આજે 30 વર્ષ પછી શનિદેવ પોતાની રાશિ મકરમાં પાછા ફર્યા છે. શનિનું આ ગોચર દરેક રાશિ પર ઊંડો પ્રભાવ પાડશે. શનિ દેવને ન્યાયાધીશનો દરજ્જો મળ્યો છે. જે લોકો ખરાબ કામ કરે છે તેને શનિ દંડિત કરે છે અને સારુ કામ કરનારને આશીર્વાદના રૂપે શુભ ફળ આપે છે. શનિ મકર તથા કુંભ રાશિના સ્વામી છે. તે તુલા રાશિમાં ઉચ્ચના અને મેષ રાશિમાં નીચના હોય છે. શનિ દેવ સૂર્યદેવના પુત્ર છે પરંતુ બંને વચ્ચે શત્રુતા છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, શરૂ કરવા અહીં ક્લિક કરોશનિ બધા ગ્રહોમાં સૌથી ધીમે ચાલનારા ગ્રહ છે. ધીમી ચાલને કારણે તેમની અસર ઘણા સમય સુધી રહે છે. તે દરેક જાતકની કુંડળીમાં સીધો પ્રભાવ પાડે છે. શનિની અસર એક રાશિ પર અઢી વર્ષથી સાડા સાત વર્ષ રહે છે. જ્યારે પણ શનિનું ગોચર એક રાશિમાંથી બીજી રાશિમાં થાય ત્યારે શનિ તે રાશિ ઉપરાંત તેની આગળ અને પાછળની રાશિ પર પણ અસર કરે છે જેને શનિની સાડાસાતી કહેવામાં આવે છે. આજથી શનિનું આગમન મકર રાશિમાં થતા ધન, મકર અને કુંભ રાશિ સાડાસાતીના પ્રભાવમાં આવી ગઈ છે.આજે શનિનું મોટું રાશિ પરિવર્તન થઈ રહ્યું છે ત્યારે તેમના વિષે અમુક વાતો જાણવી તમારા માટે જરૂરી છે.– જ્યોતિષમાં શનિને કર્મના દેવતા માનવામાં આવે છે. તે સારા કર્મ કરવા પર શુભ ફળ આપે છે અને ખરાબ કર્મ કરવા પર અશુભ.– જે લોકો મહેનતુ હોય તેમને શનિ શુભ ફળ આપે છે.– શનિ સૂર્ય અને છાયાના સંતાન છે. યમરાજ તેમના ભાઈ અને યમુના તેમની બહેન છે.– શનિદેવને પ્રસન્ન કરવા દર શનિવારે સરસવ તેલનું દાન કરવું જોઈએ.– શનિ અત્યારે મકર રાશિમાં ગોચર કરી રહ્યા છે. આથી ધન, મકર અને કુંભ પર શનિની સાડાસાતી છે.– શનિવારે શનિદેવ સાથે પીપળાના વૃક્ષની પણ પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.– શનિદેવને તેલ ચડાવતી વખતે તેમની આંખોમાં જોવાને બદલે ચરણો પર નજર રાખવી જોઈએ.– શનિવારે કાળા તલનું દાન કરવું. ચામડાના જૂતા-ચપ્પલનું દાન શુભ મનાય છે.-શનિવારે હનુમાનજીના દર્શન અને પાઠ શુભ ગણાય છે.-શમી વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિ મકર રાશિમાં, જાણો તમારી રાશિ પર કેવી અસર પડશે
શનિનું રાશિ પરિવર્તનઃ શનિદેવ વિષે આ 10 વાત જણવી તમારા માટે જરૂરી છે
I am Gujarat 24 Jan 2020, 2:13 pm