એપશહેર

એક સમયે હતો દબદબો, હવે પૂરાં થવામાં છે ડીઝલ એન્જિન SUVના દિવસો?

Gaurang Joshi | I am Gujarat 30 Nov 2019, 11:33 pm
શર્મિષ્ઠા મુખર્જી, નવી દિલ્હીઃ ભારતમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) કાર પસંદ કરતા લોકો પેટ્રોલ એન્જિનને વધારે મહત્વ આપી રહ્યાં છે. જેથી સ્પષ્ટ છે કે જે સેગમેન્ટમાં એક સમયે ડીઝલ એન્જિનનો દબદબો હતો તે હવે પૂરું થવામાં છે. સપ્ટેમ્બર 2019માં સ્થાનીક બજારમાં વેચાયેલા 35% યુટિલિટી વ્હીકલ પેટ્રોલ એન્જિનવાળા હતાં અને તે આંકડો ગત વર્ષે સપ્ટેમ્બરમાં 17% જેટલો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો BS6 માપદંડમાં પેટ્રોલ એન્જિન પહેલી પસંદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજોનું કહેવું છે કે બીએસ-6 માપદંડ ધરાવતા વાહનોના આવવાના કારણે પેટ્રોલ તથા ડીઝલ વાહનો વચ્ચે કિંમતમાં અસમાનતા વધશે. જેના કારણે આવતા મહિનાઓમાં મોટાભાગના લોકોની પસંદ પેટ્રોલ એસયુવી બનશે. મારુતિ સુઝુકીમાં એક્ઝિક્યૂટિવ ડિરેક્ટર (માર્કેટિંગ એન્ડ સેલ્સ) શશાંક શ્રીવાસ્તવનું કહેવું છે કે,’બીએસ-6 માપદંડ પૂરી રીતે લાગુ થયા પછી ગ્રાહક સ્મોલ તથા મિડસાઈઝ એસયુવીમાં માત્ર પેટ્રોલ એન્જિનને જ મહત્વ આપશે અને માત્ર લાર્જ યુટિલિટી વ્હીકલ્સમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પ્રાસંગિક રહેશે.’ આ મોડલ બંધ કરશે મારુતિ કંપની મારુતિ અર્ટિગાને પેટ્રોલ તથા ડીઝલ બન્ને વેરિયન્ટમાં વેચે છે અને 56% વેચાણ પેટ્રોલ વેરિયન્ટમાં આવે છે. એપ્રિલ 2020માં કંપની એસયુવી વિટારા બ્રેઝા અને એસ-ક્રોસના ડીઝલ વેરિયન્ટને બનાવવાનું બંધ કરશે અને તે માત્ર પેટ્રોલ એન્જિનવાળા મોડલને જ વેચશે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટ્યુ અંતર શ્રીવાસ્તવે ઈકોનોમિક ટાઈમ્સને કહ્યું કે,’અનેક શહેરોમાં પેટ્રોલ તથા ડીઝલ એન્જિન વચ્ચે કિંમતનું અંતર ઘટીને પાંચ રુપિયા થઈ ગયું હતું. જે મે 2012માં 31 રુપિયા હતું. હાલત એવી છે કે કેટલાક રાજ્યો જેમ કે, ગુજરાત, ઓરિસ્સા, ગોવામાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધારે છે. જેના કારણે ડીઝલ એન્જિન ધરાવતા વાહન લેવાનો કોઈ જ મતલબ નથી. આ ઉપરાંત ગ્રાહક પર્યાવરણ અંગે પહેલા કરતાં વધારે સંવેદનશીલ છે. મોટાભાગના લોકોને લાગે છે કે વાહનોથી થનાર પ્રદૂષણને રોકવા માટે ડીઝલ એન્જિન પર પણ પ્રતિબંધ લાગી શકે છે. જેના કારણે યુટિલિટી વ્હીકલ સેગમેન્ટમાં પણ પેટ્રોલ એન્જિન ધરાવતા મોડલનું વેચાણ વધ્યું છે.’ 15-20% મોંઘા થશે ડીઝલ એન્જિન વાહન બીએસ-6 માપદંડના લાગુ થયા પછી ડીઝલ વાહનોની કિંમત પેટ્રોલ વાહનોની સરખામણીમાં 15-20 ટકા વધારે થશે. જેના કારણે ડીઝલ વાહનોની માંગમાં ઉણપ થઈ શકે છે. એમજી મોટર ઈન્ડિયાના પ્રેઝિડન્ટ રાજીવ ચાબાએ કહ્યું કે,’બીએસ-6 માપદંડ લાગુ થયા પછી 1.5 લીટરથી ઓછી ક્ષમતા ધરાવતા તમામ વાહનોના ડીઝલ વેરિયન્ટની માંગમાં નાટકીય ઢબે પછડાટ જોવા મળશે.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો