એપશહેર

શનિ વક્રી બન્યા આ ઉપાય અને મંત્રથી મળશે શાંતિ અને સફળતા

I am Gujarat 25 May 2021, 8:43 am
શનિદેવ 23 મેથી મકર રાશિમાં વક્રી થયા છે અને તેઓ 11 મી ઓક્ટોબર સુધી આ રાશિમાં વક્રી રહેશે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શનિદેવ ન્યાયના ભગવાન છે અને દરેક વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે. પરંતુ વક્રી અવસ્થામાં શનિદેવ નબળા થઈ જાય છે અને પૂર્ણ પરિણામો આપી શકતા નથી. મકર અને કુંભ રાશિના સ્વામી શનિદેવ પુષ્ય, અનુરાધા અને ઉત્તરાભદ્રપદ નક્ષત્રના પણ સ્વામી છે. જો શનિ શુભ સ્થિતિમાં હોય તો સમૃદ્ધિની સાથે સુખ-શાંતિ પણ આવે છે, પરંતુ જો તે અશુભ સ્થિતિમાં હો તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચાલો આપણે શનિની શાંતિના કેટલાક ખૂબ સરળ ઉપાય વિશે જાણીએ.
I am Gujarat shani retrograde how to overcome shani bad effect easy jyotish remedy for shani dosh and sadasati
શનિ વક્રી બન્યા આ ઉપાય અને મંત્રથી મળશે શાંતિ અને સફળતા

સાપ્તાહિક રાશિફળ 24થી 30 મેઃ 3 ગ્રહોનો સંયોગ અને ચંદ્ર ગ્રહણ 6 રાશિનું નસીબ બદલાશે
આ રાશિઓ પર છે શનિની સાડાસાતી

પંચાંગ મુજબ, શનિદેવ કુલ 141 દિવસ વક્રી ચાલ ચાલશે અને આ સમય દરમિયાન જે લોકો શનિની સ્થિતિ, મહાદશા, શનિની સાડાસાતી અને ઢૈયામાંથી પસાર થઈ રહ્યા છે, તેઓએ સાવચેત રહેવું જોઈએ અને પોતાનું કાર્ય કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે આ સમયે ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલે છે અને મિથુન તેમજ તુલા રાશિ પર શનિની ઢૈયા ચાલી રહી છે.

શનિદેવ આપે છે શુભ ફળ

શનિદેવને પ્રસન્ન કરવા માટે સરસવનું તેલ, છત્રી, આખી ઉદડની દાળ, લોખંડ, તલ, કાળા રંગના કપડા, અનાજ, દવા વગેરેનું દાન કરી શકો છે. જો તમારી આસપાસ શનિદેવનું મંદિર છે, તો ત્યાં જઇને શનિદેવના દર્શન કરો અને તેમને સરસવના તેલથી અભિષેક કરો. આમ કરવાથી શનિદેવ શુભ ફળ આપે છે.
સાપ્તાહિક લવ રાશિફળઃ પ્રેમ મામલે મે મહિનાનું છેલ્લું સપ્તાહ આ 4 રાશિઓ માટે સુખદ રહેશે
આમની પૂજાથી શનિદેવ થશે શાંત

શનિદેવના ક્રોધથી બચવા માટે મંગળવાર અને શનિવારે હનુમાનની પૂજા કરો. જો તમે ઇચ્છો તો તમે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરી શકો છો. શનિદેવ હનુમાનજીના ભક્તો પર ગુસ્સે થતા નથી. હનુમાનજી ચાલીસા અને સુંદરકંડનો પાઠ કરવાથી શનિદેવ શાંત થાય છે. વળી, વડીલો અને નિમ્ન કામ કરનારાનું પણ માન રાખો.

આ રીતે શનિદેવને કરો પ્રસન્ન

શનિવાર શનિદેવને સમર્પિત છે, તેથી શનિવારે લોખંડ અથવા રબર સંબંધિત વસ્તુઓ ન ખરીદશો. જો તમે ઇચ્છો તો તમે શનિવારે ઉપવાસનું વ્રત પણ કરી શકો છો. આમ કરવાથી શનિની દશા, સાડાસાતી અને ઢૈયાની સ્થિતિમાં નકારાત્મક અસર થતી નથી. તેમજ શનિવારે કાળા કાગડા અથવા કાળા કૂતરાને રોટલી ખવડાવો. આમ કરવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે.
ગ્રહોના રાજકુમાર બુધ આવશે પોતાની રાશિ મિથુનમાં, 12 રાશિઓ પર થશે મોટી અસર
આ રત્ન પણ ધારણ કરી શકો

શનિદેવના શુભ પરિણામ મેળવવા માટે તમે નીલમ રત્ન પણ પહેરી શકો છો. તમને જણાવી દઈએ કે મેષ, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકોએ નીલમ રત્ન ન પહેરવું જોઈએ. વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિવાળા નીલમ રત્ન પહેરી શકે છે. જો કે, આ રત્ન પહેરવા માટે પહેલા જ્યોતિષીઓની સલાહ લો.
23મીએ શનિ મહારાજ વક્રી થશે, 9 રાશિના જાતકોએ સાવધાન રહેવું, 3 રાશિને ફાયદો
આ મંત્રોનો જાપ કરો

શનિના અશુભ પરિણામોને ટાળવા માટે, તમે શનિદેવના વૈદિક મંત્રનો જાપ કરી શકો છો.

- ઓમ શં નો દેવીરભિષ્ટય આપો ભવન્તુ પીતયે।
- ઓમ શં શનૈશ્ચરાય નમઃ ।।
- ઓમ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ ।।
- શનિ બીજ મંત્ર અને તાંત્રિક મંત્ર

રોજ આ મંત્રનો જાપ કરવાથી શનિ શુભ ફળ આપવાનું શરૂ કરે છે અને શનિની દશા, મહાદશા, ઢૈયા, સાડાસાતીના નકારાત્મક પ્રભાવો પણ દૂર થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો