એપશહેર

કોરોના: લોકડાઉનના કારણે દેશમાં 30% કરતા વધુ રેસ્ટોરન્ટ્સ થઈ બંધ

દેશમાં 30% કરતા વધારે રેસ્ટોરન્ટ્સ હંમેશાં માટે બંધ થઈ ગઈ.

I am Gujarat 7 Sep 2020, 4:24 pm
નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારીના કારણે રેસ્ટોરન્ટ્સને ભારે નુકસાન થયું છે. એપ્રિલથી ઓગસ્ટ મહિના દરમિયાન સમગ્ર ભારત દેશમાં 30% કરતા વધારે રેસ્ટોરન્ટ્સ હંમેશાં માટે બંધ થઈ ગઈ છે. નેશનલ રેસ્ટોરન્ટ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ આ વાતની જાણકારી આપી છે.
I am Gujarat q2
પ્રતીકાત્મક તસવીર


રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksએ ગુરુવારે નુકસાન ભોગવી રહેલા પોતાના 105 ડાઈન-ઈન સ્ટોરને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ કંપની ડોમિનોઝ પિઝા અને ડન્કિન ડોનટ્સ સહિત કુલ 1354 સ્ટોરનું સંચાલન કરે છે.

રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksના ચેરમેને આ મુદ્દે વાત કરતા જણાવ્યું કે એવી આશા રાખીને બેઠા છીએ કે વર્ષના અંત સુધીમાં સ્થિતિ સુધરી જશે. કંપનીના મેનેજમેન્ટે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorks નવા 100 સ્ટોર જોડશે. પણ, તેઓ ફૂડ ડિલિવરી પર વધારે ધ્યાન કેન્દ્રિત કરશે. એપ્રિલ-જૂનના ત્રિમાસિક દરમિયાન રેસ્ટોરન્ટ ચેઈન Jubilant FoodWorksના સ્ટોરમાંથી થતા વેચાણમાં 61.5%નો ઘટાડો થયો છે.

યમ બ્રાન્ડ્સે પણ 29 પિઝા હટ્સ સ્ટોર બંધ કર્યા છે. વાર્ષિક આધારે કેએફસી માટે વેચાણમાં 74% અને પિઝા હટ માટે 66%નો ઘટાડો નોંધ્યો છે. આ ઈન્ડસ્ટ્રીના તમામ એક્ઝિક્યુટિવના જણાવ્યા મુજબ આગામી 2થી 3 ત્રિમાસિક દરમિયાન જો કંપનીઓ નુકસાન ઉઠાવી શકશે તો આગળ જતા તેઓને ફાયદો થશે. કોરોના વાયરસની મહામારીના કારણે આ સેક્ટરને ખૂબ નુકસાન થયું છે. સમગ્ર દેશમાં મોટી સંખ્યામાં રેસ્ટોરન્ટ અને બાર બંધ થઈ રહ્યા છે. આ સેક્ટરમાં 70 લાખ કરતા પણ વધારે ભારતીયો કામ કરે છે.

ગત મહિને ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ એક રિપોર્ટ જાહેર કર્યો હતો કે જેમાં એવું જણાવવામાં આવ્યું હતું કે કોરોના વાયરસ ખતમ થયા પછી પણ આશરે 30% રેસ્ટોરન્ટ ફરી ખુલી નહીં શકે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો