એપશહેર

તો હવે 10 વાગ્યે નહીં, આટલી જલ્દી ખુલશે બધી સરકારી બેંકો?

Yogesh Gajjar | I am Gujarat 12 Aug 2019, 9:31 am
બેંકોના ગ્રાહકો માટે સારી ખબર છે. સામાન્ય રીતે સરકારી બેંકોમાં કામકાજ 10 વાગ્યા બાદ શરૂ થાય છે. એવામાં નાણાં મંત્રાલયના બેંકિંગ ડિવિઝને નિર્ણય કર્યો છે કે બધી સરકારી અને સ્થાનિક ગ્રામિણ બેંકો સવારે 9 વાગ્યે ખુલી જશે. બેંકિંગનો આ નવો નિયમ સપ્ટેમ્બર મહિનાથી અમલમાં આવી શકે છે. આ નિર્ણયની ઔપચારિક જાહેરાત કરવાની હજુ બાકી છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો હિન્દી ન્યૂઝ વેબસાઈટ ન્યૂઝ 18ના અહેવાલ મુજબ, દેશભરમાં બેંકોના ખુલવાનો સમય એક સરખો કરવાના હેતુથી કેન્દ્રિય નાણાં મંત્રાલયે બેંકિંગ ડિવિઝનના વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા જૂનમાં બેઠક કરી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે ગ્રાહકોની સુવિધાના હેતુથી બેંકની શાખાઓ ખુલવી જોઈએ. તેમાં બેંક શાખાઓ ખોલવાના સમયમાં મંજૂરી અપાઈ હતી. આ બેઠકમાં ગ્રાહકોની સુવિધા માટે બેઠકમાં બેંક ખોલવા માટે ત્રણ ઓપ્શન અપાયા હતા. જેમાં પહેલો ઓપ્શન સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી, બીજો સવારે 10થી સાંજે 4 વાગ્યે અને ત્રીજો સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં 10 વાગ્યા પછી બેંક ખુલવાના કારણે નોકરી કરનારા ગ્રાહકોને ભારે મુશ્કેલી થતી. ત્યારે સવારે 9 વાગ્યે બેંક ખુલવાથી નોકરીયાત લોકો જલ્દી પોતાના કામ ખતમ કરીને નોકરી પર જઈ શકશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો