એપશહેર

માર્ચ મહિનામાં આ ચાર રાશિઓના જાતકો કરી શકે છે સારી કમાણી, કોને કરવો પડશે મંદીનો સામનો?

March Horoscope 2023: માર્ચ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ મહત્વનો છે. આ મહિને નવા સંવતનો પ્રારંભ થયો છે. સંવતના રાજા બુદ્ધિના સ્વામી ગ્રહ બુધ છે અને સંવતના મંત્રી શુક્ર રહેશે. જાણી લો કે, માર્ચ મહિનો કઈ રાશિના જાતકો આર્થિક રીતે સારો રહેશે? કોના ધંધામાં તેજી અને કોના માટે મંદીનો સમય આવશે? જાણી લો.

Edited byશિવાની જોષી | I am Gujarat 11 Mar 2023, 1:26 pm
March Horoscope: માર્ચ મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ વિશેષ છે કારણકે સંવત બદલાઈ રહ્યું છે. 22 માર્ચથી નવું હિન્દુ વર્ષ શરૂ થઈ રહ્યું છે. સંવત 2080 શરૂ થશે જે પિંગળના નામે ઓળખાશે. આ સંવતના રાજા વેપાર અને બુદ્ધિને પ્રભાવિત કરતાં ગ્રહ બુધ છે. સંવતના મંત્રી શુક્ર રહેશે. એવામાં આ સંવતમાં બધી જ વસ્તુઓના ભાવમાં તેજી આવશે. ધાતુ અને અનાજમાં મંદી આવશે. રોકાણકારો નવા વર્ષમાં ઘણો ઉતાર-ચઢાવ જોઈ શકે છે. આ સંવતમાં સૂચના, ટેક્નિકલ અને ફિલ્મ તેમજ મનોરંજન ઉદ્યોગમાં તેજી રહેશે.
I am Gujarat horoscope n18


રોકાણ માટે વર્ષ સારું રહી શકે છે

માર્ચમાં બજારની પરિસ્થિતિ અને રાશિઓની વાત કરીએ તો 15થી 22 માર્ચ વચ્ચે માર્કેટ નીચે જઈ શકે છે. બેન્કિંગ, ફાઈનાન્શિયલ સંસ્થાઓ, રેટિંગ એજન્સીઓ અને કોમેડિટી કંપનીઓ સારું પ્રદર્શન કરી શકે છે. કેમિકલ અને સિમેન્ટ ઉદ્યોગમાં મંદીની સ્થિતિ રહી શકે છે. સાથે જ સોના અને ચાંદીમાં તેજી રહેશે. એકંદરે માર્ચ 2023માં રોકાણ માટે સારું રહેશે. એસ્ટ્રોલોજર અભિષેક કેડિયા પાસેથી જાણી લો કે, કઈ-કઈ રાશિઓના જાતકો માટે માર્ચ મહિનો ફાયદાકારક રહેશે અને કઈ-કઈ રાશિઓના જાતકોને સાવધ રહેવાની જરૂર છે? રોકાણ દ્વારા કઈ રાશિઓના જાતકોને લાભ થવાના યોગ બની રહ્યા છે?

કઈ રાશિઓને લાભ મળશે અને કોણે સતર્ક રહેવું?

દ્વિસ્વભાવની રાશિ મિથુન, કન્યા, ધન અને મીન માટે માર્ચ ઓછો લાભ આપનારો મહિનો રહેશે. તમારે લોકોએ ઈન્ટ્રા ડે ટ્રેડિંગ ના કરવું જોઈએ. નાણાંકીય વ્યવહારમાં સતર્કતા રાખવી. ચલ રાશિ મેષ, કર્ક, તુલા અને મકર રાશિના જાતકોએ સાવધાનીથી ઈન્ટ્રા ડે ટ્રેડિંગ કરવું. જોખમી રોકાણોથી દૂર રહેવું. નુકસાન થઈ શકે છે. સ્થિર રાશિ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે સમય સારો છે. તમે ટ્રેડિંગ અને રોકાણ બંને માધ્યમ દ્વારા કમાણી કરી શકો છો.
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story