આ રાશિના લોકો માટે મા-બાપ કરતા લાઈફ પાર્ટનર વધારે મહત્વના હોય છે
જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાશિ પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ અલગ-અલગ હોય છે. જાણો- કયા રાશિના જાતકો પોતાના જીવનમાં કોને વધારે મહત્વ આપે છે.
I am Gujarat12 Jul 2017, 3:05 pm
દરેક રાશિનો સ્વભાવ અલગ અલગ હોય છે અને એ મુજબ જ તે જીવનમાં જુદા જુદા સંબંધોને વધારે મહત્વ આપે છે. કોઈના જીવનમાં પોતાના લાઈફ પાર્ટનરનું ખૂબ જ મહત્વ હોય છે તો કોઈના માટે પોતાના ફ્રેન્ડ્સ અગત્યના હોય છે. કોઈના માટા માતા-પિતા મહત્વના હોય છે તો કોઈના માટે ભાઈ-બહેન. જાણો કઈ રાશિની વ્યક્તિ કયા સંબંધોને વધુ મહત્વ આપે છે.
મેષઃ
આ રાશિના લોકો માટે તેમના દાદા-દાદી અને નાના-નાની ખૂબ જ મહત્વના હોય છે. તે હંમેશા તેમની તબિયતનો ખ્યાલ રાખે છે અને આ કારણે જ તેમની તબિયત પણ સારી રહે છે. ભગવાન શંકરની આરાધના કરવાથી તેમની પોતાની અને તેમના વડીલોની તબિયત હંમેશા સારી રહે છે.
વૃષભઃ
આ રાશિના જાતકોને પોતાના ભાઈ-બહેન સાથે ખૂબ જ લગાવ હોય છે અને તેમના જીવનમાં ભાઈ-બહેનનું ખૂબ જ આગવુ મહત્વ હોય છે. ભાઈ-બહેન સાથેના વિખવાદની અસર તેમની કરિયર પર પણ પડી શકે છે. આથી તેમને નિયમિત સૂર્યદેવને જળ ચડાવવાની સલાહ આપવામાં આવે છે. રોજ શક્ય ન હોય તો રવિવારે તો જળ ચડાવવું જ જોઈએ.
મિથુનઃ
આ રાશિના લોકો પોતાના પાડોશીઓ સાથે ખૂબ સારો સંબંધ જાળવી શકે છે. જો આમ ન કરે તો તેમને અંગત જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છ. કૃષ્ણ ભગવાનની આરાધના કરવાથી તમારી સમસ્યાઓ હળવી થાય..
કર્કઃ
આ રાશિના જાતકો તેમના માતા-પિતા સાથે ખૂબ જ નિકટ સંબંધ ધરાવે છે. તેમના જીવનમાં માતા-પિતાથી વિશેષ મહત્વનું બીજુ કોઈ જ નથી હોતુ. આ કારણે તેમને કેટલીક વાર ઈમોશનલ અને બીજી માનસિક સમસ્યા પણ ઊભી થાય છે. તેમણે આ સમસ્યાથી બચવા શિવજીની આરાધના કરવી જોઈએ.
સિંહઃ
આ રાશિના જાતકો પોતાના લાઈફ પાર્ટનર સાથે સારા સંબંધો જાળવવામાં માને છે. તેમના માટે લાઈફ પાર્ટનર તેમના મા-બાપ, મિત્રો અને સગાવહાલાથી પણ વધુ મહત્વના હોય છે. લાઈફ પાર્ટનર સાથે વિખવાદ થવાની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. તેમને હનુમાનજીની આરાધના કરવાની સલાહ આપવામાં આવે છે.
કન્યાઃ
આ રાશિના લોકો માટે પોતાના સાથીદારો અને મિત્રોનું મહત્વ ઘણું વધારે હોય છે. તેઓ પોતાની ખુશી માટે આ લોકો પર આધાર રાખે છે. તતેમને વિષ્ણુ ભગવાનની આરાધના કરવાથી લાભ થાય છે.
તુલાઃ
આ રાશિના જાતકોને પોતાના દાદા-દાદી સાથે ઘનિષ્ટ સંબંધો હોય છે તે પોતાના પેરેન્ટ્સ અને મિત્રો કરતા પણ વધારે મહત્વ દાદા-દાદીને આપે છે. શનિદેવની આરાધના કરવાથી તેમને ફાયદો થાય.
વૃશ્ચિકઃ
તમને આખુ જીવન કોઈથી ક્લોઝ ન થાવ તેવું પણ બને. તેનુ મુખ્ય કારણ એ છે કે તમે તમારી માતા અને પુત્રીથી ખૂબ જ નજીક છો અને તે તમારા જીવનનો ખાલીપો પૂરી દે છે. તે તમારી તાકાત પણ છે અને તમારી નબળાઈ પણ. જો આ સંબંધોમાં સમસ્યા ઊભી થાય તો આ રાશિના જાતકો તૂટી જાય છે. શનિવારે ભોજન અને કપડાનું દાન કરવાથી લાભ થાય.
ધનઃ
આ રાશિના લોકો કાં તો પિતા અથવા તો પુત્રથી બહુ ક્લોઝ હોય છે. તેમના જીવનના સંઘર્ષમાં આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે. તે કેળના વૃક્ષને પાણી પાય તો તેમને ઘણો ફાયદો થાય છે.
મકરઃ
તમે મોસાળની બાજુના સગાસંબંધીઓ સાથે સારા સંબંધો જાળવશો. ખાસ કરીને મામા કે માસી સાથે તમારા સંબંધો ખૂબ જ સારા હશે. જો આ રિલેશનમાં તિરાડ પડે તો તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે. હનુમાનજીની આરાધના કરવાથી ફાયદો થાય.
કુંભઃ
તમારા માટે તમારા મિત્રો ખૂબ જ મહત્વના છે. તે તમારા જીવનનો ખાલીપો પૂરી દેશે. તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે કોઈપણ વાત શેર કરી શકો છો અને તમને આજીવન સારા મિત્રોનું સુખ મળે છે. જો મિત્રો સાથે વિખવાદ થાય તો તેની સીધી અસર તમારા માનસિક સ્વાસ્થ્ય પર પડે છે.
મીનઃ
આ રાશિના જાતકો સાસુ અને સસરા સાથે ખૂબ જ સારા સંબંધો ધરાવે છે. આ સંબંધો હંમેશા સારા રહે તે માટે તેમણે કૃષ્ણ ભગવાનની પૂજા કરવી જોઈએ.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.