એપશહેર

સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ, જાણો તમારી આર્થિક સ્થિતિ પર શું થશે અસર?

સૂર્ય ભગવાન વર્ષોમાં 12 રાશિમાં ભ્રમણ કર્યા બાદ પોતાની રાશિ સિંહમાં પાછા ફરી રહ્યા છે. સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર પર થશે મોટી અસર.

I am Gujarat 12 Aug 2021, 8:33 am
મંગળવાર 17 ઓગસ્ટના રોજ સૂર્ય ભગવાન વર્ષોમાં 12 રાશિમાં ભ્રમણ કર્યા બાદ પોતાની રાશિ સિંહમાં પાછા ફરી રહ્યા છે. સૂર્યને ગ્રહોનો રાજા અને સિંહ રાશિને સૂર્યનું ઘર કહેવામાં આવે છે. એટલે કે ગ્રહોના રાજ પોતાની રાજધાનીમાં પરત ફરી રહ્યા છે. સૂર્યનું પોતાની રાશિમાં સંક્રમણ જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સિંહ રાશિમાં સૂર્યનું આગમન દેશ, વિશ્વ અને અર્થતંત્ર માટે કેવું રહેશે, જાણો જ્યોતિષાચાર્ય સચિન મલ્હોત્રા પાસેથી….
I am Gujarat sun transits into leo will effect india economically and politically
સૂર્યનો સ્વરાશિ સિંહમાં પ્રવેશ, જાણો તમારી આર્થિક સ્થિતિ પર શું થશે અસર?

સાપ્તાહિક રાશિફળ 9થી 15 ઓગસ્ટઃ સૂર્ય-બુધ અને શુક્રનું પરિવર્તન જીવનમાં લાવશે મોટા ફેરફાર
મેદિની જ્યોતિષમાં સિંહ સંક્રાંતિ

સૂર્ય લગભગ 30 દિવસ સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે. પ્રાચીન માન્યતા અનુસાર, સૂર્યના પ્રવેશના દિવસને 'પર્વ-કાળ' કહેવામાં આવે છે. મેદિની જ્યોતિષની ગણતરીમાં રાષ્ટ્રની સ્થાપના કુંડળીને સાથે સૂર્યના રાશિ પરિવર્તન સમયે રચાયેલી કુંડળી સાથે મળવવામાં આવાતાં આગામી એક મહિના માટે જે તે દેશની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિઓની આગાહીઓ ભાખી શકાય છે.

ખોરાક મોંઘો, ઘરેણાં સસ્તા

17 ઓગસ્ટના દિવસે રાત્રે 1:16 વાગ્યે, ભારતીય કેલેન્ડર મુજબ નવમી તિથિના દિવસે ચંદ્રના અનુરાધા નક્ષત્રમાં રહેતા સમયે સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની સિંહ સંક્રાંતિ સમયે 'કૌલવ' નામનું કરણ છે, જે મોંઘવારી વધવાના યોગ બનાવી રહ્યું છે. સૂર્ય સંક્રાંતિના સમયે શુક્લ નવમી તિથિ, અનુરાધા નક્ષત્ર અને સોમવારના કારણે મિશ્ર પરિણામ રહેશે. વરસાદ સારો છે, સોના -ચાંદીના ભાવ ઘટ્યા છે પણ ખાદ્ય ચીજો મોંઘી થવાની શક્યતા છે. સૂર્ય સંક્રાંતિના આ શુભ અને અશુભ પરિણામો એક મહિના સુધી રહેશે.
સાપ્તાહિક લવ રાશિફળ 9થી 15 ઓગસ્ટઃ શુક્રનું ગોચર આ રાશિઓને બનાવશે વધુ રોમેન્ટિક
કાયદાકીય મોટા નિર્ણયો લેવાશે

સૂર્ય સંક્રાંતિની કુંડળીમાં વૃષભ લગ્ન ઉદિત થઈ રહ્યું છે. જે આઝાદ ભારતની લગ્ન કુંડળીનું જન્મ લગ્ન છે. આ કારણે આગામી 30 દિવસમાં કેન્દ્ર સરકાર અને ન્યાયાલય કોઈ મોટા કાયદાકીય નિર્ણયો લઈ શકે છે. સંક્રાંતિ કુંડળીના નવમા ભાવમાં શનિ વક્રી થઈને ચેષ્ટા બળથી યુક્ત છે જે ન્યાયલય દ્વારા કેટલાક મોટા પ્રશાસનિક નિર્ણય લેવાનો સંકેત પણ આપી શકે છે.

નાણાકીય બાબતોમાં મોટા નિર્ણયો

પેગાસસ જાસૂસીના કેસમાં મોટું પગલું ભરી શકાય છે.સંક્રાંતિ કુંડળીના ચોથા ઘરમાં બેઠેલા સૂર્ય, બુધ અને મંગળના સંયોગ પર, દસમા ઘરમાં બેઠેલા મજબૂત ગુરુની દ્રષ્ટિ કેન્દ્ર સરકાર તરફથી કેટલાક સામાજિક મુદ્દાઓ અને મોટા આર્થિક મુદ્દાઓ પર નવા કાયદા લાવવાની પ્રબળ શક્યતા ઉભી કરે છે.
આ 6 રાશિ માટે શુભ નથી હોતો શુક્ર, આ ઉપાયથી અશુભ અસર દૂર થશે
કેટલાક ગુપ્ત કૌભાંડ સામે આવી શકે છે

જમીન સુધારણા, સામાન્ય નાગરિક સંહિતા અને સરકારી નોકરીઓમાં ભરતી સંબંધિત નિર્ણયો ઝડપી લઈ શકાય છે. સંક્રાંતિ કુંડળીના સાતમા ઘરમાં બેઠેલા ચંદ્ર અને કેતુના સંયોગ પર મંગળની દ્રષ્ટિ અને પાંચમા ભાવમાં નબળા શુક્રની હાજરીથી કોઈ મોટું 'કૌભાંડ' પણ બહાર આવશે તેવું સૂચવે છે.

Read Next Story