એપશહેર

10 બેંકનું વિલિનિકરણ, જાણો ગ્રાહક પર શું થશે અસર

Gaurang Joshi | I am Gujarat 30 Aug 2019, 11:15 pm
નવી દિલ્હીઃ કેન્દ્રિય ફાઈનાન્સ મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે સરકારી બેંકોના વિલિનિકરણની ઘોષણા કરી છે. જે પછી દેશમાં સરકારી બેંકોની સંખ્યા 27થી લઈને 12 રહી જશે. આ વિલિનિકરણની અસર તે દરેક વ્યક્તિ પર પડશે, જેમનું આ બેંકમાં સેવિંગ એકાઉન્ટ અથવા ફિક્સ્ડ ડિપોઝીટ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો ઘટીને 12 થશે સરકારી બેંક નાણાં મંત્રીએ શુક્રવારે અહીં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે વિલય પછી સરકારી બેંકોની સંખ્યા 27થી ઘટીને 12 થશે. 6 નાની સરકારી બેંકોનું ભારતીય સ્ટેટ બેંકમાં અને વિજયા બેંક, દેના બેંક તથા બેંક ઓફ બરોડામાં પહેલા જ વિલય થઈ ચૂક્યું છે. આ રીતે એસબીઆઈ તથા બેંક ઓફ બરોડાના વિલય પછી 10 સરકારી બેંકોમાં પહેલા જ બે મોટી બેંકોમાં વિલિન થઈ ચૂકી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે આવતા પાંચ વર્ષમાં દેશને પાંચ લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે નેક્સ્ટ જનરેશન બેંકનું હોવું જરુરી છે. આવો અમે વાત કરીએ છીએ કે કે આ બેંકના વિલિનિકરણની તમારા પર શું અસર પડશે.. 1. બદલવી પડશે ચેકબુક અનેક બેંકોનું વિલિનિકરણ થવા જઈ રહ્યુંછે. આથી જો સંબંધિત બેંકમાં તમારુ એકાઉન્ટ હોય તો સૌથી પહેલા તમે ચેકબુક બદલવા માટે તૈયાર થઈ જાઓ. હાલની ચેકબુક થોડા સમય માટે જ માન્ય રહેશે. જોકે, અંતમાં તો તે બદલવી જ પડશે. જે બેંકમાં વિલિનિકરણ થયું હોય. 2 નેક્સ્ટ જનરેશન પીએસબી
જે બેંકમાં થશે વિલય જે બેંકનું થશે વિલિનિકરણ
પંજાબ નેશનલ બેંક ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા
કેનેરા બેંક સિન્ડિકેટ બેંક
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા આંધ્ર બેંક અને કોર્પોરેશન બેંક
ઈન્ડિયન બેંક અલાહાબાદ બેંક
3.એકાઉન્ટ નંબર, કસ્ટમર આઈડીમાં ફેરફાર તમને એક નવું એકાઉન્ટ નંબર અને કસ્ટમર ID મળશે. એ સુનિશ્ચિત કરો કે તમારુ ઈમેઈલ એડ્રેસ અને મોબાઈલ નંબર બેંકની પાસે અપડેટ હોય. જેથી કોઈ ફેરફાર વિશે તમને તરત જ જાણકારી મળી શકે. તમારા દરેક એકાઉન્ટ એક ID સાથે ટેગ થશે. ઉદા. જો તમારુ એક એકાઉન્ટ વિજ્યા બેંક અને એક અન્ય દેના બેંક સાથે હોય તો બન્ને અકાઉન્ટ માટે એક જ ID આપવામાં આવશે. 4. થર્ડ પાર્ટી સાથે અપડેટ કરવી પડશે માહિતી જે કસ્ટમર્સને નવા એકાઉન્ટ નંબર અથવા IFSC કોડ એલોટ કરવામાં આવ્યાં છે. તેમને આ માહિતીને અલગ અલગ થર્ડ પાર્ટી એન્ટિટિઝ સાથે અપડેટ કરવું પડશે. જેમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, ઈન્શ્યોરન્સ કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ અને નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)નું સમાવેશ થાય છે. 5. નવા ECS, SIP નિર્દેશ મર્જર પછી એન્ટિટિને દરેક ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ (ECS) નિર્દેશ અને પોસ્ટ ડેટેડ ચેકને ક્લિયર કરવાની રહેશે. પોતાની બેંક, ફંડ હાઉસ અને ઈન્શ્યોરન્સ કંપનીથી સંપર્ક કરવા માટે નવા ECS નિર્દેશ જાહેર કર્યા હતાં. જરુર હશે તો તમારે ECSનું ફોર્મ પણ ભરવું પડશે. ઓટો ડેબિટ અથવા સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માટે નવું SIP રજિસ્ટ્રેશન અને ઈન્સ્ટ્રક્શન ફોર્મ ભરવું પડી શકે છે. 6. બંધ થઈ શકે છે લોકલ બ્રાંચ બેંકની કેટલીક બ્રાન્ચ બંધ થઈ શકે છે અને કસ્ટમર્સને નવી બ્રાંચમાં જવું પડશે. ઉદાહરણ તરીકે તમારી હાલની હોમ બ્રાંચ એવી સ્થિતિમાં બંધ થઈ શકે છે કે જે બેંકમાં વિલય થવાની છે તે બેંકની બ્રાંચ નજીકમાં જ હોય. પોતાની બ્રાંચના નવા નિયમ માટે IFSC અને MICR કોડનું ધ્યાન રાખો કારણકે તમને ફંડ ટ્રાન્સફર અને અન્ય ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટે તેની જરુર પડશે. 7. ડિપોઝીટ, લેન્ડિંગ રેટમાં બદલાવ નહીં ઓફિશ્યિલ મર્જરની તારીખ પર એક્વાયર કરનાર બેંક તરફથી ઓફર કરનાર ફિક્સ્ડ ડિપોઝીટ રેટ લાગુ થશે. જોકે, હાલની ફિક્સ્ડ ડિપોઝીટ પર મેચ્યોરિટી સુધી પહેલાથી જ નક્કી વ્યાજ મળશે. આ જ રીતે લોન પર પણ વ્યાજદરનું વાસ્તવિક એગ્રીમેન્ટ જ રહેશે. હોમ લોન માટે હાજર વ્યાજદર ત્યાં સુધી રહેશે જ્યાં સુધી નવી બેંક રેટમાં કોઈ ફેરફાર ન કરે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો