એપશહેર

જાન્યુઆરીમાં ત્રણ ગ્રહો અસ્ત થતા 4 રાશિ પર રહેશે સૌથી વધુ પ્રભાવ

શુક્ર, બુધ અને શનિ આ ત્રણ ગ્રહોનું અસ્ત થવું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટીએ જરાપણ શુભ નથી, દુનિયા હજુ પણ મોટી કુદરતી આફત અને મહામારીમાં પટકાશે.

I am Gujarat 10 Jan 2022, 9:21 am
આ મહિનામાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં ઘણી ઉથલપાથલ જોવા મળી રહી છે. શુક્ર 7 દિવસ માટે અને બુધ 12 દિવસ માટે અસ્ત થશે. આ સાથે જ મહિનાની 19 તારીખે શનિ પણ અસ્ત થઈ રહ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ઘટનાને બિલકુલ શુભ કહી શકાય નહીં. ગ્રહોની આવી સ્થિતિને કારણે ખરાબ હવામાન અને કુદરતી આફતની સાથે રોગનો પ્રકોપ વધવાની સંભાવના છે. ભારતની સાથે સાથે સમગ્ર વિશ્વ પહેલેથી જ ઓમિક્રોનની પકડમાં છે. ત્યારે ગ્રહોની આ સ્થિતિ પણ સંકેત આપી રહી છે કે ચેપ વધુ વધી શકે છે. ગ્રહોના આવા ફેરફારોની અસર તમામ રાશિઓ પર પણ પડશે. આ કારણે કેટલાક લોકોના કામમાં વિઘ્ન અને ધનહાનિ થવાની શક્યતાઓ પણ રહેશે.
I am Gujarat three planet are setting in january venus mercury and saturn will affect all zodiac sign
જાન્યુઆરીમાં ત્રણ ગ્રહો અસ્ત થતા 4 રાશિ પર રહેશે સૌથી વધુ પ્રભાવ

સાપ્તાહિક લવ રાશિફળ 10થી 16 જાન્યુઆરીઃ પ્રેમ સંબંધ મામલે 5 રાશિ લકી સાબિત થશે
શુક્રના અસ્ત અને ઉદયનો સમય
શુક્રના અસ્ત થવાનો દિવસ અને સમય: 6 જાન્યુઆરી, ગુરુવારે લગભગ 1:15 વાગ્યે શુક્ર અસ્ત થયા છે.
શુક્રના ઉદય થવાનો દિવસ અને સમય: 12 જાન્યુઆરી, બુધવાર લગભગ 5:40 વાગ્યે શુક્ર ઉદય થશે
મકર સંક્રાંતિની કુંડળી શુભ નથી, મળી રહ્યા છે કોરોના અને પીએમ મોદીને લઈને મોટા સંકેત
હવામાનમાં ફેરફાર થઈ શકે છે
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, ભૌતિક સુખ, સમૃદ્ધિ, વૈભવ, પ્રેમ અને સંપત્તિનો કારક માનવામાં આવે છે. પૂર્વવર્તી શુક્ર 6 જાન્યુઆરીએ ધન રાશિમાં અસ્ત થયો છે અને 12મીએ આ જ રાશિમાં ઉદય થશે. શુક્રના અસ્તથી અર્થવ્યવસ્થા પર ઘણી અસર પડશે. આ સમય દરમિયાન, અર્થતંત્ર સંબંધિત મોટી યોજનાઓમાં વિલંબ અથવા વિક્ષેપની સંભાવના છે. તેમજ આ સમયગાળા દરમિયાન શેરબજારમાં ઘણી હલચલ જોવા મળી શકે છે. આ સંદર્ભમાં રોકાણકારોએ તેમના નાણાંનું રોકાણ ખૂબ જ કાળજીપૂર્વક કરવું પડશે. શુક્રના અસ્ત થવાની અસર કપડાંના વ્યવસાય પર પણ પડશે અને વેપારમાં મંદી આવી શકે છે. તેમજ દેશના કેટલાક ભાગોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. આ સાથે અન્ય કુદરતી આફતની પણ શક્યતા છે.
Scorpio Love Horoscope 2022: લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં વધી શકે છે નજદીકી
આ રાશિઓ માટે અશુભ છે
ધન રાશિમાં શુક્રના અસ્ત થવાને કારણે તેની અસર ઓછી થશે અને શુભ પરિણામ પણ ઘટવા લાગશે. શુક્ર એ વૈભવી ગ્રહ છે. તેથી તેની અસરથી તમામ રાશિના લોકોના દરેક પ્રકારના સુખમાં ઘટાડો થઈ શકે છે. શુક્રના કારણે ઘણા લોકોના લગ્ન જીવનમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. ઉપરાંત, પૈસાના પ્રવાહમાં અવરોધ આવી શકે છે. શુક્રના અસ્ત થવાને કારણે મિથુન, કન્યા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય યોગ્ય રહેશે નહીં. આ 4 રાશિના લોકોના કામમાં અડચણો આવી શકે છે. પૈસાની ખોટ અને ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના લોકો પર શુક્ર અસ્ત થવાની કોઈ અશુભ અસર નહીં પડે.
મકર સંક્રાંતિના દિવસે બની રહ્યો છે અનોખો બ્રહ્મ યોગ, દાન કરવા માટે આ છે શુભ મુહૂર્ત
સૂર્યની નજીક હોવાને કારણે શુક્ર અસ્ત થાય છે
વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહનું અસ્થ થવું ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના છે. જ્યોતિષાચાર્ય જણાવે છે કે દર વર્ષે થોડા દિવસો માટે ગ્રહો આકાશમાં દેખાતા નથી, કારણ કે તેઓ સૂર્યની ખૂબ નજીક આવે છે. તેને ગ્રહનું અસ્થ અથવા અદ્રશ્ય થવું પણ કહેવામાં આવે છે. શુક્ર અસ્ત સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી. બૃહત સંહિતા ગ્રંથ મુજબ શુક્રના અસ્ત થવાને કારણે હવામાનમાં અચાનક ફેરફાર થઈ શકે છે. કડકડતી ઠંડી દરમિયાન દેશમાં ઘણી જગ્યાએ વરસાદની પણ શક્યતા છે.
જાન્યુઆરી માસિક રાશિફળઃ વર્ષના પહેલા મહિનામાં 5 રાશિના સિતારા ચમકશે
શુક્રનું અસ્ત અને ઉદય થવું 6 થી 12 જાન્યુઆરી સુધી શુક્રનું સૂર્યથી અંતર 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ સ્થિતિને શુક્રના અસ્તની સ્થિતિ કહેવામાં આવે છે. જ્યારે શુક્ર અસ્ત થાય છે ત્યારે શુક્રની શુભ અસર ઓછી થઈ જાય છે. આ વખતે શુક્ર ગ્રહ માત્ર 7 દિવસ માટે અસ્ત થઈ રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો