એપશહેર

એર ઈન્ડિયાએ આ રીતે ગુરૂ નાનક દેવને યાદ કર્યા, પ્લેન પર આ ચિન્હ દોરી અંજલિ અર્પી

Shailesh Thakkar | I am Gujarat 28 Oct 2019, 5:19 pm
નવી દિલ્હીઃ શીખ ગુરૂ નાનક દેવની 550મી જન્મ જયંતિ અગાઉ ભારતની એરલાઈન એર ઈન્ડિયાએ ખાસ રીતે તેમને યાદ કર્યા છે. એર ઈન્ડિયાએ તેના વિમાન બોઈંગ 787 ડ્રીમલાઈનરની સૌથી પાછળની બાજુ શીખોના ચિન્હ ‘ઈક ઓમકાર’ દોર્યો છે. ગુરુ નાનક દેવની 550મી જન્મ જયંતિ 12મી નવેમ્બરે છે. નાનક દેવ શીખોના પ્રથમ ગુરૂ છે અને તેમણે જ શીખ ધર્મની સ્થાપના કરી હતી. એરઈન્ડિયાના સીએમડી અશવાની લોહાનીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી અમૃતસરથી લંડનની સીધી ફ્લાઈટ શરૂ કરવાની માંગ હતી અને 550મી ગુરુ પુરબના પવિત્ર પ્રસંગે આ ફ્લાઈટ શરૂ કરવી તે એક મોટી તક છે.
તસવીરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે પ્લેનના છેડે ગોલ્ડન કલરમાં ઈક ઓમકાર લખવામાં આવ્યું છે. જેનો મતલબ થાય છે કે ઈશ્વર એક છે. લોહાણીએ જણાવ્યું હતું કે અમને લાગ્યું કે પ્લેનની બહારની તરફ કંઈક અલગ કરવામાં આવે અને તેનાથી ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળે. તેથી અમે ગુરુ નાનકની 550મી જયંતિ નિમિત્તે પ્લેનના પાછળના ભાગે ઈક ઓમકાર લખ્યું છે. એર ઈન્ડિયાના વિમાનો સમગ્ર વિશ્વમાં ઊડે છે અને તેથી ભારતનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચશે. તેથી અમે પ્લેન પર ઈક ઓમકાર લખ્યું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો