Ahmedabad New Housing Project Launch Down By 79 Per Cent News In Gujarati
અમદાવાદમાં નવા હાઉસિંગ પ્રોજેક્ટ લોન્ચમાં 79 % ઘટાડો: વેચાણ સ્થિર
I am Gujarat6 Jul 2017, 7:50 am
નવા પ્રોજેક્ટ લોન્ચ થતા અટક્યાઃ
નોટબંધી, રેરાની અનિશ્ચિતતા તથા જીએસટીના આગમનની પ્રતીક્ષાને પગલે વર્ષ 2017ના પ્રથમ છ મહિનામાં અમદાવાદમાં નવા રહેણાક યુનિટોના પ્રોજેક્ટ્સ લોન્ચિંગમાં 79 ટકા ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની નાઇટ ફ્રાન્ક ઇન્ડિયાએ દેશનાં ટોચનાં 8 શહેરોના રિયલ્ટી માર્કેટનો અભ્યાસ કરીને એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને તેમાં જણાવ્યું છે કે અમદાવાદમાં નવા પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે બીજા ક્રમે દિલ્હી એનસીઆરમાં 73 ટકા ઘટાડો થયો છે. જોકે, કંપનીએ રિયલ એસ્ટેટ ઉદ્યોગ માટે આ સ્થિતિને સારી ગણાવી છે અને ગ્રાહકો માટે મકાન ખરીદવાનો આ શ્રેષ્ઠ સમય હોવાનું જણાવ્યું છે.
હજુ પણ લોન્ચ નહિં થાય નવા પ્રોજેક્ટ્સઃ
ચાલુ કેલેન્ડર વર્ષના બીજા ભાગમાં (જુલાઈથી ડિસેમ્બર-2017) પણ નવા રિયલ્ટી પ્રોજેક્ટ્સના લોન્ચિંગમાં ખાસ વધારો જોવા નહીં મળે એવો મત કન્સલ્ટન્સી કંપનીએ વ્યક્ત કર્યો છે, કારણ કે રેરાના અમલના કારણે કડક નિયમનો અમલી બન્યા છે અને રાજ્ય સરકાર હજુ પૂરતું માળખું તૈયાર કરી રહી છે.
મકાનનું વેચાણ યથાવત્ઃ
રિસર્ચ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે 2017ના પ્રથમ 6 માસમાં અમદાવાદમાં નવા યુનિટોનું લોન્ચિંગ નવી નીચી સપાટીએ પહોંચ્યું હતું. 2017ના પ્રથમ ભાગમાં અમદાવાદમાં 1,874 નવા રેસિડેન્શિયલ યુનિટ્સ લોન્ચ થયા હતા, જે 2016ના પ્રથમ 6 માસના 8,809 યુનિટ અને બીજા ભાગના 5,200 યુનિટની સરખામણીએ અનુક્રમે 79 ટકા અને 64 ટકા ઘટાડો દર્શાવે છે. જોકે, અમદાવાદમાં મકાનોના વેચાણમાં ખાસ તફાવત જોવા મળ્યો નથી અને 2016ના પ્રથમ ભાગની સરખામણીએ 2017ના પ્રથમ 6 માસમાં કુલ 7,941 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું, જે સાત ટકાનો ઘટાડો દર્શાવે છે. જોકે, 2016ના બીજા 6 માસિક ગાળાના 7,400 યુનિટની સરખામણીએ વેચાણમાં 7.14 ટકાનો સુધારો જોવા મળ્યો છે.
થોભો અને રાહ જુઓની નીતિઃ
નાઇટ ફ્રાન્કના અમદાવાદના ડિરેક્ટર બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું હતું કે, alt147રેરાના મામલે સ્પષ્ટતાના અભાવે અમદાવાદમાં નવા પ્રોજેક્ટ લોન્ચ ઘટ્યા છે. ડેવલપરોએ ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવી હતી. રેરા અંગે સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે અને એક વખત તેના માટે યોગ્ય સિસ્ટમ પણ અમલી બનશે ત્યારબાદ ફરીથી નવા પ્રોજેક્ટ્સની સંખ્યામાં વધારો જોવા મળશે. તેમણે ઉમેર્યું હતું કે જીએસટીના કારણે એફોર્ડેબલ પ્રોપર્ટીના ભાવમાં 2-3 ટકાનો ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે મેટ્રો શહેરોમાં પ્રીમિયમ પ્રોપર્ટીના ભાવમાં 2-5 ટકાનો ભાવ વધારો થઈ શકે છે.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.