આવતી કાલે શનિવારના દિવસે તેરસની તિથિ હોવાથી શનિ પ્રદોષ વ્રતનો સંયોગ બની રહ્યો છે. આવતીકાલે આ વર્ષની છેલ્લી શનિ પ્રદોષ તિથિ છે. 2020ના પહેલા મહિનામાં શનિ મકર રાશિમાં પ્રવેશ કરવાનો છે. આ સાથે વૃશ્ચિક રાશિને સાડાસાતીમાંથી મુક્તિ મળી જશે પરંતુ કુંભ રાશિની સાડા સાતી ચાલુ થઈ જશે. શનિ પ્રદોષ વ્રતમાં શનિ મહારાજને મનાવી લો તો નવા વર્ષમાં શનિથી મળતા કષ્ટમાંથી મુક્તિ મળી શકે છે. આ વ્રત આમ તો શંકર ભગવાનને પ્રસન્ન કરવા રાખવામાં આવે છે. પરંતુ શનિવારે પ્રદોષ પર શંકર ભગવાન સાથે સાથે શનિ દેવની પણ પૂજા થાય છે. જાણો શનિ મહારાજને પ્રસન્ન કરવાના ઉપાયો વિષે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોનોકરીમાં અડચણ આવતી હોય તોઃ જો આર્થિક નુકસાન થતુ હોય તો આ માટે તમે શનિ પ્રદોષના દિવસે હોડીની ખિલ્લીની વીંટી પહેરી શકો છો. ત્યાર પછી ઉઘાડા પગે મંદિર સુધી જાવ અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આનાથી તમારી તકલીફ ઓછી થઈ જશે.આ મંત્રનો કરો જાપઃ શનિના અશુભ પ્રભાવમાંથી બચવા માંસ મદિરાનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. શનિ મંત્ર ‘ओम प्रां प्रीं प्रौं सः शनैश्चराय नमः।’મંત્રનો જાપ કરવ જોઈએ. આનાથી તમારી આસપાસ સકારાત્મક માહોલ રહેશે અને સમસ્યાઓ ધીરે ધીરે ઓછી થઈ જશે.દાંપત્યજીવનની તકલીફો થશે દૂરઃ તમારા દાંપત્ય જીવન પ્રેમ સંબંધ કે સ્વાસ્થ્યમાં તકલીફો હોય તો નવા વર્ષે મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર ચડાવો અને શનિ મંદિર જાવ. કાળા કૂતરાને ભોજન ખવડાવી શકો છો. આનાથી પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવનની પરેશાની દૂર થશે.વ્યવસાયમાં સમસ્યાઃ નોકરી-વ્યવસાયમાં આવતી સમસ્યા દૂર કરવા શનિ પ્રદોષના દિવસે શિવજીનો અભિષેક કરો. દશરથકૃત શનિ સ્તોત્રનો પાઠ કરો.શનિ મહારાજને ચડાવો તેલઃ જ્યોતિષ અનુસાર, શનિ પ્રદોષના દિવસે શનિ મહારાજને તેલ ચડાવવાથી શનિના અશુભ પ્રભાવમાંથી રાહત મળે છે. સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકોને લાભ મળે છે. તેલ ચડાવતા પહેલા ધ્યાન રાખો કે તેલમાં તમારો પોતાનો ચહેરો જુઓ. આનાથી તમારા ગ્રહ દોષ ઘટે છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.શનિદેવની કૃપા મળશેઃ શનિવારે સૂર્યાસ્ત પછી પીપળના વૃક્ષ પાસે સરસવનો દીવો, તલ અને જળનું વાસણ લઈ જાવ. જળમાં તલ નાંખી પીપળાના મૂલમાં નાંખો અને સરસવ તેલનો દીવો કરો અને વૃક્ષની પરિક્રમા કરો. આ ઉપરાંત શનિદેવ સમક્ષ પણ સરસવનો દીવો કરો. આમ કરવાથી તેમની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. શનિદેવ વિષે આટલું જાણી લેશો તો તેમનો ડર હંમેશા માટે દૂર થઈ જશે
આવતી કાલે વર્ષની છેલ્લી શનિ પ્રદોષ તિથિ છે, શનિદેવને પ્રસન્ન કરવા આટલું કરો
I am Gujarat 8 Nov 2019, 5:21 pm