એપશહેર

2018માં વિદેશી ફંડ્સની વેચવાલી ₹1 લાખ કરોડનો આંક વટાવી જવાની ધારણા

I am Gujarat 17 Dec 2018, 11:47 am
67123048 નવી દિલ્હી:વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અથવા એફપીઆઇએ 2018માં ભારતના મૂડીબજારમાં આશરે ₹1 લાખ કરોડની વેચવાલી કરી છે. તેનાથી ભારતના મૂડીબજારમાં વિદેશી ફંડ્સના રોકાણના સંદર્ભમાં 2018 સૌથી ખરાબ વર્ષ પુરવાર થવાની ધારણા છે.
I am Gujarat 2018 1
2018માં વિદેશી ફંડ્સની વેચવાલી ₹1 લાખ કરોડનો આંક વટાવી જવાની ધારણા


ડિપોઝિટરીઝ અને એક્સ્ચેન્જના ડેટા મુજબ 2017માં એફપીઆઇએ ભારતના ઇક્વિટી અને ડેટ માર્કેટમાં આશરે ₹2 લાખ કરોડનો ચોખ્ખું રોકાણ કર્યું હતું. 2018માં અત્યાર સુધી એફપીઆઇએ ભારતના બજારથી આશરે ₹87,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ચાલુ વર્ષે હવે આશરે 15 ટ્રેડિંગ સપ્તાહ બાકી છે. એનાલિસ્ટ્સે જણાવ્યું હતું કે આરબીઆઇના ગવર્નરનું અણધાર્યું રાજીનામું અને રાજકીય સ્થિતિને કારણે આ ટ્રેન્ડ ચાલુ રહેવાની ધારણા છે.

ચાલુ વર્ષે ડેટ માર્કેટમાં વિદેશી ફંડ્સની વેચવાલી આશરે 7.6 અબજ ડોલર (આશરે ₹52,700 કરોડ) રહી છે અને ઇક્વિટી માર્કેટ્સમાં તેમનો ચોખ્ખો આઉટફ્લો આશરે 4.6 અબજ ડોલર અથવા આશરે ₹35,000 કરોડ રહ્યો હતો. તેનાથી કુલ આઉટફ્લો આશરે ₹87,700 કરોડ (12 અબજ ડોલર) રહ્યો છે. જો નાણાપ્રવાહનો ટ્રેન્ડ નહીં બદલાય તો વિદેશી ફંડ્સના રોકાણના સંદર્ભમાં 2018નું વર્ષ 2002 પછીથી સૌથી ખરાબ બની શકે છે.

2018 પહેલાં સળંગ છ વર્ષ સુધી એફપીઆઇએ ભારતનાં બજારોમાં ચોખ્ખી ખરીદી કરી હતી. 2017માં વિદેશી નાણાપ્રવાહ ₹51,000 કરોડ, 2016માં ₹20,500 કરોડ, 2015માં ₹17,800 કરોડ, 2014માં ₹97,000 કરોડ, 2013માં ₹1.13 લાખ કરોડ અને 2012માં ₹1.28 લાખ કરોડ રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો