નવી દિલ્હી: સરકારી બેંકો દ્વારા સંચાલિત એક ચતુર્થાંશ ATM છેતરપિંડીની બાબતે નબળા સાબિત થઈ શકે છે. સરકારે ઈશારો કર્યો છે કે, આઉટડેટેડ સૉફ્ટવેરના કારણે આ ATM સુરક્ષિત નથી. આ વાત સંસદમાં પૂછવામાં આવેલા સરકારી બેંકો સાથે સંબંધિત એક સવાલના જવાબમાં સામે આવી છે. સરકારની તરફથી કહેવામાં આવ્યું છે કે, સિક્યૉરિટી ફીચરની ઉણપને કારણે ATM ફ્રૉડની શક્યતાઓ રહે છે. જોકે, સરકારે પ્રાઈવેટ બેંકો દ્વારા સંચાલિત ATM વિશે કંઈ જ કહ્યું નથી.
89% ATM સરકારી, 70% ટ્રાન્ઝેક્શન સરકારી બેંકોથી
દેશમાં મોટાભાગના ATM પબ્લિક સેક્ટર દ્વારા સંચાલિત છે. સરકારે સંસદમાં જણાવ્યું કે, લગભગ 89% એવા એટીએમ છે જે તેમના દ્વારા સંચાલિત છે. પ્રાઈવેટ બેંકોની વધતી જતી દખલગિરી છતા વર્તમાન સમયમાં 70 ટકા લેવડ-દેવડ સરકારી બેંકોથી થાય છે. તાજેતરના જ કેટલાક મહિનાઓમાં ગ્રાહકોએ ATM ફ્રૉડ વિશે ફરિયાદો કરી છે. ત્યારબાદ RBIએ એડવાઈઝરી રજૂ કરતા બેંકોને નિશ્ચિત સમયમાં સૉફ્ટવેર અપડેટ કરવા માટે કહ્યું છે.
બેંકોએ આ રીતે કર્યો પોતાનો બચાવ
જોકે, બેંકોનું કહેવું છે કે, આ સમય મર્યાદા દરમિયાન આટલા બધા ATM અપડેટ કરવા અઘરું છે. સરકારે સંસદમાં કહ્યું કે, જુલાઈ 2017થી જૂન 2018 દરમિયાન ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ સાથે જોડાયેલી 25000 હજાર ફરિયાદો મળી છે. પરંતુ કુલ લેવડદેવડની સંખ્યા 861 કરોડ જેની સરખામણીમાં ફરિયાદો ઘણી ઓછી છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.