એપશહેર

આર્થિક સમસ્યા હોય તો તુલા સંક્રાંતિના દિવસે કરો આ ઉપાય

જીવનમાં ધન ધાન્યની સમસ્યા હોય અને મહેનત કર્યા પછી પણ સફળતા ન મળતી હોય તો મહાલક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલા સંક્રાંતિનો દિવસ છે ખૂબ જ શુભ.

I am Gujarat 16 Oct 2021, 10:59 am
સનાતન ધર્મમાં તુલા સંક્રાંતિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તુલા સંક્રાંતિ એ સમય છે જ્યારે ભગવાન સૂર્યદેવ તુલા રાશિમાં પ્રવેશ કરે છે. ભારતીય પંચાંગની ગણના મુજબ આ વખતે તુલા સંક્રાંતિ રવિવાર 17 ઓક્ટોબરના દિવસે છે. આપણા દેશના ઘણા રાજ્યોમાં તુલા સંક્રાંતિના દિવસને ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. કર્ણાટક અને ઓરિસ્સામાં આ દિવસને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘણી જગ્યાએ નદીઓના કિનારે મેળાનું પણ આયોજન કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવામાં આવે છે તો તેમની કૃપાથી જીવનમાં ક્યારેય ધનની અછત રહેતી નથી. તો ચાલો આપણે પણ જાણીએ મહાલક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાયો.
I am Gujarat tula sankranti lakshmi poojan upay and remedy for bad financial situation
આર્થિક સમસ્યા હોય તો તુલા સંક્રાંતિના દિવસે કરો આ ઉપાય


- તુલા સંક્રાંતિ અને તુલા રાશિમાં સૂર્યના ગોચરના આ મહિના દરમિયાન પવિત્ર જળાશયો અને નદીઓમાં સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, આ દિવસે, કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરો, જો તમે ક્યાંય જઈ શકતા નથી તો ઘરે સ્નાનનાં પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરો. આ પછી, સૂર્ય ભગવાનની પૂજા કર્યા પછી, લાલ રંગની વસ્તુઓ જરૂરિયાતમંદોને દાન કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સૂર્ય ભગવાન અને મહાલક્ષ્મી બંને ખૂબ જ પ્રસન્ન થાય છે અને જાતકોને ધન-ધાન્યના આશીર્વાદ આપે છે.
ઓક્ટોબરના મધ્યમાં ત્રણ ગ્રહોની સીધી ચાલ, તમારા ખિસ્સા પર શું થશે અસર?
સૂર્ય ગોચર - તુલા સંક્રાંતિના સમયે ડાંગરનો પાક સંપૂર્ણપણે પાકે છે. આ જ કારણ છે કે ઘણા રાજ્યોમાં ખેડૂતો આ દિવસે માતા મહાલક્ષ્મીને તાજા ડાંગર અર્પણ કરે છે. આ પછી માતાની પૂજા પ્રાર્થના કરે છે કે દેવી મહાલક્ષ્મી તેમના પાકને દુષ્કાળ, પૂર, જીવાત અને રોગથી બચાવે અને દર વર્ષે તેમને મહત્તમ પાક આપે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દેવી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને ધનધાન્યના આશીર્વાદ આપે છે.

તુલા સંક્રાંતિના દિવસે દેવી મહાલક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ વિધાન છે. એવું માનવામાં આવે છે કે જો આ દિવસે સહપરિવાર દેવી લક્ષ્મીની પૂજા કર્યા બાદ માતાજીને ચોખા અર્પણ કરવામાં આવે તો જીવનમાં અનાજના ભંડાર હંમેશા ભરેલા રહે છે અને ક્યારેય ધનની અછત રહેતી નથી.

નોંધ: અહીં જણાવેલ ઉપાયો પૌરાણિક માન્યતાઓ પર આધારિત છે. તેને કરતાં પહેલા તમારા જ્યોતિષીઓની સલાહ જરુર લેવી જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો