એપશહેર

Ketu Transit 2023: વક્રી ચાલથી ચાલતા કેતુ કરશે તુલામાં પ્રવેશ, 4 રાશિઓના જાતકો થશે માલામાલ

Ketu Transit in 2023: કેતુ 2023માં પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. કેતુને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે ઓછામાં ઓછો 18 મહિનાનો સમય લાગે છે. કેતુ આવતા વર્ષે કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. કેતુની ઊલટી ચાલથી ચાર રાશિઓને જબરદસ્ત લાભ થવાનો છે. જાણી લો કે, કેતુના પ્રભાવથી કઈ ચાર રાશિઓ માલામાલ થવાની છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 26 Nov 2022, 8:35 am
કેતુ હંમેશા વક્રી ચાલ ચાલે છે. કેતુને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે ઓછામાં ઓછો 18 મહિનાનો સમય લાગે છે. કેતુ માયાવી ગ્રહ છે. કેતુએ આ વર્ષે એટલે કે 2022માં 12 એપ્રિલે કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે તેઓ ઓક્ટોબર 2023માં તુલા રાશિમાં પ્રવેશ કરશે. કેતુના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિઓને અચાનક લાભ પ્રાપ્ત થશે. અહીં જાણી લો કે, કઈ-કઈ ચાર રાશિઓને પરિવર્તનથી લાભ મળી શકે છે.
I am Gujarat ketu retrograde in 2023 four zodiacs will get more benefits
Ketu Transit 2023: વક્રી ચાલથી ચાલતા કેતુ કરશે તુલામાં પ્રવેશ, 4 રાશિઓના જાતકો થશે માલામાલ


વૃષભ

કેતુના પ્રભાવથી વૃષભ રાશિના જાતકોને ખૂબ લાભ પ્રાપ્ત થશે. તમારી મહેનત રંગ લાવશે. મહેનતથી ખૂબ લાભ થવાની સંભાવના છે. આ દરમિયાન નોકરી અને વેપારમાં કરેલા પ્રયાસ સફળ રહેશે. આ દરમિયાન તમારા બગડેલા કાર્યોમાં પણ સુધારો આવી શકે છે. માટે તમે થોડું જોખમ ખેડી શકો છો. કાર્યક્ષેત્રે અથવા અંગત જીવન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે.

સિંહ

કેતુના પ્રભાવથી સિંહ રાશિના જાતકો માટે 2023નું વર્ષ ખૂબ સારું રહેવાની અપેક્ષા છે. આ દરમિયાન આશા મુજબની સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આ દરમિયાન કાર્યક્ષેત્રે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. જોકે, પાછલા થોડા સમયથી જે કામ બગડી રહ્યા હતા તે બની શકે છે. આ દરમિયાન થોડો કષ્ટ રહી શકે છે જેના કારણે તણાવ રહેશે.

વૃષભ વાર્ષિક રાશિફળ: આ વર્ષે નોકરી બદલમાં સફળ રહેશે, વૈવાહિક જીવનમાં તકલીફો આવી શકે

ધન

કેતુના પ્રભાવથી ધન રાશિના જાતકોના સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન વાહન અથવા જમીન ખરીદવાની યોજના બની શકે છે અથવા ખરીદી શકો છો. ભૌતિક સુખ-સાધનોમાં વૃદ્ધિ થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અને યશ-કીર્તિ વધશે. આ દરમિયાન સાધારણ લાભના યોગ છે.

Budh Gochar 2022: ધનમાં પ્રવેશ કરશે બુધ, ડિસેમ્બરમાં કુંભ સહિત આ રાશિઓની વધશે સમૃદ્ધિ

મકર

કેતુના પ્રભાવથી મકર રાશિના જાતકોના પુરુષાર્થમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન માંગલિક કાર્યનું આયોજન થઈ શકે છે. એટલું જ નહીં આ દરમિયાન વિદેશ યાત્રાના યોગ બની શકે છે. જે લોકો વિદેશ જવા માગતા હોય તેમની ઈચ્છા પૂરી થઈ શકે છે. જોકે, આ બધામાં રૂપિયા ખર્ચાતા દેખાઈ રહ્યા છે.

લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story