એપશહેર

ગોએરે 50 દૈનિક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડશે

I am Gujarat 24 Jan 2020, 3:01 pm
73575586 મુંબઈ:સસ્તાં-ભાડાંની એરલાઇન ગોએરે સિંગાપોર અને કુવૈત જેવા ઈન્ટરનેશનલ સ્થળો સહિતની તેની 50 દૈનિક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડશે કારણ કે, કંપની તેના પ્રાટ & વ્હિટની (P&W) એન્જિનથી ચાલતા એરબસ A320 નીયો વિમાનોને લઇને હજુ પણ મુશ્કેલીનો સામનો કરી રહી છે એમ એક પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું. ગોએરે તેના 49 વિમાનોના કાફલામાંથી ઓછામાં ઓછા સાત વિમાનને ઉડાડવાનું બંધ કરી દીધું છે. એક વિમાન દરરોજ સરેરાશ 8-9 ડોમેસ્ટિક ઉડાન ભરી શકે છે.
I am Gujarat 50 63
ગોએરે 50 દૈનિક ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડશે


ગોએરે ગુરુવારે સવારે જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, 9 માર્ચ સુધી તેની કેપેસિટીમાં ગેપ જળવાઈ રહેશે કારણ કે, નવા વિમાનોની ડિલિવરીમાં વિલંબ થશે. “છેલ્લાં ચાર સપ્તાહમાં અમારે વિમાનોને બંધ કરવા પડ્યા હતા. હવે અમારા બિઝનેસ પાર્ટનર્સ એરબસ અને P&Wએ અમને એવું જણાવ્યું છે કે, તેઓ નક્કી થયેલા સમય પ્રમાણે વિમાનોની અને એન્જિનની ડિલિવરી કરી શકે એમ નથી. 9 માર્ચ સુધી ડિલિવરી મળે એમ નથી. પરિણામે, અમને ચોક્કસ ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી છે” એમ ગોએરે નિવેદનમાં જણાવ્યું છે.

ગોએર પાસે લગભગ 30 નીયો વિમાન છે અને તેણે P&W GTF એન્જિનથી ચાલતા કુલ 144 વિમાનનો ઓર્ડર આપેલો છે. કંપનીએ ગયા વર્ષના નવેમ્બરમાં આ ઓર્ડર
આપ્યો હતો. આ એન્જિનને લઇને છેક ફેબ્રુઆરી 2016થી સવાલો ઊઠી રહ્યાં છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો