એપશહેર

રેડિયો મિર્ચીની આવક નબળા માર્કેટમાં પણ 10% વધી

I am Gujarat 6 Aug 2019, 2:09 pm
70551511 મુંબઈ:ભારતની અગ્રણી FM રેડિયો ચેનલ રેડિયો મિર્ચીનું સંચાલન કરતી કંપની એન્ટરટેઇન્મેન્ટ નેટવર્ક (ઇન્ડિયા) લિ (ENIL)એ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં નબળા અર્થતંત્રની વચ્ચે પણ સ્ટેન્ડઅલોન ઓપરેટિંગ આવકમાં 10 ટકા ઉછાળો નોંધાવ્યો છે.
I am Gujarat 10 126
રેડિયો મિર્ચીની આવક નબળા માર્કેટમાં પણ 10% વધી


ટાઇમ્સ ગ્રૂપની કંપની ENILની આવક ₹129.7 કરોડ નોંધાઈ હતી, જે ગયા નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ₹117.96 કરોડ હતી. જો તેની અન્ય ઓપરેટિંગ ઇન્કમ અને અન્ય ઇન્કમ ગણીએ તો કુલ આવક ₹134.68 કરોડ થઈ હતી.

જૂન ’19 ક્વાર્ટરમાં કન્ઝ્યુમર ઇકોનોમીમાં નરમાઈ હોવાથી કંપનીઓ દ્વારા એડ્વર્ટાઇઝિંગ ખર્ચમાં ઘટાડો થયો હોવા છતાં ENILની આ‌વકમાં આટલો ઉછાળો થયો હતો. “લોકસભાની ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો તરફથી સારી એવી આ‌વક મળવા છતાં રેડિયોની આવક દબાણ હેઠળ રહી હતી.” એમ ENILના MD અને CEO પ્રશાંત પાંડેએ કહ્યું હતું.

ENILએ જૂન ’19 ક્વાર્ટરમાં ₹24.4 કરોડનો ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) અને ₹4.83 કરોડનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો. ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીએ આ વર્ષે કંપનીના EBITDA અને PAT બંને ઘટ્યા હતા.

જોકે, પાંડેએ કહ્યું હતું કે, રેડિયો મિર્ચીની કોર રેડિયો રેવન્યૂ માત્ર 1 ટકા વધી હતી ત્યારે કંપનીના સોલ્યુશન્સ બિઝનેસમાં તગડા માર્જિન સાથે 42 ટકાનો મજબૂત રેવન્યૂ ગ્રોથ નોંધાયો હતો. “ચાલુ વર્ષે અમારો સોલ્યુશન્સ બિઝનેસ મોમેન્ટમ આપશે તેવો અમને વિશ્વાસ છે.” એમ પાંડેએ કહ્યું હતું.

ENIL 63 શહેરોમાં FM સ્ટેશન્સનું સંચાલન કરે છે. ENILની માલિકી બેનેટ, કોલમેન & કં લિ (BCCL)ની છે, જે ધી ઇકોનોમિક ટાઇમ્સની પણ માલિકી ધરાવે છે. ENILનો શેર સોમવારે 0.53 ટકા વધીને ₹390એ બંધ રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો