એપશહેર

ડાયરેક્ટ ટેક્સમાં ગયા વર્ષે ₹50,000 કરોડની ઘટ પડશે

I am Gujarat 10 Apr 2019, 8:57 am
68804984 નવી દિલ્હી:સરકારને પ્રત્યક્ષ વેરાની આવકમાં 2018-’19માં ₹50,000 કરોડની ઘટ પડવાનો અંદાજ છે. નાણામંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્ય ₹12 લાખ કરોડનો હતો.
I am Gujarat 50000 8
ડાયરેક્ટ ટેક્સમાં ગયા વર્ષે ₹50,000 કરોડની ઘટ પડશે


પ્રત્યક્ષ વેરામાં ઘટની સાથે GSTની આવકમાં ઘટાડાની રાજકોષીય ખાધ પર પ્રતિકૂળ અસર થઈ શકે. સરકારે રાજકોષીય ખાધ માટે GDPના 3.4 ટકાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “2018-’19માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન લગભગ ₹11.5 લાખ કરોડ છે.” સરકારે પ્રત્યક્ષ વેરાની આવકનો લક્ષ્યાંક બજેટમાં ₹11.5 લાખ કરોડ નિર્ધારિત કર્યો હતો, જે વધારીને ₹12 લાખ કરોડ કરાયો હતો.

સરકારને કોર્પોરેટ ટેક્સમાંથી વધુ કલેક્શનનો અંદાજ હતો. પ્રત્યક્ષ વેરાના ટાર્ગેટમાં સરકારે ફેબ્રુઆરી 2019-’20ના વચગાળાના બજેટમાં ફેરફાર કર્યો હતો. GST કલેક્શનનો ટાર્ગેટ પણ બજેટ અંદાજના ₹7.44 લાખ કરોડથી ઘટાડી ₹6.44 લાખ કરોડ કરાયો હતો. GST કલેક્શનના આંકડા પરથી જણાય છે કે, સરકાર સુધારેલો ટાર્ગેટ ચૂકી જશે. ઉલ્લેખનીય છે કે, GST કાઉન્સિલે 2018-’19માં ઘણી વખત ટેક્સના દરમાં ઘટાડો કર્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો