાં ઓપરેશન માટે અનોખો મેડિકલ કેમ્પ રાષ્ટ્રસંત, આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય હાર્ટ-લાઇફ સ્પેશિયાલિસ્ટ જ્યોતિર્વિદ આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. અને હૃદયસ્પર્શી પ્રવચનકાર પંન્યાસપ્રવર અરવિંદસાગરજી મ.સા.ની નિશ્રામાં હૃદય-જીવનનાં સફળ ઓપરેશન માટે અંકુર સોસાયટી અને નારણપુરા જૈન સંઘમાં આયોજિત થઇ રહ્યો છે અનોખો મેડિકલ કેમ્પ એટલે કે યશસ્વી વર્ષાવાસ.
પંન્યાસ પ્રવરનો ચાતુર્માસ પ્રવેશ તા.૧૧મી જુલાઇએ સવારે ૮.૦૦ વાગ્યે આદિનાથ જૈન સંઘ, નારણપુરા ખાતે છે અને આચાર્ય ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ તા.૧૩મી જુલાઇએ સવારે ૮.૦૦ વાગ્યે સીમંધરસ્વામી જૈન સંઘ, અંકુર-નારણપુરા ખાતે છે. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.
‘આત્મજાગૃતિનું મહાપર્વ એટલે ચાતુર્માસ છે. આ સમયગાળા દરમિયાન જપ-તપ-આરાધના કરવાની છે’, એમ રાષ્ટ્રસંત, આચાર્ય શ્રીમત્ પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાએ ચાતુર્માસ પ્રવેશ નિમિત્તે પુષ્પદંત જૈન સંઘ, વાસુપૂજ્ય સોસા. સેટેલાઇટ ખાતે ધર્મસભામાં રવિવારે જણાવ્યું હતું. આ પહેલાં બોપલથી સવારે ભવ્ય પ્રવેશયાત્રાનું આયોજન થયું હતું.
આ પ્રસંગે આચાર્ય વર્ધમાનસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અમૃતસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય વિનયસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય હેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય વિવેકસાગરસૂરીશ્વરજી મ.સા., આચાર્ય અજયસાગરસૂરીશ્વરજી મ.સા., પંન્યાસપ્રવર, પંચાંગ ગણિતજ્ઞ પૂ.અરવિંદસાગરજી મ.સા., ગણિવર્ય પ્રશાંતસાગરજી આદિ ૪૦થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
જ્યારે જૈન શ્રેષ્ઠી વસંતભાઇ અદાણી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીનાં ટ્રસ્ટી શ્રીપાલભાઇ શાહ, કલ્પેશભાઇ શાહ, ગણપતભાઇ ચૌધરી, પુષ્પદંત જૈન સંઘનાં શિરીષભાઇ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે ‘વિરાટ તપાગચ્છીય શ્રમણ સંમેલનના ઠરાવો’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હૃદય-જીવનનાં ઓપરેશન માટે અનોખો મેડિકલ કેમ્પ રાષ્ટ્રસંત, આચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય હાર્ટ-લાઇફ સ્પેશિયાલિસ્ટ જ્યોતિર્વિદ આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજી મ.સા. અને હૃદયસ્પર્શી પ્રવચનકાર પંન્યાસપ્રવર અરવિંદસાગરજી મ.સા.ની નિશ્રામાં હૃદય-જીવનનાં સફળ ઓપરેશન માટે અંકુર સોસાયટી અને નારણપુરા જૈન સંઘમાં આયોજિત થઇ રહ્યો છે અનોખો મેડિકલ કેમ્પ એટલે કે યશસ્વી વર્ષાવાસ.
પંન્યાસ પ્રવરનો ચાતુર્માસ પ્રવેશ તા.૧૧મી જુલાઇએ સવારે ૮.૦૦ વાગ્યે આદિનાથ જૈન સંઘ, નારણપુરા ખાતે છે અને આચાર્ય ભગવંતનો ચાતુર્માસ પ્રવેશ તા.૧૩મી જુલાઇએ સવારે ૮.૦૦ વાગ્યે સીમંધરસ્વામી જૈન સંઘ, અંકુર-નારણપુરા ખાતે છે. આ પ્રસંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.