એપશહેર

બેન્કોએ ટોપ-50 ડિફોલ્ટર્સના રૂ.2.4 કરોડ ભૂલવા પડશે

I am Gujarat 20 Jul 2017, 11:06 am
મુંબઈ:બેડ લોનની સમસ્યા ઉકેલવાના પ્રયાસમાં બેન્કોએ મોટું નુકસાન વેઠવું પડશે. ક્રિસિલના જણાવ્યા અનુસાર ધિરાણકારોએ ટોચની ૫૦ સ્ટ્રેસ્ડ કંપનીઓની બાકી લોનનો 60 ટકા હિસ્સો અથવા લગભગ રૂ.2.4 લાખ કરોડ ભૂલી જવા પડશે.
I am Gujarat banks may have to write off bad loans worth rs 2 38 lakh crore crisil
બેન્કોએ ટોપ-50 ડિફોલ્ટર્સના રૂ.2.4 કરોડ ભૂલવા પડશે


ટોપ-50 કંપનીઓની બેડ લોનનો કુલ આંકડો લગભગ રૂ.4 કરોડ છે. જેમાં કન્સ્ટ્રક્શન સેક્ટરનો હિસ્સો 25 ટકા છે. મેટલ સેક્ટર સૌથી વધુ 30 ટકા અને પાવર સેક્ટર 15 ટકા બેડ લોન ધરાવે છે.

ક્રિસિલ રેટિંગ્સના ચીફ એનાલિટિકલ ઓફિસર પવન અગ્રવાલે જણાવ્યું હતું કે, બેન્કોએ ભોગવવાના સંભવિત નુકસાનની ગણતરી માટે અમે ઇકોનોમિક વેલ્યૂ એપ્રોચ અપનાવ્યો હતો. જેમાં બજારમૂલ્ય અને કેશ ફ્લોના અંદાજને આધારે ગણતરી કરવામાં આવે છે. જોકે, નુકસાનના આખરી આંકડાનો આધાર ધિરાણકારોની અપેક્ષા, વિવિધ સબસિડિયરીનું મૂલ્ય અને કોમોડિટી આધારિત સેક્ટર્સના આઉટલૂક પર રહે છે.

ક્રિસિલે રિકવરીની પ્રક્રિયામાં બેન્કોએ વેઠવાના નુકસાનને ચાર કેટેગરીમાં વહેંચ્યું છે. જેમાં સાધારણ, મધ્યમ, આક્રમક અને નોંધપાત્ર જેવા અલગઅલગ માપદંડનો સમાવેશ થાય છે. વિશ્લેષણ પ્રમાણે મોટા ભાગની લોનમાં બેન્કોએ વેઠવાના નુકસાનનું પ્રમાણ મધ્યમ છે. એનો અર્થ એ થયો કે, બેન્કોએ ટોપ-50 સ્ટ્રેસ્ડ કંપનીઓની બાકી લોનનો 50 ટકા કે ૭૫ ટકા હિસ્સો ભૂલી જવો પડશે.

જે કંપનીઓમાં બેન્કોએ મોટું નુકસાન વેઠવું પડે તેમ છે એ બિઝનેસ ટકી શકવાની સ્થિતિમાં નથી. એટલે નાણાંની રિકવરી માટે એસેટનું વેચાણ કરવું પડશે. બેન્કોએ મોટી રકમનું નુકસાન વેઠવાનું હોય એવા કિસ્સામાં ડેટ ફન્ડિંગની મદદ લેવામાં આવી છે.

ક્રિસિલ રેટિંગ્સના ડિરેક્ટર રમેશ કરુણાકરને જણાવ્યું હતું કે, મજબૂત ક્રેડિટ પ્રોફાઇલ સાથેની કંપનીઓ માટે કેટલીક એસેટ્સ મર્જર-એક્વિઝિશનની સારી તક પૂરી પાડે છે. બેન્કોએ બેડ લોનના અમુક હિસ્સાની જોગવાઈ કરી દીધી છે.

ક્રિસિલના વિશ્લેષણ અનુસાર હજુ વધુ 20 ટકા જોગવાઈની જરૂર પડશે. ક્રિસિલે જણાવ્યું હતું કે, બાકી લોનના નુકસાનને વેઠવા બેન્કોનું પૂરતું મૂડીકરણ જરૂરી છે, જે તેને ધિરાણવૃદ્ધિમાં મદદ કરશે. ધિરાણવૃદ્ધિ નવા તળિયે પહોંચી છે.

આર્થિક વૃદ્ધિના આગામી તબક્કા માટે તેમાં વધારો જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય બેન્કિંગ સેક્ટરમાં રૂ.8 લાખ કરોડની બેડ લોન છે. તેને લીધે બેન્કોના નફાનું માર્જિન ગબડ્યું છે. લોન પરત મળવાની અનિશ્ચિતતાને કારણે બેન્કો લોન આપતાં ખચકાય છે. તેને લીધે દેશના અર્થતંત્રની કરોડરજ્જુ ગણાતી બેન્કો માટે મોટી કટોકટી ઊભી થઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો