એપશહેર

સૂર્યનું સિંહ રાશિમાં પરિવર્તન આ 5 રાશિના જાતકો સતર્ક રહે નુકસાનની છે શક્યતા

નવ ગ્રહોમાં પ્રધાન ગ્રહ સૂર્યનું સિંહ રાશિમાં ગોચર કેટલાક જાતકોને ફાયદો અપાવશે પરંતુ કેટલાકને નુકસાનીનો સામનો કરવો પડશે. ત્યારે તમારી રાશિ માટે સૂર્યનું પોતાની રાશિ સિંહમાં પરિવર્તન શું લઈ આવશે જાણીએ.

I am Gujarat 16 Aug 2021, 8:24 am
એક રાશિથી બીજી રાશિમાં સૂર્યના ગોચરને સંક્રાંતિ કહેવામાં આવે છે. આ વખતે સૂર્ય પોતાના સ્વામિત્વની રાશિ સિંહમાં ગોચર કરી રહ્યા છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન જ્યોતિષ શાસ્ત્રમાં મોટી ઘટના માનવામાં આવે છે. આ પરિવર્તન કેટલીક રાશિઓના જીવનમાં ઘણા ઉતાર -ચઢાવ લાવી શકે છે. 17 મી ઓગસ્ટ, મંગળવારે સૂર્ય પોતાની રાશિમાં સિંહમાં પ્રવેશ કરશે. 9 ગ્રહોમાં મુખ્ય માનવામાં આવતાં સૂર્ય ભગવાન, પુરુષ પ્રધાન ગ્રહ માનવામાં આવે છે, તેમના શુભ સ્થાનમાં હોવાથી જાતકોને નામ-ખ્યાતિ અને સમાજમાં વિશેષ સ્થાન મળે છે. પરંતુ જો સૂર્ય અશુભ હોય તો આવા લોકો બીમાર રહે છે અને તેમને મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી. તેવામાં શત્રુ રાશિ કર્કમાંથી પોતાની રાશિ સિંહમાં આવતાં સૂર્યનું આ ગોચર 5 રાશિઓ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ચાલો જાણીએ આ 5 રાશિઓ કઈ છે.
I am Gujarat sun transits in leo may bring hurdles and difficulties in the life of these five zodiac sign
સૂર્યનું સિંહ રાશિમાં પરિવર્તન આ 5 રાશિના જાતકો સતર્ક રહે નુકસાનની છે શક્યતા

ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં સૂર્ય આ 6 રાશિની લવ લાઈફમાં આપશે શુભ સમાચાર
કર્ક

સૂર્યના શત્રુ ચંદ્રના સ્વામિત્વની રાશિ કર્ક પર સૂર્ય સંક્રાતિની અશુભ અસર થશે. સૂર્યનું આ સંક્રમણ કર્ક રાશિના લોકોને વધુ સંવેદનશીલ બનાવશે. આ કારણે તમારા જીવનમાં વિવાદ વધી શકે છે અને મિત્રો સાથેના તમારા સંબંધો પણ બગડી શકે છે. તમે ન ઇચ્છતા હોવ તો પણ તમારી નજીકના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી શકો છો. આ સમયે તમે આર્થિક બાબતોમાં પણ પરેશાન થઈ શકો છો. ઉપાય તરીકે તમારે આદિત્ય હૃદય સ્તોત્રનો દરરોજ પાઠ કરવો જોઈએ.
સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ, જાણો તમારી આર્થિક સ્થિતિ પર શું થશે અસર?
કન્યા

