એપશહેર

ketu Effect in Kundli: કુંડળીમાં કેતુનો પ્રભાવ, વાંચો ક્યારે આપે છે શુભ-અશુભ ફળ

Ketu Good and Bad Effect: કોઈપણ વ્યક્તિની કુંડળીમાં જે ઘરમાં કેતુ સ્થિત હોય છે, તે ઘરના માલિક પ્રમાણે કેતુ ફળ મળે છે. ઉપરાંત, વ્યક્તિની કુંડળીમાં કેતુની અસર અન્ય સાત ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ, શુક્ર, ગુરુ અને બુધ સાથેના તેના સંયોગ અને દ્રષ્ટીના આધારે સારી ખરાબ હોય છે.

Edited byMitesh Purohit | I am Gujarat 14 Jun 2022, 3:44 pm
કેતુને છાયા ગ્રહ(Ketu Good and Bad Effec) માનવામાં આવે છે અને તેનું ગોચર ઘણા શુભ અને અશુભ પરિણામો લાવે છે. કેતુને પ્રભાવનો ગ્રહ કહેવામાં આવે છે, તે કોઈપણ જાતકના જીવનમાં કોઈ સ્વતંત્ર અસર કરતો નથી અને તે જીવનના તમામ ક્ષેત્રો સાથે સંકળાયેલો છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર (Vedic Jyotish Rashifal) અનુસાર એવું માનવામાં આવે છે કે જે ભાવ કે સ્થાનમાં કેતુ વ્યક્તિની કુંડળીમાં સ્થિત હોય છે, તે ભાવના સ્વામી ગ્રહ અનુસાર કેતુ ફળ આપે છે. ઉપરાંત, વ્યક્તિની જન્મ કુંડળીમાં કેતુની અસર જ્યોતિષ શાસ્ત્રના (Gujarati Jyotish Rashifal) અન્ય સાત ગ્રહો એટલે કે સૂર્ય, ચંદ્ર, મંગળ, શનિ, શુક્ર, ગુરુ અને બુધ સાથે કુંડળીમાં તેના સંયોગ કે પછી કુંડળીમાં તેમની દ્રષ્ટીથી દ્રુષ્ટ થઈને તેના આદારે અસરકર્તા બને છે.
I am Gujarat horoscope
કેતુ ગ્રહ જો શુભ સ્થાનમાં અને શુભ ગ્રહ સાથે હોય તો શુભ ફળ આપે છે અને ખરાબ સ્થાનમાં હોય તો અશુભ ફળ આપે છે.

Love Horoscope 12 to 18 June 2022: આ સપ્તાહમાં પ્રેમના કારક શુક્રનું ગોચર 4 રાશિના જાતકોના પ્રેમ જીવનને પૂર્ણ બનાવશે
કેતુ કાલસર્પ યોગ આપવા સક્ષમ છે
અન્ય ગ્રહોની જેમ કેતુ પણ પોતાની દશા દરમિયાન જાતકોને ફળ આપે છે. આ ગ્રહને વિયોગનો ગ્રહ પણ માનવામાં આવે છે, કારણ કે તેના પ્રભાવથી વ્યક્તિને સાંસારિક સુખ-સુવિધાઓથી મોહભંગ થઈ જાય છે. કેતુના મિત્ર દેવગુરુ ગુરુ છે અને શત્રુ ગ્રહો સૂર્ય અને ચંદ્ર છે. સમાન ગ્રહો શનિ, બુધ અને શુક્ર છે. કેતુ ગ્રહ જેની સાથે કુંડળીમાં બેસે છે તેના મુજબ કેતુ વ્યક્તિના જીવનમાં અસર દેખાડે છે. કેતુની મહાદશામાં વ્યક્તિ દરેક જગ્યાએ નિરાશા અનુભવે છે અને તેને અનેક પ્રકારની પરેશાનીઓનો પણ સામનો કરવો પડે છે. આ સાથે કેતુ વ્યક્તિને કાલસર્પ યોગ આપવા માટે પણ સક્ષમ છે.
Weekly Horoscope 13to 19th June: સૂર્ય- શુક્રનું પરિવર્તન આ સપ્તાહમાં 5 રાશિની કિસ્મત ચમકાવશે
કુંડળીમાં કેતુ કયા ઘરમાં સારો છે?
જો કેતુ જન્મકુંડળીમાં ત્રીજા, પાંચમા, આઠમા, નવમા અને બારમા ભાવમાં હોય તો વ્યક્તિને ખૂબ જ શુભ ફળ મળે છે. જો કે, કેતુ કોઈ ચોક્કસ રાશિનો માલિક નથી. પરંતુ કેતુ વૃશ્ચિક અથવા ધનુ રાશિમાં ઉચ્ચ અને વૃષભ રાશિમાં નીચ માનવામાં આવે છે. અશુભ ગ્રહ કે શનિની નજર તેમના પર હોય તો પણ કેતુ પીડિત બને છે. જો કેતુ મંગળ અને શનિની દ્રષ્ટિથી અથવા અશક્ત રાશિમાં અથવા તેનાથી ઓછી ડિગ્રીમાં હોય તો તે પીડિત બને છે. જો કુંડળીમાં કેતુ પીડિત અવસ્થામાં હોય તો વ્યક્તિના જીવનમાં અમુક અવરોધો આવે છે. તેની સાથે જ તે વ્યક્તિની કુંડળીમાં પણ ખામી સર્જે છે.
Venus Transit 2022: પોતાના સ્વામિત્વની વૃષભ રાશિમાં શુક્રનું ગોચર, 4 રાશિ માટે અઘરો સમય
કેતુ તેમની સાથે રાજયોગ બનાવે છે
જો કેતુનો ગુરુ ગ્રહ સાથે સંયોગ હોય તો વ્યક્તિની કુંડળીમાં તેની અસરથી રાજયોગ રચાય છે. જો કેતુ જાતકની કુંડળીમાં મંગળ સાથે યુતિ કરે છે તો તે આ જાતકોને હિંમત આપે છે. જ્યોતિષમાં કેતુ ગ્રહની કોઈ નિશ્ચિત રાશિ નથી. આવી સ્થિતિમાં કેતુ જે રાશિમાં ગોચર કરે છે તે પ્રમાણે તે પરિણામ આપે છે. કેતુ અચાનક ઘટનાઓનું કારણ છે. મીન રાશિમાં કેતુ સ્વરાશિનો માનવામાં આવે છે. મિથુન અને કન્યા રાશિમાં કેતુનો પ્રભાવ સારો માનવામાં આવતો નથી. તેમજ વૃષભ રાશિમાં પણ તે સારું પરિણામ આપતો નથી.

કેતુની અસર રાશિ પ્રમાણે થાય છે. જો કેતુ સ્વગ્રહી રાશિ સાથે બેસે છે તો તે 5 ગણું પરિણામ આપે છે. જો તમારી કુંડળીમાં કેતુ બળવાન હોય છે, તો તે તમને ટોચ પર લઈ જશે. તમે તમારા જીવનમાં તેમના શુભ પરિણામો મેળવી શકો છો. તે તમને બધું પ્રદાન કરી શકે છે.

Read Next Story