નવગુજરાત સમય > અમદાવાદ
ઇદ-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)ની તા.૭મી જુલાઇ, ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ શહેર અને ગામની મસ્જિદોમાં ઇદની વિશેષ નમાઝ પણ અદા કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ શાહી જામા મસ્જિદ, ત્રણ દરવાજા સહિતની મસ્જિદોમાં પણ આ દિવસે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.
જ્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદ મુબારકબાદી પણ પાઠવી હતી. સવારથી જ વોટ્સએપ, એસ.એમ.એસ. અને ટેલફિોન દ્વારા પણ ઈદ-મુબારકબાદી પાઠવવામાં આવી હતી. જ્યારે નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પણ ‘શિર-ખુર્મા’થી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇદ-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)નો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા. સાથે જ આ દિવસે વિશેષ નમાજ અદા કરાઇ હતી અને દેશભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તે માટે પણ દુઆ કરવામાં આવી હતી. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજજ થઇ એકબીજાના ઘરે ગયા હતા, જ્યારે શિર-ખુર્માથી મહેમાનોનું પણ સ્વાગત કરાયું હતું. નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી.
ઇદ-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)ની તા.૭મી જુલાઇ, ગુરુવારે અમદાવાદ સહિત રાજ્યભરમાં હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને વિવિધ શહેર અને ગામની મસ્જિદોમાં ઇદની વિશેષ નમાઝ પણ અદા કરવામાં આવી હતી. અમદાવાદમાં પણ શાહી જામા મસ્જિદ, ત્રણ દરવાજા સહિતની મસ્જિદોમાં પણ આ દિવસે ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી.
જ્યારે આ દિવસે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ઇદ મુબારકબાદી પણ પાઠવી હતી. સવારથી જ વોટ્સએપ, એસ.એમ.એસ. અને ટેલફિોન દ્વારા પણ ઈદ-મુબારકબાદી પાઠવવામાં આવી હતી. જ્યારે નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી અને મહેમાનોનું સ્વાગત પણ ‘શિર-ખુર્મા’થી કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇદ-ઉલ-ફિત્ર(રમજાન ઇદ)નો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશો આપે છે. આ દિવસે સહુ કોઇ અમીર-ગરીબ બધા જ ભેદભાવ ભૂલીને એકબીજાને ગળે મળ્યા હતા. સાથે જ આ દિવસે વિશેષ નમાજ અદા કરાઇ હતી અને દેશભરમાં બધા જ નાગરિકો સુખ-શાંતિથી રહે અને બધાની પ્રગતિ થાય તે માટે પણ દુઆ કરવામાં આવી હતી. આ દિવસે મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજજ થઇ એકબીજાના ઘરે ગયા હતા, જ્યારે શિર-ખુર્માથી મહેમાનોનું પણ સ્વાગત કરાયું હતું. નાના બાળકોને ‘ઇદી’ પણ આપવામાં આવી હતી.