કન્યા રાશિ પર પણ સૂર્ય સંક્રાંતિની વિપરીત અસર પડશે અને આના કારણે તમને કારકિર્દીની દ્રષ્ટિએ નુકશાન થવાની સંભાવના છે. શક્ય છે કે આ રાશિ પરિવર્તનથી ક્યાંક જીતના આરે આવેલી તમારી બાજી વિખાઈ જાય. આ પરિવર્તન દરમિયાન તમારે તમારા પ્રેમ સંબંધો વિશે પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે. આ સમયગાળામાં તમને વ્યવસાયિક બાબતે કોઈ મુસાફરી કરવાની તક આવશે. પરંતુ આ મુસાફરીમાં તમારા વર્તન વિશે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. તમારી વાતના કારણે અધિકારીઓ નારાજ થઈ શકે છે અને તે તમારી કારકિર્દીમાં નુકસાન પહોંચાડી શકે છે. ઉપાય તરીકે ઘરની બહાર જતા પહેલા તમારા ખિસ્સામાં લાલ રૂમાલ રાખવો જોઈએ.
જ્યોતિષના આધારે આગામી વર્ષ દેશ માટે ખર્ચાળ રહેશે, રાજકીય તોફાનની શક્યતા
વૃશ્ચિક

મંગળની રાશિ વૃશ્ચિક પર સૂર્યના આ સંક્રમણની અસર અશુભ થઈ શકે છે. આ પરિવર્તન ચોક્કસપણે તમને હિંમતવાન બનાવશે, પરંતુ તમે વધુ પડતાં આત્મવિશ્વાસથી કેટલાક ખોટા પગલા પણ લઈ શકો છો. આ સમયગાળામાં તમે કોઈપણ પ્રકારની ટીકા સ્વીકારી શકશો નહીં અને આ જ બાબત તમને ઘણું નુકસાન પહોંચાડી શકે છે. જો કે, તમારા સંતાનો તરફથી કેટલાક સારા સમાચાર મેળવી શકો છો. નાણાકીય બાબતોમાં તમારા માટે આ રાશિ પરિવર્તન સામાન્ય રહેશે. તમને ન તો ફાયદો થશે અને ન તો નુકસાન. ઉપાય તરીકે રવિવારે કોઈ જરૂરિયાતમંદને લાલ કપડાંનું દાન કરો.
સાપ્તાહિક આર્થિક રાશિફળ 16થી22 ઓગસ્ટ: આ રાશિઓના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે
કુંભ

સૂર્યના પુત્ર શનિના સ્વામિત્વની કુંભ રાશિમાં સૂર્ય સંક્રાંતિની અસર ખૂબ મિશ્રિત રહેશે. કેટલીક બાહતોમાં તમે લાભ મેળવશો અને કેટલાકમાં ઘણું ગુમાવી શકો છો. આ સમયે તમે કોઈ પણ જોખમ લેવાથી રોકશો નહીં, પરંતુ પરિણામ શું આવશે તેની ખબર નહીં હોય. અહીં મામલો ફિફ્ટી-ફિફ્ટી જેવો દેખાય છે. તમને નફો અને નુકસાન બંને મળી શકે છે. આ સમયે તમારા સ્વભાવમાં આક્રમકતા જોવા મળશે. આવી સ્થિતિમાં તમારી જાતને શાંત રાખવી અને જરુરી છે તમારા કામથી કામ રાખવું. વિવાહિત લોકો માટે આ સમયગાળો પ્રતિકૂળ રહેશે અને તમારા બંને લોકો વચ્ચે અહંકારનો સંઘર્ષ થઈ શકે છે. તમારા લોકો વચ્ચે વૈચારિક તફાવતની સ્થિતિ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા સંબંધોને સંભાળવા માટે શાંત રહેવાની જરૂર છે. ઉપાય તરીકે દર રવિવારે ગોળનું દાન કરો.
ત્રણ ગ્રહોનું રાશિ પરિવર્તન દેશની રાજનીતિ અને સરકાર માટે ખૂબ મહત્વપૂર્ણ રહેશે
મીન

તમારી રાશિમાં સૂર્યનું સંક્રમણ તમારા માટે વધુ સુખદ રહેશે નહીં. સિંહ રાશિમાં સૂર્યનું પરિવર્તન તમારી કારકિર્દીમાં નુકસાન આપી શકે છે. આ દરમિયાન તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. આ સમયે ખોરાકની બાબતમાં તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમને ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે. અન્ય કોઈની વાતમાં વચ્ચે ન પડો, નહીંતર તમારી સમસ્યાઓ વધી શકે છે. રવિવારે મંદિરમાં ગોળનું દાન કરવું શુભ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો