નવી દિલ્હી: ભારતના લગભગ 47 લાખ કેન્દ્રિય કર્મચારી અને લગભગ 53 લાખ પેન્શનધારકો સાતમું પગાર પંચ લાગુ થયા બાદ વધેલી સેલેરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઈન્ટનેટ પર પણ સાતમા પગાર પંચને લગતી માહિતીઓ અંગે ઘણા લોકોએ સર્ચ કર્યું. 29 જૂને મોદી સરકાર દ્વારા રિપોર્ટને કેટલાક સુધારાઓની સાથે સ્વીકાર કરવાનો નિર્ણય લેવાયા બાદ લોકોમાં તેને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.
સૂત્રો મુજબ, સરકાર આ રિપોર્ટની વિવાદિત બાજુઓને છોડીને બાકી બધી ભલામણોને લાગુ કરવા માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો નોટિફિકેશન આવતા સપ્તાહ સુધીમાં બહાર પાડવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, જો કોઈ પ્રકારની સમસ્યા નહીં આવે તો ઓગસ્ટ માસથી જ વધેલું પગાર ધોરણ કેન્દ્રિય કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવી શકે છે.
પગાર પંચનો રિપોર્ટ લાગુ કરવાનો રસ્તો સરળ નથી. ઘણા કર્મચારી સંગઠન પગાર પંચની લઘુત્તમ પગાર ધોરણની ભલામણોથી નારાજ હતા અને સરકારને અનિશ્વિત સમયની હડતાળની ધમકી આપી ચૂક્યા છે. કર્મચારી સંગઠનોની માંગ છે કે, લઘુત્તમ પગાર ધોરણ 18,000 રૂપિયાથી વધારી 26,000 રૂપિયા કરી દેવામાં આવે. તો, સરકારી સૂત્રોનું માનીએ તો સરકાર લઘુત્તમ પગાર ધોરણને 22થી 23 હજાર રૂપિયા સુધી વધારી શકે છે.
સૂત્રો મુજબ, સરકાર આ રિપોર્ટની વિવાદિત બાજુઓને છોડીને બાકી બધી ભલામણોને લાગુ કરવા માટે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડે તેવી શક્યતા છે. સૂત્રોનું માનીએ તો નોટિફિકેશન આવતા સપ્તાહ સુધીમાં બહાર પાડવામાં આવી શકે છે. સૂત્રોનું કહેવું છે કે, જો કોઈ પ્રકારની સમસ્યા નહીં આવે તો ઓગસ્ટ માસથી જ વધેલું પગાર ધોરણ કેન્દ્રિય કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવી શકે છે.
પગાર પંચનો રિપોર્ટ લાગુ કરવાનો રસ્તો સરળ નથી. ઘણા કર્મચારી સંગઠન પગાર પંચની લઘુત્તમ પગાર ધોરણની ભલામણોથી નારાજ હતા અને સરકારને અનિશ્વિત સમયની હડતાળની ધમકી આપી ચૂક્યા છે. કર્મચારી સંગઠનોની માંગ છે કે, લઘુત્તમ પગાર ધોરણ 18,000 રૂપિયાથી વધારી 26,000 રૂપિયા કરી દેવામાં આવે. તો, સરકારી સૂત્રોનું માનીએ તો સરકાર લઘુત્તમ પગાર ધોરણને 22થી 23 હજાર રૂપિયા સુધી વધારી શકે છે.