એપશહેર

લોન નહીં ચુકવનારા હવે નહીં ખરીદી શકે પોતાની જપ્ત કરાયેલી સંપત્તિ

Yogesh Gajjar | I am Gujarat 23 Nov 2017, 10:25 pm
I am Gujarat bankrupt defaulters can not buy their property as per new insolvancy and bankrupcy code
લોન નહીં ચુકવનારા હવે નહીં ખરીદી શકે પોતાની જપ્ત કરાયેલી સંપત્તિ


વિલફુલ ડિફોલ્ટરો માટે સરકાર લાવશે નવો કાયદો

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુરુવારે ઈન્સોલ્વેન્સી અને બેન્કરપ્સી કોડ, 2016માં સંશોધનો માટે લાવવામાં આવી રહેલા નવા કાયદાને મંજૂરી આપી દીધી છે. વિલફુલ ડિફોલ્ટર, ફંડની હેરાફેરી કરી ચુકેલા અને છેતરપિંડીના ગુનામાં સજા ભોગવી ચુકેલા લોકો બેન્કરપ્સી રિજોલ્યુશન પ્રોસેસ દરમિયાન પોતાની સંપત્તિ કે સંપત્તિ ખરીદવા માટે બોલી નહીં લગાવી શકે. સરકારે ઈન્સોલ્વેન્સી અને બેન્કરપ્સી કોડમાં ફેરફારનો આદેશ બુધવારે જારી કર્યો હતો.

રાષ્ટ્રપતિએ આપી ઈન્સોલ્વેન્સી અને બેન્કરપ્સી કોડને મંજૂરી

કેટલાક ડિફોલ્ટરો ઈનસોલ્વેન્સી પ્રોસેસ દરમિયાન કંપની પર ફરીથી કંટ્રોલ હાંસેલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આ માટે સરકારે આ પહેલ કરી છે. જો ડિફોલ્ટ કરી ચૂકેલા પ્રમોટર કંપની પર ફરીથી કંટ્રોલ કરી લે છે તો બેન્કોને નુકસાન ભોગવવું પડે છે, જેનાથી રાજનીતિક કિંમત ચુકાવવી પડી શકે છે. કેન્દ્રને આ ડર હતો.

કેબિનેટમાં રાખવામાં આવ્યો પ્રસ્તાવ

નાણામંત્રી અરુણ જેટલીએ કેબિનેટ મીટિંગ બાદ બુધવારે રિપોટર્સને કહ્યું, બેન્કરપ્સી કોડમાં કેટલાક ફેરફારનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ ફેરફારોને અધ્યાદેશ દ્વારા લાગૂ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્રએ અધ્યાદેશને સંસદના શિયાળું સત્ર શરૂ થવાના થોડી જ અઠવાડિયા પહેલા મંજૂરી આપી દીધી છે કારણ કે આ દરમિયાન કેટલાક બેન્કરપ્સીના મામલા પતાવી શકાય છે. જેટલીએ કહ્યું, કેટલાક રિજોલ્યુશન છેલ્લા તબક્કામાં છે. અમે આ પાક્કુ કરવા ઈચ્છીએ છીએ કે પ્રોસેસ સાચી બની રહે.

ડિફોલ્ટર નહીં ખરીદી શકે પોતાની સંપત્તિ

લગભગ 400 કંપનીઓના મામલાને બેન્કરપ્સી કાયદા હેઠળ નિવારણ કરવા માટે નેશનલ કંપની લો ટ્રાઈબ્યૂનલ પાસે મોકલવામાં આવ્યા છે. આરબીઆઈએ 12 મોટી કંપનીઓના લોન ડિફોલ્ટ મામલે બેન્કરપ્સી કોર્ટ પાસે રિફર કરી હતી. રિજોલ્યુશન પ્રોફેનલ્સ લોન રિકવરી માટે તેમાંથી એસ્સાર સ્ટીલ, ભૂષણ સ્ટીલ, ભૂષણ પાવર, એમટેક ઓટો, લેન્કો ઈન્ફ્રાટેકને વેચવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમાંથી કોઈ કંપનીને બેન્કોએ હજુસુધી ડિફોલ્ટર જાહેર નથી કરી.

આવા લોકોને કહેવાય છે વિલફુલ ડિફોલ્ટર

અહીંયા ખાસ વાત એ છે કે તેમાંથી મોટા ભાગની કંપનીઓના પ્રમોટર પોતાની કંપની માટે બોલી લગાવવાની તૈયારીમાં છે. જેથી તેઓ તેને ઓછી કિંમતે ખરીદી શકે. વિલફુલ ડિફોલ્ટર તેમને કહેવાય છે જેઓ આર્થિક સ્થિતિ હોવા છતા બેન્કોનું દેવું નથી ચૂકવતા. અથવા બેન્કોથી લીધેલા ફંડની હેરાફેરી કરે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો