એપશહેર

Sun Transit in Leo: ગ્રહોના રાજા સૂર્યનો સિંહમાં પ્રવેશ થશે, ધન-કરિયર મામલે ચાર રાશિઓના આવશે 'અચ્છે દિન'

Sun Transit in Leo: 17 ઓગસ્ટે ગ્રહોના રાજા સૂર્ય ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યનું આ ગોચર કેટલીય રાશિના જાતકો માટે લાભકારી સાબિત થશે. ધન અને કરિયર મામલે ચાર રાશિઓ માટે સમય અત્યંત શુભ રહેવાનો છે. અહીં જણાવીશું કે, સૂર્યનું ગોચર કઈ-કઈ ચાર રાશિના જાતકો માટે શુભ રહેવાનું છે.

Edited byશિવાની જોષી | I am Gujarat 12 Aug 2022, 3:11 pm
Surya Gochar: સૂર્ય 17 ઓગસ્ટે ગોચર કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્યને ગ્રહોના રાજા કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, સૂર્ય સીધી રીતે માનવ શરીરને પ્રભાવિત કરે છે જેના કારણે તેને મહત્વપૂર્ણ ગ્રહ માનવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનો પ્રવેશ થતાં કેટલીય રાશિના જાતકો ઉર્જાવાન બનશે અને બળની પ્રાપ્તિ કરશે. જાણો, કઈ-કઈ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર સારું રહેવાનું છે.
I am Gujarat sun transit in leo or surya gochar four zodiacs will have benefits
Sun Transit in Leo: ગ્રહોના રાજા સૂર્યનો સિંહમાં પ્રવેશ થશે, ધન-કરિયર મામલે ચાર રાશિઓના આવશે 'અચ્છે દિન'


મેષ

સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ થતાં મેષ રાશિના વિદ્યાર્થીઓને ખૂબ લાભ થશે. ભણવા પર વધારે ધ્યાન આપવાને કારણે તેઓ સારો દેખાવ કરી શકશે. એટલું જ નહીં તમારી રોમેન્ટિક લાઈફ પણ સારી રહેવાની છે. ધનના મામલે આ સમયગાળો અનુકૂળ રહેશે. આ દરમિયાન તમે મોટા પ્રમાણમાં ધન એકત્ર કરી શકો છો. સહકર્મીઓ અને વરિષ્ઠો સાથેના સંબંધમાં સુધારો થઈ શકે છે.

કર્ક

સૂર્ય કર્ક રાશિમાંથી નીકળીને સિંહમાં પ્રવેશ કરશે જેની તમારા પર હકારાત્મક અસર પડશે અને તમે પોતાને બચાવવામાં સક્ષમ રહેશો. તમારો પરિવાર પણ પૂરતો સહકાર કરશે. સંશોધન સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રે સારું કામ કરી શકે છે. જે લોકો ફાઈનાન્સ સાથે જોડાયેલા હોય અથવા કામ કરતાં હોય તેમના માટે આ સમયગાળો લાભદાયી રહેશે.

સિંહ

સૂર્ય સિંહ રાશિમાં પ્રવેશતાં આ રાશિના જાતકોની વૃદ્ધિ થશે. સાથે જ તમારો આત્મવિશ્વાસ વધશે. જેના કારણે કાર્યક્ષેત્રે સફળ રહી શકો છો. સાથે જ તમારું સ્વાસ્થ્ય સુધરશે. જોકે, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ના રાખવી. યોગ અને કસરત કરતા રહેશો તો સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન

સૂર્યના ગોચરથી તમારા સ્વાસ્થ્યમાં ખાસ્સો સુધારો થશે. તમારી તંદુરસ્તી જળવાઈ રહેશે કારણે સૂર્યદેવતાની મદદથી તમારી પાસે મજબૂત રોગપ્રતિકારક શક્તિ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય ફાયદાકરક છે. કરિયરની વાત કરીએ તો જે લોકો સરકારી પદે કાર્યરત છે તેમને હકારાત્મક પરિણામ જોવા મળશે. સિંહમાં સૂર્યનું ગોચર થતાં મામા તરફથી પૂરતો સહયોગ મળશે.

લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story