એપશહેર

અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીની નિશ્રામાં દિવાળીએ મહાલક્ષ્મી હોમ

I am Gujarat 18 Sep 2016, 12:59 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat sri sri ravishankar will perform yagna on diwali
અમદાવાદમાં શ્રી શ્રી રવિશંકરજીની નિશ્રામાં દિવાળીએ મહાલક્ષ્મી હોમ


શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતની છ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. જે અંતર્ગત તા.૩૦ ઓક્ટોબર, દિવાળીના દિવસે અમદાવાદમાં દોઢ લાખથી વધુ લોકોની ઉપસ્થિતિમાં ‘મહાલક્ષ્મી હોમ’માં ભાગ લેશે. ત્યારબાદ નૂતન વર્ષે તેઓની નિશ્રામાં વાસદ આશ્રમ ખાતે રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે વિગતો આપતાં આર્ટ ઓફ લિવિંગના વરિષ્ઠ શિક્ષક, ઉદય ક્રિષ્નનજીએ જણાવ્યું કે આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા, શ્રી શ્રી રવિશંકરજી તા.૩૦મી ઓક્ટોબર, દિવાળીથી ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે. જે અંતર્ગત પ્રથમ દિવસે તેમની નિશ્રામાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ગ્રાઉન્ડ ખાતે ‘નારી તુ નારાયણી’ની થીમ પર મહાલક્ષ્મી હોમ યોજાશે. જેમાં દોઢ લાખથી વધુ લોકો ભાગ લેશે. પ્રથમ લક્ષ્મી દીકરી કહેવામાં આવે છે તે અનુસાર શ્રી શ્રી રવિશંકરજીની નિશ્રામાં ૧૦,૦૦૦ દીકરીઓનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ શ્રી શ્રી રવિશંકરજી આર્ટ ઓફ લિવિંગ-ગુજરાતનાં મુખ્યમથક વાસદ આશ્રમ ખાતે પહોંચશે.

તેમણે જણાવ્યું કે નૂતન વર્ષ, તા.૩૧મી ઓક્ટોબરના રોજ તેઓની નિશ્રામાં વાસદ આશ્રમ ખાતે રુદ્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ સમગ્ર ગુજરાતની સુખ-સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરશે અને કોઇપણ તોફાન, આંદોલન વગેરેથી શાંત રહે તે માટે પણ ખાસ પ્રાર્થના કરાશે. તા.૩ નવેમ્બરના રોજ વડોદરા ખાતે તેઓની નિશ્રામાં વિશિષ્ટ કાર્યક્રમ યોજાશે.

જે અંતર્ગત આ દિવસે વિશ્વ કલ્યાણ માટે એક નવા ધ્યાનની રચના કરી છે, જેનું નામ છે, ‘ધ્વનિથી મૌન તરફ’. ચોથી નવેમ્બરે તેઓ વાપીમાં ઉદ્યોગજગતનાં અગ્રણીઓને મળશે અને તેઓનું પ્રાસંગિક ઉદ‌્બોધન યોજાશે. જેનો મુખ્ય વિષય રહેશે, Being ethical and being prosperous. સાથે જ સાંજે ૬.૦૦ વાગ્યે વાપીમાં લાભ પાંચમ નિમિત્તે દેવી પૂજાનું આયોજન કરાયંુ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો