એપશહેર

ધનતેરસ પહેલા જ આજે આખો દિવસ પુષ્ય નક્ષત્ર, ખરીદીના 7 સર્વોત્તમ મુહૂર્ત

I am Gujarat 7 Nov 2020, 8:19 am
'પુષ્ય' નક્ષત્ર જે તમામ કાર્યોમાં સંકલ્પસિદ્ધ કરનાર છે, પુષ્ય નક્ષત્ર શનિવારે સવારે 8:05 વાગ્યાથી શરુ થશે અને પછીના દિવસે સવારે 8:46 સુધી રહેશે. દિવાળી પહેલાં ખરીદી માટે 7 નવેમ્બરે પુષ્ય નક્ષત્રની સાથે 3 શુભ યોગ છે. આ દિવસે સવારથી મોડી રાત સુધી ખરીદી કરી શકાશે. આ માટે શનિવારે રાતે 12 વાગ્યા સુધી 7 શુભ મુહૂર્ત છે. એવી માન્યતા છે કે દિવાળી પહેલાં આવતા પુષ્ય નક્ષત્રમાં ખરીદેલી વસ્તુઓ ફળદાયી, લાંબા સમય સુધી સ્થાયી અને સમૃદ્ધિ આપનારી હોય છે.
I am Gujarat today pushya nakshtra before diwali 2020 is very auspicious shubh muhurt to buy gold and any other precious things know timing as per indian jyotish
ધનતેરસ પહેલા જ આજે આખો દિવસ પુષ્ય નક્ષત્ર, ખરીદીના 7 સર્વોત્તમ મુહૂર્ત


તેમાં પણ આ નક્ષત્ર શનિવારે આવવાના કારણે 07 નવેમ્બરના રોજ અદ્ભૂત યોગ રચાઇ રહ્યો છે. મુહૂર્ત ગ્રંથો અનુસાર, દિવસ અને રાતના મધ્યમાં 30 મુહૂર્તો છે, જેમાં ઘણા મુહૂર્તો છે જેમાં કોઈ પણ જરૂરી કાર્ય કરી શકાય છે, પરંતુ વાર અને નક્ષત્રના જોડાણને લીધે આવા ઘણા શુભ યોગો રચાયા છે.

પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુને માનવામાં આવ્યા છે અને શનિ આ નક્ષત્રના દિશા પ્રતિનિધિ માનવામાં આવ્યા છે. ગુરુથી શુભતા, બુદ્ધિમત્તા અને જ્ઞાન મળે છે, જ્યારે શનિ સ્થિરતાનું પ્રતીક છે, આથી આ બંને યોગ મળીને પુષ્ય નક્ષત્રને શુભ અને ચિર સ્થાયી બનાવે છે. આજના દિવસે નીચે પ્રમાણે મુહૂર્ત મુજબ ખરીદી કરશો તો ચોક્કસ ફાયદામાં રહેશો.

- આજે સવારથી શરું થતું પુષ્ય નક્ષત્ર અને દિવસના મુહૂર્તના યોગ મુજબ સવારે 8:10થી 9:25 સુધી વાહન, ઘરેલુ ઉપયોગી વસ્તુઓ, તાંબાનાં વાસણ, ચલ સંપત્તિ ખરીદવી ઉત્તમ છે.

- ત્યારબાદ બપોરે 12:10થી 1:25 સુધી પુષ્ય નક્ષત્ર અને અભિજિત મુહૂર્તમાં ઘરેણાં, ઘર જરૂરિયાતનો સામાન, વાહન જેવી વસ્તુઓ ખરીદવાથી સર્વોત્તમ ફળ મળે છે.

- ત્યારબાદ ત્રીજુ ઉત્તમ મુહૂર્ત તરત જ બપોરે 01:26થી 2:45 સુધી આવે છે. જેમાં તમે ચલ-અચલ સંપત્તિ, બચત અને રોકાણ જેવી બાબતોનો વિચાર કરી શકો છો.

- જે બાદ બપોરે 2:46થી સાંજે 4:10 સુધી કપડાં, મીઠાઈઓ, ઘરેણાં, વાહન, પ્રોપર્ટી વગેરે ખરીદી શકાય છે.

- જે પછીનું મુહૂર્ત સાંજે 5:35થી 7:10 સુધી છે આ સમયગાળમાં સોનું, ચાંદી, તાંબાનાં વાસણ, રત્નાભૂષણ વગેરે ખરીદી શકાય છે.

- ત્યાર બાદ બીજું એક મુહૂર્ત રાતે 8:45થી 10:25 સુધી છે જેથી તે દરમિયાન પણ તમે સોના-ચાંદીનાં ઘરેણાં વગેરે ખરીદી શકો છો.

- આ ઉપરાંત જો આજે તમારે કોમ્પ્યુટર કે સ્ટેશનરી તેમજ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવી હોયો તો તે માટે રાતે 10:26થી 12:00 સુધી ઉત્તમ મૂહુર્ત છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો