એપશહેર

આજથી કમુરતા શરું, આગામી 3 મહિનામાં લગ્ન માટે 18 જાન્યુઆરી એક જ શુભ મુહૂર્ત

I am Gujarat 15 Dec 2020, 11:42 am
બુધવાર, 16 ડિસેમ્બરથી ખરમાસ શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ વગેરે માંગલિક કામ કરવામાં આવશે નહીં. બુધવારે સવારે સૂર્યના ધન રાશિમાં પ્રવેશ કરતાં જ આ મહિનો શરૂ થશે અને આવતા મહિને 14 જાન્યુઆરી સુધી ખરમાસ રહેશે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે, તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ વર્ષે લગ્ન માટે લગભગ 49 મુહૂર્ત હતાં, પરંતુ કોરોનાને કારણે 26 દિવસ જ લગ્ન માટે થઈ શક્યા છે. 2020નું છેલ્લું લગ્ન મુહૂર્ત 11 ડિસેમ્બર એટલે આજે છે. એ પછી 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થઇ જશે, જેને કારણે 15 જાન્યુઆરી સુધી લગ્ન અને અન્ય માંગલિક કાર્યો થઇ શકશે નહીં. એ પછી 2021માં લગ્નનું પહેલું મુહૂર્ત 18 જાન્યુઆરીના રોજ રહેશે. પછી 3 મહિના બાદ 22 એપ્રિલથી લગ્ન મુહૂર્ત શરૂ થશે.
I am Gujarat from today kharmas start sun will remain in the sagittarius devguru brihaspati and surya significance of kharmaas
આજથી કમુરતા શરું, આગામી 3 મહિનામાં લગ્ન માટે 18 જાન્યુઆરી એક જ શુભ મુહૂર્ત


ધન રાશિનો સ્વામી ગુરુ ગ્રહ છે. દેવગુરુ બૃહસ્પતિ સૂર્યદેવના પણ ગુરુ છે. તેમની રાશિમાં સૂર્યનો પ્રવેશ થવાથી ધાર્મિક અર્થ એ છે કે સૂર્ય હવે એક મહિના સુધી પોતાના ગુરુની સેવામાં રહેશે.

એક મહિના સુધી માંગલિક કાર્યો થઇ શકશે નહીં

કોઇપણ માંગલિક કામ માટે સૂર્ય, ચંદ્ર અને બૃહસ્પતિની શુભ સ્થિતિ એટલે બળ જોવામાં આવે છે. ખરમાસમાં સૂર્ય-ગુરુ નબળા થઇ જાય છે. વર્ષમાં બે વાર ખરમાસ આવે છે. પહેલો જ્યારે સૂર્ય મીન રાશિમાં રહે છે અને બીજો જ્યારે સૂર્ય ધન રાશિમાં રહે છે. ખરમાસમાં બૃહસ્પતિ અસ્ત રહે છે. ગુરુ ગ્રહ બળહીન રહે છે. મકરસંક્રાંતિએ સૂર્ય આ રાશિથી બહાર આવી જાય છે અને ખરમાસ પૂર્ણ થઇ જાય છે.

સૂર્યપૂજા કરો અને દાન-પુણ્ય જરૂર કરો

આ મહિનામાં ઠંડીનો પ્રકોપ વધવા લાગે છે, જેન કારણે આ દિવસોમાં ભોજનમાં તલના તેલનો ઉપયોગ કરવો જોઇએ. તલ-ગોળની ચિક્કીનું સેવન કરો. રોજ સવારે જલદી જાગવું અને સૂર્યની પૂજા કરવી. તાંબાના લોટાથી જળ ચઢાવો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ધાબળો, ગોળ, તલનું દાન કરો. તમારી શક્તિ પ્રમાણે ગૌશાળામાં ધનનું દાન કરો.

તારીખ 21થી 28 માર્ચ સુધી હોળાષ્ટક દરમિયાન લગ્ન થઇ શકતાં નથી અને તારીખ 14 માર્ચથી 14 એપ્રિલ દરમિયાન મિનારક કમુરતાંને કારણે લગ્ન સહિતના શુભ કર્યો થતાં નથી. જાન્યુઆરીમાં લગ્નના એકેય મુહૂર્ત નહીં, ફેબ્રુઆરીમાં માત્ર બે જ મુહૂર્ત છે. આ વર્ષે તારીખ 19 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી 2021 સુધી ગુરુનો અસ્ત છે અને તારીખ 21 ફેબ્રુઆરીથી 15 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત છે, આથી કમુરતાં બાદ ફેબ્રુઆરીમાં લગ્ન માટેનાં માત્ર બે જ મુહૂર્ત છે, જેમાં એક મુહૂર્ત 15 ફેબ્રુઆરી અને બીજું 16 ફેબ્રુઆરીએ છે. આમ, ગુરુનો અસ્ત હોતા જાન્યુઆરીમાં લગ્નના એકપણ મુહૂર્ત નથી અને ફેબ્રુઆરીમાં ગુરુ અને શુક્રનો વારાફરતી અસ્ત હોવાથી વચ્ચે લગ્નનાં માત્ર બે જ મુહૂર્ત છે.

વર્ષ 2021માં લગ્નનાં શુભ મુહૂર્ત નિચે મુજબ છે. જાન્યુઆરી મહિનામાં કમુરતા બાદ ફક્ત એક જ મુહૂર્ત શુભ છે તે 18 જાન્યુઆરીના રોજ છે. ત્યાર બાદ સીધુ એપ્રિલ મહિનામાં શુભ મુહૂર્ત આવે છે. જેમાં 22, 24, 25, 26, 27, 28, 29 અને 30 એમ શુભ મુહૂર્ત છે. ત્યારબાદ મે મહિનામાં 1, 4, 8, 20, 21, 22, 24, 26, 28, 30, અને 31 મેના રોજ શુભ મુહૂર્ત છે. તેના પછી જૂન હિનામાં 3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26 અને 28 તારીખે તેમજ છેલ્લે જુલાઈ મહિનામાં 4 મુહૂર્ત 1, 2, 3 અને 13 જુલાઈના છે. તે પછી નવેમ્બર 2021માં 15, 16, 20, 21, 28, 29 અને 30 તારીખ શુભ મુહૂર્ત છે. ડિસેમ્બર મહિનામાં 1, 2, 6, 7, 11 અને 13 શુભ મુહૂર્ત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો