એપશહેર

કોરોનાથી અત્યાર સુધી 1.89 કરોડ લોકો બેરોજગાર, માત્ર જુલાઈમાં જ 50 લાખ નોકરી છીનવાઈ

I am Gujarat 20 Aug 2020, 9:51 am
સેન્ટર ફોર મોનિટરિંગ ઈકોનોમી (CMIE)એ કહ્યું કે, જુલાઈ મહિનામાં લગભગ 50 લાખ લોકોએ નોકરી ગુમાવી છે. જેના કારણે કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે નોકરી ગુમાવનારા લોકોની સંખ્યા 1.89 કરોડ સુધી પહોંચી ગઈ છે. જૂનમાં અનલોકની પ્રક્રિયા સાથે જ કેટલીક નોકરીઓમાં રિકવરી જોવા મળી, પરંતુ સ્થાનિક સ્તરે લાગનારા નાના-મોટા લોકડાઉનના કારણે જુલાઈમાં નોકરીઓમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ લોકડાઉન તમામ કેન્ટેનમેન્ટ ઝોનમાં થઈ રહ્યા છે, જેથી કોરોના વાયરસના પ્રસારને રોકી શકાય.
I am Gujarat job 1


CMIEની રિપોર્ટ મુજબ, 1.77 કરોડ લોકોએ એપ્રિલમાં નોકરી ગુમાવી હતી અને મે મહિનામાં લગભગ 1 લાખ લોકોની નોકરી ગઈ. આ બાદ જૂનમાં લગભગ 39 લોકોને નોકરી પાછી મળી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે જૂનથી અનલોકની પ્રક્રિયા શરૂ થઈ, જે અંતર્ગત નોકરીઓ વધી હતી. જુલાઈમાં એકવાર ફરીથી નોકરીઓ ગઈ છે.

CMIE કહ્યું કે, જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી નોકરિયાત કર્મચારીઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અત્યાર સુધી 1.89 કરોડ લોકોની નોકરી છીનવાઈ ગઈ છે. CMIEએ કહ્યું કે, નોકરીઆત લોકો માટે સ્થિતિ ખરાબ થયેલી છે. નોંધનીય છે કે ભારતમાં લગભગ 21 ટકા નોરિયાત લોકો છે, જેના પર કોરોના વાયરસની સૌથી વધુ અસર થઈ છે.

ડેટા મુજબ, આ દરમિયાન રોજ મજૂરી કરતા 68 લાખ લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી. જોકે અંદાજે 1.49 કરોડ લોકો આ દરમિયાન ખેતી તરફ વળ્યા હતા. ઉલ્લેખનીય છે કે દેશભરમાં અત્યાર સુધી 27 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોનાથી દેશની ઈકોનોમી ખરાબ થઈ છે. જોકે લોકડાઉન બાદ ધીમે-ધીમે જોબ રિકવરી જોવા મળી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો