એપશહેર

ડિયાજિયો માલ્યાને રૂ.447 કરોડના હપતા નહીં ચૂકવે

I am Gujarat 28 Jul 2017, 2:01 pm
સાગર માલવિયા/કલા વિજયરાઘવન
I am Gujarat business/447
ડિયાજિયો માલ્યાને રૂ.447 કરોડના હપતા નહીં ચૂકવે


મુંબઈ: વિશ્વની સૌથી મોટી શરાબ કંપની ડિયાજિયો Plcએ જણાવ્યું છે કે, તે વિજય માલ્યાને કેટલીક જોગવાઈનો ભંગ કરવા સહિતના કારણસર બાકીના ૫.૩ કરોડ પાઉન્ડ (રૂ.447કરોડ)ના હપ્તા નહીં ચૂકવે. પાંચ વર્ષ સુધી એકબીજા સામે સ્પર્ધા નહીં કરવાના, એકબીજાના બિઝનેસમાં દરમિયાનગીરી નહીં કરવાના અને USL સંબંધિત નિમણૂક તથા વહીવટના અધિકારો રદ કરવાની શરતો સાથેના ગયા વર્ષે થયેલા કરાર હેઠળ ડિયાજિયોએ ગયા જૂનમાં માલ્યાને 2.8 કરોડ પાઉન્ડ (રૂ.236 કરોડ) ચૂકવ્યા હતા.

નાણાકીય વર્ષના પર્ફોર્મન્સના કંપનીના નિવેદનમાં જણાવ્યા પ્રમાણે, ડો. માલ્યા દ્વારા 25 ફેબ્રુઆરી, 2016ના કરારની વિવિધ જોગવાઈના ભંગ સહિતના વિવિધ કારણસર ડિયાજિયો એવું માને છે કે, તે ફેબ્રુઆરી ૨૦૧૭માં ૭૦ લાખ ડોલરનું ઇન્સ્ટોલમેન્ટ ચૂકવવા માટે જવાબદાર નહોતી અને તેને જોતાં તે ભવિષ્યમાં પણ હપ્તાઓ ચૂકવે તેવી શક્યતા રહેતી નથી.

કંપનીએ નિવેદનમાં ઉમેર્યા પ્રમાણે, ડિયાજિયો દ્વારા માલ્યાને રૂ.236 કરોડ ચૂકવવામાં આવ્યા હતા પરંતુ તેમણે અનેક નિયમોનો ભંગ કર્યો હોવાથી ડિયાજિયો આ રકમની પરત માંગણી કરે છે અને તેમના નિયમભંગને કારણે કંપનીની ગયેલી વિવિધ ખોટ માટે વળતરનો દાવો કરે છે. વર્ષ 2012માં જ્યારે ડિયાજિયોએ USLનો અંકુશાત્મક હિસ્સો ખરીદ્યો ત્યારે તેણે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડને ગેરન્ટી ઇશ્યૂ કરી હતી.

માલ્યા અત્યારે બ્રિટનમાં છે અને કિંગફિશર એરલાઈન્સ માટે લીધેલી લોનનો ઉપયોગ અન્ય હેતુસર કરવા બદલ તેમની સામે કોર્ટમાં કેસ ચાલે છે. ડિયાજિયોના ભારતીય એકમે માલ્યાની વિરુદ્ધમાં અનેક કેસ પણ કર્યા છે. USLના કહેવા પ્રમાણે, માલ્યાએ હિસ્સો વેચીને મેળવેલા ભંડોળને ટેક્સ હેવન દેશોની ડઝનેક કંપનીમાં ટ્રાન્સફર કર્યો હતો. આ કંપનીઓમાં તેઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિસ્સો ધરાવે છે. ]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો