એપશહેર

આગામી 18 મહિના રાહુના અશુભ પ્રભાવથી બચાવશે આ ઉપાય, આજથી અજમાવો

રાહુ 23 સપ્ટેમ્બરના દિવસે એટલે કે બુધવારે મિથુન રાશિથી નીકળીને વૃષભમાં વક્રી કરશે. તેવામાં જ્યોતિષ વિદ્યામાં રાહુની ખરાબ દ્રષ્ટિથી બચવા માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે.

नवभारत टाइम्स 8 Sep 2020, 10:41 am
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુને છાયા ગ્રહ માનવામાં આવે છે. કુંડળીમાં રાહુની સ્થિતિ થવા પર તે આપણા જીવનને પ્રભાવિત કરે છે. રાહુ જો શુભ સ્થિતિમાં હોય તો તમારા તમામ કામ થવા લાગે છે અને દરેક કામમાં સફળતા મળે છે અને જો તે અશુભ સ્થિતિમાં હોય તો ખુશમય જીવન પર નકારાત્મક અસર પડે છે. વ્યક્તિ તેવા નિર્ણય લેવા લાગે છે, જેનાથી ન માત્ર તેના પર પરંતુ પરિવારને ખરાબ પરિણામ ભોગવવું પડે છે. રાહુ 23 સપ્ટેમ્બરના દિવસે એટલે કે બુધવારે મિથુન રાશિથી નીકળીને વૃષભમાં વક્રી કરશે. રાહુના આ પરિવર્તનથી તમામ પર તેની અસર પડશે. તેવામાં જ્યોતિષ વિદ્યામાં રાહુની ખરાબ દ્રષ્ટિથી બચવા માટે કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે. જેને અપનાવવાથી જીવનમાં સુખ-શાંતિ આવે છે અને પરિવાર પર પણ સકારાત્મક અસર પડે છે. જાણો, જ્યોતિષ વિદ્યાના તે ઉપાયો વિશે...
I am Gujarat rahu


આ મંત્રનો કરો જાપ

જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, રાહુની અશુભ દ્રષ્ટિથી બચવા માટે રોજ તેમના મંત્રની એક માળાનો જાપ કરવો જોઈએ. રાહુ મંત્ર- ઓમ કયાનશ્ચિત આશુવદૂતીસદા વૃધઃ સખા કયાશશ્ચિષ્ઠયા વૃતા. આ રાહુનો વૈદિક મંત્ર છે, આ મંત્રને શનિવારથી શરૂ કરો અને રોજ રાતના સમયે કરો. આ તમને રાહુના અશુભ પ્રભાવથી મુક્તિ મળશે.

કબૂતરોને નાખો દાણા
શાસ્ત્રોમાં કબૂતરને બાજરી ખવડાવવાના ઘણા લાભ જણાવાયા છે. રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે કબૂતરને રોજ બાજરી ખવડાવવી જોઈએ. તેનાથી ન માત્ર પુણ્યિની પ્રાપ્તિ થાય છે પરંતુ ઘરમાં સુખ-શાંતિમાં વૃદ્ધિ થાય છે. સાથે જ તમામ કષ્ટોનું સમાધાન થાય છે.

આવી અંગૂઠી પહેરો
રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ચાંદીથી બનેલી નાગની આકૃતિવાળી અંગુઠી ત્રીજી આંગળીમાં પહેરવી. સાથે જ તમે ગોમેદ પણ ધારણ કરી શકો છો. જે દિવસે અંગૂઠી પહેરો તે દિવસે રાહુની સામગ્રી પણ દાનમાં દેવી જોઈએ. આ અંગૂઠી પહેરવાથી પિતૃ દોષ અને ગ્રહણ દોષ પણ દૂર થાય છે.

પર્સમાં રાખો આ વસ્તુ
રાહુની અશુભ દ્રષ્ટિથી બચવા માટે રોજ ઘરમાં ચંદનનો ધૂપ કરો અને મોરપીંછ હંમેશા પર્સમાં રાખો. અથવા પછી બેડરૂમમાં કે કોઈ જગ્યાએ જ્યાં આવતી-જતી વખતે તમારી દ્રષ્ટિ તેના પર જાય. આમ કરવાથી તમારા મનમાં ભય દૂર થાય છે અને રાહુની દશાનો અશુભ પ્રભાવ ઓછો થાય છે.

આ લોકોનું કરો દાન
રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે આશ્રમમાં દાન કરવું જોઈએ. દાન દેવાથી રાહુનો અશુભ પ્રભાવ ઓછો થાય છે અને તેનાથી તેઓ પ્રસન્ન પણ થાય છે. જેનાથી ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે, સાથે જ વંશ વૃદ્ધિ પણ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો