એપશહેર

Angarak yog 2022: શું હોય છે અંગારક યોગ, 27 તારીખથી રાહુ અને મંગળ મળીને કરશે આવા હાલ

શનિની કુંભ રાશિથી મેષ રાશિમાં ગોચર કરતા અસ્ત મંગળ પર આ ત્રીજી દ્રષ્ટિ 27 જૂનથી 12 જુલાઈ સુધી રહેશે, કારણ કે 12 જુલાઈની સાંજે સૂર્યાસ્ત પછી શનિ વક્રી ચાલે કુંભમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં મંગળ પર શનિની દૃષ્ટિ હોવાને કારણે મેષ રાશિથી પ્રભાવિત ભારતના પૂર્વ ભાગમાં ભારે વરસાદને કારણે જાન-માલનું નુકસાન થઈ શકે છે.

Edited byMitesh Purohit | Navbharat Times 24 Jun 2022, 7:58 am
27 જુલાઈના રોજ મંગળ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં પહેલાથી જ ગોચર કરી રહેલા રાહુ સાથે સંયોગ રચશે. આ સંયોગને જ્યોતિષની દ્રષ્ટીએ 'અંગારક' યોગ કહેવાય છે, જે હિંસક ઘટનાઓ, આતંકવાદી પ્રવૃત્તિઓ, રાજકીય ઉથલપાથલ અને મોટા અકસ્માતોને કારણે જાન-માલના નુકસાનનો જ્યોતિષીય સંકેત છે. . મંગળ અને રાહુનો આ સંયોગ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે શનિ કુંભ રાશિમાં ગોચર કરી રહ્યો છે, જે વક્રી ચાલે તેનાથી ત્રીજી રાશિમાં દ્રષ્ટિપાત કરતો હોવાથી આ અંગારક યોગને વધુ અશુભ બનાવશે. કુંભ રાશિમાં ગોચર કરતા શનિની મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહેલા મંગળ પર આ ત્રીજી દ્રષ્ટિ 27 જૂનથી 12 જુલાઈ સુધી જ રહેશે, કારણ કે 12 જુલાઈની સાંજે સૂર્યાસ્ત પછી શનિ વક્રી અવસ્થામાં જ કુંભમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિમાં મંગળ પર શનિની દૃષ્ટિ હોવાને કારણે મેષ રાશિથી પ્રભાવિત ભારતના પૂર્વ ભાગમાં (આસામ, અરુણાચલ વગેરે) ભારે વરસાદને કારણે જાહેર મોટું આર્થિક અને જાન-માલનું નુકસાન થઈ શકે છે. મંગળ અને રાહુ પર શનિની દૃષ્ટિને કારણે અગ્નિપથ યોજના પર ચાલી રહેલા યુવાનોનો વિરોધ વધી શકે છે.
I am Gujarat angarak yog
અંગારક યોગને આટલો અશુભ શું કરવા ગણાય છે? તેમાં પણ આ વર્ષે કેમ વધુ સાવચેતી રાખવાનું જ્યોતિષાચાર્યો કહે છે?

ઉદ્ધવ ઠાકરે સરકાર પર સંકટ, પૂર્ણ કુંડળીનો અભ્યાસ કર્યોત્યારે સામે આવ્યા છે અસલી કારણો
અગ્નિપથ યોજનાને કારણે મુશ્કેલીમાં ફસાઈ મોદી સરકાર!
દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જ્યારે 14 જૂને બપોરે 12:34 વાગ્યે ત્રણેય સેના પ્રમુખો સાથે પત્રકાર પરિષદમાં અગ્નિપથ નામની સેનામાં નવી ભરતી યોજનાની જાહેરાત કરી ત્યારે કન્યા રાશિનો ઉદય થઈ રહ્યો હતો. મંગળ અને ગુરૂની યુતિ આરોહના વિરોધના સાતમા ઘરમાં હતી જે અશુભ હતી. મંગળવારનો દિવસ અને હોરા પણ ક્રૂર ગ્રહ મંગળ હોવાને કારણે, ટૂંક સમયમાં જ આ યોજના વિરુદ્ધ વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન થયું, જેણે સરકાર અને સેનાને આશ્ચર્યચકિત કરી દીધા. આ યોજનાની શરૂઆતથી જ તેના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. યોજનાની જાહેરાત સમયે 14 જૂન પૂર્ણિમાના દિવસે ચંદ્ર પોતાની નીચ રાશિ વૃશ્ચિકમાં અશુભ નક્ષત્ર જ્યેષ્ઠા સાથે રહીને શનિ, ગુરુ, સૂર્ય અને બુધથી દ્રષ્ટ હતો. જેના કારણે સરકારને આ યોજના પર ફરી વિચાર કરવાની જરૂર પડી શકે છે. આગામી સમયમાં આ યોજના પર પુનર્વિચાર કરે તો નવાઈ પામવા જેવું નથી.
18 જૂનથી 2 જુલાઈ આ રાશિઓના જાતકો પર લક્ષ્મીનારાયણની યોગથી ધનવર્ષાના યોગ
અંગારક યોગના કારણે રાજકીય અસ્થિરતા વધશેઆગામી 27 જુલાઈએ મેષ રાશિમાં પ્રવેશ કર્યા બાદ મંગળ 10 ઓગસ્ટ સુધી અહીં રહેશે અને રાહુ સાથે યુતિ કરશે. રાહુ અને મંગળનો નજીકના અંશમાં સંયોગ 2 ઓગસ્ટ સુધી રહેશે. આ યોગના પ્રભાવથી 12 જુલાઈથી 10 ઓગસ્ટની વચ્ચે દેશના પૂર્વોત્તર અને ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદને કારણે જાન-માલનું નુકસાન થશે. ભારે વરસાદ અને પૂરના કારણે પંજાબ, હિમાચલ, મધ્ય પ્રદેશ, પૂર્વી ઉત્તર પ્રદેશ, બિહાર, બંગાળ અને ઓરિસ્સામાં મોટી આફત આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની કન્યા લગ્નની કુંડળીમાં આઠમા ભાવમાં બની રહેલો આ અશુભ રાહુ-મંગળનો સંયોગ તેમની સરકારનું પતન લાવી શકે છે. વૃશ્ચિક રાશિના બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની ભાજપ સાથેની ટક્કર જુલાઇ-ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા સર્જી શકે છે.

Read Next Story