67155614 નવી દિલ્હી:યસ બેન્કે ચેરમેનના હોદ્દા માટે RBIને બેન્કના જ બોર્ડમાં સભ્ય તરીકે સક્રિય બ્રહ્મ દત્તના નામની ભલામણ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવેમ્બરમાં અશોક ચાવલાના રાજીનામા પછી ચેરમેનનો હોદ્દો ખાલી હતો. સૂત્રએ મંગળવારે જણાવ્યું હતું કે, “બેન્કે RBIને ચેરમેનના હોદ્દા માટે દત્તનું નામ સુપરત કર્યું છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર દત્ત બેન્કનો ભાગ છે અને સિસ્ટમનાં વિવિધ પાસાંને સારી રીતે સમજે છે. એટલે ચેરમેનના હોદ્દા માટે તે યોગ્ય વ્યક્તિ છે. નિવૃત્ત અમલદાર દત્ત હાલ બેન્કના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર છે. બોર્ડમાં આઠ સભ્ય છે.
બોર્ડના અન્ય સભ્યોમાં MD અને CEO રાણા કપૂર, લેફ્ટનન્ટ જનરલ મુકેશ સભરવાલ, સુભાષ કાલિયા, અજય કુમાર, પ્રતિમા શિઓરી, ઉત્તમ અગરવાલ અને ટી એસ વિજયનનો સમાવેશ થાય છે. LIC અને Irdaiના ભૂતપૂર્વ વડા વિજયનને તાજેતરમાં અગરવાલની સાથે બોર્ડમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાણા કપૂરની મુદત 31 જાન્યુઆરી 2019 સુધીની હોવાથી બેન્કે MD અને CEOના હોદ્દા માટે પણ RBIને નામની ભલામણ સુપરત કરવાની છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર દત્ત બેન્કનો ભાગ છે અને સિસ્ટમનાં વિવિધ પાસાંને સારી રીતે સમજે છે. એટલે ચેરમેનના હોદ્દા માટે તે યોગ્ય વ્યક્તિ છે. નિવૃત્ત અમલદાર દત્ત હાલ બેન્કના બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર છે. બોર્ડમાં આઠ સભ્ય છે.
બોર્ડના અન્ય સભ્યોમાં MD અને CEO રાણા કપૂર, લેફ્ટનન્ટ જનરલ મુકેશ સભરવાલ, સુભાષ કાલિયા, અજય કુમાર, પ્રતિમા શિઓરી, ઉત્તમ અગરવાલ અને ટી એસ વિજયનનો સમાવેશ થાય છે. LIC અને Irdaiના ભૂતપૂર્વ વડા વિજયનને તાજેતરમાં અગરવાલની સાથે બોર્ડમાં સામેલ કરાયા છે. ઉલ્લેખનીય છે કે, રાણા કપૂરની મુદત 31 જાન્યુઆરી 2019 સુધીની હોવાથી બેન્કે MD અને CEOના હોદ્દા માટે પણ RBIને નામની ભલામણ સુપરત કરવાની છે.